શોધખોળ કરો

Junagadh: મહંત રાજ ભારતી બાપુએ લમણે ગોળી મારી કર્યો આપઘાત, મહિલા સાથેનો વીડિયો થયો હતો વાયરલ

પત્રમાં લખવામાં આવ્યા મુજબ, આપણા સમાજમાં એવી કહેવત છે કે પેહલા સાધુને જમાડે પછી દીકરાને આનાથી વિશેષ સાધુ માટે શું કહેવું અને બાપુ એ આ વાત નો જ ફાયદો ઉપાડી આપણા સમાજને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે.

Junagadh: જૂનાગઢના ખેતલિયા આશ્રમના મહંતે આત્મહત્યા કરી છે. મહંત રાજ ભારતી બાપુએ પોતાના ખડીયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટુંકાવ્યું હોવાની માહિતી મળી રહી છે.જો કે થોડા સમય પહેલા રાજ ભારતી બાપુનો પીણાના ગ્લાસ સાથેનો અને યુવતી સાથેની તસવીર અને વીડિયો વાયરલ થયો હતો. સાથે જ અન્ય કેટલાક ઓડિયો પણ વાયરલ થયા હતા. મહંત સામે ચોંકાવનારા આરોપો પણ લાગ્યા હતા કે રાજભારતી બાપુ મુસ્લિમ છે.અને સાચું નામ હુજેફા હોવાનો પત્રમાં આરોપ લાગ્યો હતો. આજે વહેલી સવાલથી કથિત ઓડિયો વીડિયોને લઈ રાજ ભારતી બાપુ વિવાદમાં હતા. પોલીસે મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

 પત્રમાં શું લખવામાં આવ્યું છે.

શ્રી ખેતલિયાદાદા આશ્રમ મંદિર જે જુનાગઢ શહેરના ઝાંઝરડા ગામમાં આવેલ છે, જે એક પવિત્ર નાગદેવતાનું મંદિર છે. જયાં હાલ મહંત તરીકે બહ્રમચારી રામકૃષ્ણાનંદ ગુરુ મુકુંદનંદ (રાજભારતી બાપુ) જે છેલ્લા દસ વર્ષ થી આ આશ્રમમા મહંત તરીકે રહેછે. તાજેતરમા જાણવા મળયું છે કે તેઓ જાતે મુસલમાન છે અને તેમનું સાચુ નામ હુજેફા છે અને હિન્દુ ધર્મના સાધુ તરીકે લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. અમે આ પત્રમા તમને બધા પુરાવાઓ મોકલવાનો પ્રયત્ન કયો છે. જેમા બાપુએ હકીકતમાં શું છે તે આપ જાણી શક્શો.  આપણા સમાજમાં સાધુનું સ્થાન ભગવાન પછીનું હોય છે, જેના માટે આપણે કઈ પણ કરવા તૈયાર થઈ જઈએ છીએ. આપણા સમાજમાં એવી કહેવત છે કે પેહલા સાધુને જમાડે પછી દીકરાને આનાથી વિશેષ સાધુ માટે શું કહેવું અને બાપુ એ આ વાત નો જ ફાયદો ઉપાડી આપણા ભોળા તેમજ લાગણીશીલ સમાજને ગુમરાહ કરવાનો પ્રયત્ન કયો છે. તેમજ દુરુપયોગ કરી વિશ્વાસઘાત કર્યો છે. અને છેલ્લા દસ વર્ષ મા રાજભારતી બાપુ એ કોઈ પણ સમાજલક્ષી કાર્ય કર્યું નથી અને પોતાના સ્વાર્થ માટે  પોતે બિલ્ડર બની ગયા છે. છેલ્લા દસ વર્ષમાં પૂજય રામબાપુ એ બનાવેલી શાળા અને બે હોસ્ટેલ પણ વેચી નાખી છે. પોતાના સ્વાર્થ માટે અને હવે તમે જ વિચારો રામબાપુ એ હમેશા સમાજ માટે જ કામ કયાષ છે જ્યારે રાજબાપુ એ હમેશ માટે પોતાના સ્વાર્થ માટે કામ કર્યા છે.


Junagadh: મહંત રાજ ભારતી બાપુએ લમણે ગોળી મારી કર્યો આપઘાત, મહિલા સાથેનો વીડિયો થયો હતો વાયરલ

 આપણે ત્યાં બ્રહ્મચારી સાધુને કોઈ મહિલા સાથે એકાંતમાં વાત કરવાની પણ મનાઈ હોય છે ત્યાં રાજભારતી બાપુના અનેક મહિલાઓ સાથે નજાઈશ સંબંધ છે જે એક  સાધુની ગરિમાને બદનામ કરવાનું કામ કર્યુ છે અને સાધુ સમાજને લાંછન લગાડ્યું છે. જે એક સામાન્ય માણસ પણ ના કરી શકે એ રાજભારતી બાપુ એ કામ કર્યુ છે. જેના પુરાવા તરીકે હું તમને રાજભારતી બાપુના ફોનમાંથી થયેલી રીચાર્જના ના બીલ મોકલુ છુ. કોઈ એક સાધુ એક કરતાં વધારે મહિલાના મોબાઈલમાં રીચાર્જ ક્યારે કરે ?? અને સામાન્ય રીતે રીચાર્જનો સમય રાત્રે અને વહેલી સવારનો છે આનો મતલબ શું હોય એનો જવાબ તમને સારી રીતે ખબર છે. તમને જે બિલ મોકલાવ્યા છે એમાં બધી જ વિગત છે જ તેમ છતાં જેના ફોન નંબર મોકલાવ્યા છે તેના પરીવારના સભ્યો, બિલ મંગાવી આ વાતની ખાતરી કરી શકે છે કે મહિલાનો સંબંધ બાપુ જોડે શું છે અને આ મહિલાના પતિને નમ્ર વિનંતી છે કે તમારી પત્નીનું રીચાર્જ થયું એ સમયુનં બિલ કાઢી જોવો કે બાપુ જોડે આ સમયે વાત કયા સંબંધથી કરે છે. અમારો ઉદ્દેશ કોઈ મહિલાને બદનામ કરવાનો નહીં પણ સાધુ વેશમાં રહેલા લંપટ અને હવસખોરની હરકત બહાર લાવવાનો છે, જે આપણા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget