શોધખોળ કરો
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ મહેશ શાહ પર પ્રતિક્રીયા આપતા કહ્યું કોઈપણ ચમરબંધીને છોડવામાં નહી આવે

વાપી: છેલ્લા કેટલાક સમય થી બહુચર્ચીત આઇ ડી એસ સ્કીમ હેઠળ 13860 કરોડ ના કાળા નાણાની જાહેરાત કરનાર મહેશ શાહ નો મુદ્દો હવે જોર પકડી રહ્યો છે. ગુજરાત બીજેપી અધ્યક્ષ જીતુ વાઘાણી આ મુદ્દે પ્રતિક્રીયા આપતા કહ્યું હતું કે કોઈ ને પણ છોડવા માં આવશે નહિ. મહેશ શાહ ખુદ કબૂલ કરી ચુક્યા છે કે તેને જાહેર કરેલ કાળા નાણા એ અનેક મોટા માથાઓ ના હોવા નુ સ્વીકાર કરી રહ્યો છે ત્યારે મહેશ શાહ એ જાહેર કરેલ રકમ મા કેટલાક રાજકારણીઓના પણ હોવા ની શક્યતા નકારી શકાય તેમ નથી ત્યારે આ મુદ્દે રાજકીય માહોલ પણ ગરમાયો છે. આ મુદ્દે વાપીમા ભાજપ ના એક કાર્યક્રમ મા ઉપસ્થિત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણિએ આ મામલે પ્રતિક્રીયા આપતા કહ્યું કે કોઈ પણ ચમર બંધી ને છોડવા મા નહી આવે તેવો દાવો કર્યો હતો.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















