શોધખોળ કરો

Morbi Bridge Collapse: બ્રિજ દુર્ઘટનામાં શું સરકાર કોઈને બચાવી રહી છે? નાના કર્મચારીઓની ધરપકડ મુદ્દે ઉઠ્યા આ સવાલ

મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે. રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Gujarat Morbi Bridge Collapse: મોરબીમાં થયેલી બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાતની ભાજપ સરકાર વિપક્ષના નિશાના પર છે. રવિવાર (30 ઓક્ટોબર)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ પોલીસે કેસ નોંધીને સોમવારે 9 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસે પણ આ મામલાની તપાસ કરવા માટે SITની રચના કરી છે.

પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાં બ્રિજ મેનેજર, 2 કોન્ટ્રાક્ટર, 3 ગાર્ડ, 3 ટિકિટ ક્લાર્કનો સમાવેશ થાય છે. આ દરમિયાન મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ લઈને તેમને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યા હતા. જો કે કંપનીના માલિકની ધરપકડ કરવામાં આવી નથી.

કંપનીના માલિકનું નામ FIRમાં નથી

ઓરેવા કંપનીના માલિક જયસુખભાઈ પટેલનું નામ પણ પોલીસ એફઆઈઆરમાં નથી. કંપનીએ આ બ્રિજ માટે નગરપાલિકા પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવ્યું ન હતું. બ્રિજ પણ સમય પહેલાં ખોલવામાં આવ્યો હતો. અકસ્માત સમયે બ્રિજ પર લોકોની સંખ્યા પણ વધુ હતી. આવી સ્થિતિમાં વિપક્ષ રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહ્યો છે. ત્યારે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું સરકાર મોરબી અકસ્માતમાં કોઈને બચાવી રહી છે?

સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો

આ અકસ્માત અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે સવાલ કર્યો હતો કે, મોરબી બ્રિજનો અકસ્માત 'એક્ટ ઓફ ગોડ' છે કે 'એક્ટ ઓફ ફ્રોડ'? તેમજ તેમણે કહ્યું કે, 6 મહિનાથી પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. કેટલામાં પડ્યું? 5 દિવસમાં પુલ તૂટી પડ્યો. 27 વર્ષથી ભાજપની સરકાર છે, શું આ તમારું વિકાસ મોડલ છે?

કોંગ્રેસે ન્યાયિક તપાસની માંગ કરી 

કોંગ્રેસે આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ ઘટના માટે જવાબદારી નક્કી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

જણાવી દઈએ કે, મોરબી મહાનગરપાલિકાએ આ પુલના સમારકામનું કામ ઘડિયાળો અને ઈ-બાઈક બનાવતી કંપની ઓરેવા ગ્રુપને સોંપ્યું હતું. સમારકામ બાદ 26 ઓક્ટોબરે જ્યારે બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો ત્યારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે જણાવ્યું હતું કે તેમની કંપનીએ સમારકામ પાછળ 2 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે આ બ્રિજ 8 થી 10 વર્ષ સુધી આરામથી ચાલશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget