શોધખોળ કરો

Morbi Bridge Collapse: બ્રિજ દુર્ઘટનામાં શું સરકાર કોઈને બચાવી રહી છે? નાના કર્મચારીઓની ધરપકડ મુદ્દે ઉઠ્યા આ સવાલ

મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે. રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Gujarat Morbi Bridge Collapse: મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે. રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ પોલીસે કેસ નોંધીને સોમવારે 9 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસે પણ આ મામલાની તપાસ કરવા માટે SITની રચના કરી છે.

પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાં બ્રિજ મેનેજર, 2 કોન્ટ્રાક્ટર, 3 ગાર્ડ, 3 ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. આ દરમિયાન મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ લઈને તેમને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યા હતા. જો કે કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી નથી.

કંપનીના માલિકનું નામ FIRમાં નથી

ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈ પટેલનું નામ પણ પોલીસ એફઆઈઆરમાં નથી. કંપનીએ આ બ્રિજ માટે નગરપાલિકા પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવ્યું ન હતું. બ્રિજ પણ સમય પહેલાં ખોલવામાં આવ્યો હતો. અકસ્માત સમયે બ્રિજ પર લોકોની સંખ્યા પણ વધુ હતી. આવી સ્થિતિમાં વિપક્ષ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છે. ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું સરકાર મોરબી અકસ્માતમાં કોઈને બચાવી રહી છે?

સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો

આ અકસ્માત અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સવાલ કર્યો હતો કે, મોરબી બ્રિજનો અકસ્માત 'એક્ટ ઓફ ગોડ' છે કે 'એક્ટ ઓફ ફ્રોડ'? તેમજ તેમણે કહ્યું કે, 6 મહિનાથી પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. કેટલામાં પડ્યું? 5 દિવસમાં પુલ તૂટી પડ્યો. 27 વર્ષથી ભાજપની સરકાર છે, શું આ તમારું વિકાસ મોડલ છે?

કોંગ્રેસે ન્યાયિક તપાસની માંગ કરી 

કોંગ્રેસે આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

જણાવી દઈએ કે, મોરબી મહાનગરપાલિકાએ આ પુલના સમારકામનું કામ ઘડિયાળો અને ઈ-બાઈક બનાવતી કંપની ઓરેવા ગ્રુપને સોંપ્યું હતું. સમારકામ બાદ 26 ઓક્ટોબરે જ્યારે બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો ત્યારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે જણાવ્યું હતું કે તેમની કંપનીએ સમારકામ પાછળ 2 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે આ બ્રિજ 8 થી 10 વર્ષ સુધી આરામથી ચાલશે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget