શોધખોળ કરો

Morbi Bridge Collapse: બ્રિજ દુર્ઘટનામાં શું સરકાર કોઈને બચાવી રહી છે? નાના કર્મચારીઓની ધરપકડ મુદ્દે ઉઠ્યા આ સવાલ

મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે. રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Gujarat Morbi Bridge Collapse: મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે. રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ પોલીસે કેસ નોંધીને સોમવારે 9 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસે પણ આ મામલાની તપાસ કરવા માટે SITની રચના કરી છે.

પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાં બ્રિજ મેનેજર, 2 કોન્ટ્રાક્ટર, 3 ગાર્ડ, 3 ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. આ દરમિયાન મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ લઈને તેમને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યા હતા. જો કે કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી નથી.

કંપનીના માલિકનું નામ FIRમાં નથી

ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈ પટેલનું નામ પણ પોલીસ એફઆઈઆરમાં નથી. કંપનીએ આ બ્રિજ માટે નગરપાલિકા પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવ્યું ન હતું. બ્રિજ પણ સમય પહેલાં ખોલવામાં આવ્યો હતો. અકસ્માત સમયે બ્રિજ પર લોકોની સંખ્યા પણ વધુ હતી. આવી સ્થિતિમાં વિપક્ષ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છે. ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું સરકાર મોરબી અકસ્માતમાં કોઈને બચાવી રહી છે?

સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો

આ અકસ્માત અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સવાલ કર્યો હતો કે, મોરબી બ્રિજનો અકસ્માત 'એક્ટ ઓફ ગોડ' છે કે 'એક્ટ ઓફ ફ્રોડ'? તેમજ તેમણે કહ્યું કે, 6 મહિનાથી પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. કેટલામાં પડ્યું? 5 દિવસમાં પુલ તૂટી પડ્યો. 27 વર્ષથી ભાજપની સરકાર છે, શું આ તમારું વિકાસ મોડલ છે?

કોંગ્રેસે ન્યાયિક તપાસની માંગ કરી 

કોંગ્રેસે આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

જણાવી દઈએ કે, મોરબી મહાનગરપાલિકાએ આ પુલના સમારકામનું કામ ઘડિયાળો અને ઈ-બાઈક બનાવતી કંપની ઓરેવા ગ્રુપને સોંપ્યું હતું. સમારકામ બાદ 26 ઓક્ટોબરે જ્યારે બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો ત્યારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે જણાવ્યું હતું કે તેમની કંપનીએ સમારકામ પાછળ 2 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે આ બ્રિજ 8 થી 10 વર્ષ સુધી આરામથી ચાલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
FIFA World Cup 2026: 12 જૂનથી શરૂ થશે ફિફા વર્લ્ડકપ, વિજેતા ટીમને મળે છે દુનિયાની સૌથી મોંઘી ટ્રોફી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Embed widget