Gujarat Crime : પિતાએ માથામાં લોખંડની ટોમીનો ઘા મારીને કરી નાંખી પુત્રની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
થરાદના રાણેશરી ગામે પત્નીએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા ઉસકરાયેલા પિતાએ પુત્રને તરિક્ષણ હથિયાર વડે હત્યા કરી નાખી થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
![Gujarat Crime : પિતાએ માથામાં લોખંડની ટોમીનો ઘા મારીને કરી નાંખી પુત્રની હત્યા, કારણ જાણીને ચોંકી જશો Gujarat Crime : A man murder of son in Banaskantha , know all detail Gujarat Crime : પિતાએ માથામાં લોખંડની ટોમીનો ઘા મારીને કરી નાંખી પુત્રની હત્યા, કારણ જાણીને ચોંકી જશો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/25/ae8ad4a8da19eeecbee5d086817e4d1b166669783734373_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Crime : બનાસકાંઠાના થરાદના રાણેશરી ગામે પત્નીએ દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા ઉસકરાયેલા પિતાએ પુત્રને તરિક્ષણ હથિયાર વડે હત્યા કરી નાખી થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે હત્યાના બનાવવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે થરાદના રાણેશરી ગામે વ્યસન માટે પૈસા આપવાની ના પાડતા પિતા હત્યારો બની 11 વર્ષના પુત્રને લોખંડની ટોમી માથામાં મારતા મોત નીપજ્યું. થરાદના રતનપુરાની સીમ વિસ્તારમાં રહેતા ડામરાભાઈ રાસિંગભાઈ પટેલ વ્યસન કરવા માટે તેમની પત્નીબેન પાસે નાણા માં ગયા હતા. જોકે આજે તહેવાર હોવાથી આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા ડામરાભાઈએ ઘરમાં પડેલી ટોમીથી પત્ની ઉપર હુમલો કર્યો.
જો કે પત્ની ઇજાગ્રસ્ત થતા પુત્ર વચ્ચે આવતા ઉશ્કેરાયેલા પિતાએ પુત્રની જ હત્યા કરી નાખી. જોકે સમગ્ર મામલે થરાદ પોલીસને જાણ કરવાથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે આરોપી પિતાને ઝડપી જેલના હવાલે કર્યો થરાદ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Bhavnagar : દિવાળીના દિવસે જ પતિએ પત્નીની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
ભાવનગરઃ ભાવનગર શહેરના ઇન્દિરા નગર વિસ્તારમાં ખૂદ પતિએ જ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. દિવાળીના પર્વ પર તીક્ષણ હથિયાર વડે પત્નીની હત્યા કરવામાં આવી છે અન્ય બે લોકો મહિલાને બચાવવા જતા ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હત્યાના બનાવને લઈ ડી.ડિવિઝન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ઈન્દિરાનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી કરી પતિએ પત્ની પર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંકી હતી. બે લોકો પણ ઈજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે. હિંમતભાઈ દાનાભાઈ જોગદીયા અને તેમના પત્ની દીપુબેન વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. વાતવાતમાં ઝઘડાે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હિંમતભાઈએ પોતાના પાસે રહેલી છરી વડે પત્ની દીપુબેન પર અને અન્ય બે વ્યકિત પર હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર ઈજા થતા દીપુબેનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)