શોધખોળ કરો

કોરોનાની સારવાર લઈ રહેલા ડાયાબિટીસના દર્દીઓને ક્યારે સ્ટીરોઇડ આપવું જોઈએ ? જાણો કેવી થાય છે આડઅસર

ડાયાબિટોલોજિસ્ટ ડો. વિવેક પટેલના કહેવા પ્રમાણે, સ્ટીરોઈડ કોરોનામાં ઘણા સારા પરિણામ આપે છે પણ સાથે જ તેની આડઅસર પણ એટલીજ છે. મુખ્ય વાત છે કે જે લોકોને ડાયાબિટીસ નથી હોતા તેવા લોકોને કોરોના પોઝિટીવ થયા બાદ સ્ટીરોઈડ આપવાના કારણે ડાયાબિટીસ આવવા લાગે છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં (Gujarat Corona Cases) સતત પાંચમાં દિવસે ઘટાડો થયો છે. કોરોના તમામ ડોકટર માટે એક પડકાર થઈને સામે આવી રહ્યો છે, બદલાતા લક્ષણોના કારણે દવાઓના ડોઝ બદલાઈ રહ્યા છે અને સ્ટીરોઈડ પણ આપવામાં આવી રહ્યા છે. જોકે આ સ્ટીરોઈડની સારી અસર સામે એટલી જ આડ અસર પણ સામે આવે છે. જેના કારણે ઘણી વખત કોરોનાની સારવાર લઈ રહેલા ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યું છે.

ડાયાબિટોલોજિસ્ટ ડો. વિવેક પટેલના કહેવા પ્રમાણે, સ્ટીરોઈડ કોરોનામાં ઘણા સારા પરિણામ આપે છે પણ સાથે જ તેની આડઅસર પણ એટલીજ છે. મુખ્ય વાત છે કે જે લોકોને ડાયાબિટીસ નથી હોતા તેવા લોકોને કોરોના પોઝિટીવ થયા બાદ સ્ટીરોઈડ આપવાના કારણે ડાયાબિટીસ આવવા લાગે છે. ડાયાબિટીસ વધવાના કારણે કોમ્પલિકેશન વધી જાય છે છે અને દર્દીને આઈસીયુમાં દાખલ કરવો પડે તેવી પરિસ્થિતિ સામે આવે છે. મુખ્યત્વે કોરોના કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને સ્ટીરોઈડના કારણે પણ રોગપ્રતિકારક શક્તિમાં વધુ ઘટાડો થાય છે, સ્ટીરોઈડ આપવાથી સુગર લેવલ અપ આવે છે અને તે બીજા રોગને શરીરમાં નોતરે છે. જેમા હાલ મ્યુકર વધારે વકરી રહ્યો છે ત્યારે સ્ટીરોઈડનો ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે તે પ્રમાણે જ તેનો વપરાશ કરવો જોઈએ.  જ્યારે દર્દી કોરોનાની સારવાર માટે દાખલ થાય ત્યારે ડાયાબિટીસનો રિપોર્ટ કરાવીને જ પછી સ્ટીરોઈડ આપવુ જોઈએ.

ગુજરાતમાં કોરોનાના કેસમાં (Gujarat Corona Cases)  સતત પાંચમાં દિવસે ઘટાડો થયો છે. ગઈકાલે  કોરોનાના ૧૧,૦૮૪ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૨૧ના મૃત્યુ થયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૬,૮૧,૦૧૨ છે જ્યારે કુલ મરણાંક ૮,૩૯૪ છે. રાજ્યમાં હાલ ૧,૩૯,૬૧૪ એક્ટિવ કેસ છે જ્યારે ૭૮૬ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪,૭૭૦ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૫.૩૩ લાખ લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૭૮.૨૭% છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget