શોધખોળ કરો

Maha shivratri: આજથી ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ, પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સંતોનું આહવાન

Maha shivratri Melo: આજથી એટલે કે,  22થી 26 ફેબ્રુઆરી દરમિયાન પાંચ દિવસ મહા શિવરાત્રિનો મેળો જૂનાગઢના ભવનાથમાં યોજાશે.

Maha shivratri Melo: આજથી એટલે કે,  22થી 26 ફેબ્રુઆરી દરમિયાન પાંચ દિવસ મહા શિવરાત્રિનો મેળો જૂનાગઢના ભવનાથમાં યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નોંધનિય છે કે, મહા શિવરાત્રીના મેળામાં ભવનાથની ગિરી તળેટીમાં 5 દિવસીય મહા શિવરાત્રીનો મેળો આજથી શરૂ થયો છે. શિવરાત્રિના દિવસે મધ્યરાત્રી નાગા સંન્યાસીઓ દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવાની એક વિશેષ પરંપરા છે. 

આજથી જૂનાગઢના પવિત્ર ભવનાથ તીર્થ ક્ષેત્રમાં મહાશિવ રાત્રીના મેળાનો પ્રારંભ થશે. જે અંતર્ગત ભવનાથમાં મેળા પૂર્વેના માહોલની ચહલ પહલ જોવા મળી રહી છે. અહીં અનેક સાધુ સંતો પોતાના ધુણાના સ્થળ પર પહોંચી ગયા છે. જયારે હજુ પણ સાધુ સંતો આવી રહ્યા છે. મહાશિવરાત્રીના મેળાને લઇ અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગિરિ બાપુએ જણાવેલ કે આ વખતે આપડે સૌ મળી પ્રયાસ કરીયે કે 'મેળો પ્લાસ્ટિક મુક્ત બને'. 

આ ઉપરાંત તેઓએ એ પણ કહેલ કે આ મેળો કોઈ મનોરંજનનો મેળો નથી પરંતુ આ મેળો અધ્યાત્મનો મેળો છે. મહાદેવ ગિરિ બાપુએ કહેલ આ જીવ અને શિવના મિલનનો મેળો છે. મહત્વનું છે કે મહાશિવ રાત્રીના રાતના સમયે નીકળતી શાહી રવેડીમાં સવાર નાગા સાધુ સંતોના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે. આ રવેડીમાં મુખ્યત્વે શ્રી પંચનામ દશ નામ જૂના અખાડા, શ્રી પંચનામ દશ નામ આહવાહન અખાડા અને શ્રી પંચનામ અગ્નિ અખાડાના સાધુ સંતો મુખ્યત્વે જોડાતા હોય છે. મહાશિવ રાત્રીના મેળા દરમિયાન ભવનાથ પંથક શિવમય માહોલમાં રંગાઈ જતું હોય છે.

તો બીજી તરફ જૂનાગઢના ભવનાથમાં આયોજિત થનાર મહાશિવરાત્રી મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. મેળામાં ભીડ બેકાબુ બનવાની અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન અને વ્યવસ્થા કરાઈ હોવાનું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ રહેશે.

ભવનાથમાં રોડ રસ્તા સહીતની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું જણાવ્યું હતું. મેળા દરમિયાન બુલેટ એમ્બયુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે. 1 હજારથી વધુ પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત મૃગી કુંડ નજીક તરવૈયાઓ પણ તૈનાત રહેશે. દૂધ અને છાસ સહીત જરૂરી ચીજ વસ્તુની અછત ન સર્જાઈ તેની કાળજી પણ રખાશે. આ તકે ઇન્દ્ર ભારતી બાપુએ જણાવેલ કે વહીવટી વિભાગ દ્વારા તૈયારી કરી લેવાઈ છે. છતા પાણીની સુવિધા સહીતની કોઈ બાબતમાં તંત્રને જરૂર પડશે ત્યાં સાધુ સંતો દ્વારા પણ સહયોગ આપવામાં આવશે. મહત્વનું છે કે 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન શિવ રાત્રીનો મેળો ભવનાથમાં યોજાશે.

આ પણ વાંચો....

Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દરેક જિલ્લામાં કન્ટ્રોલરૂમ, પેટ્રોલ-ડીઝલ અને ગેસ સપ્લાય માટે રાજ્ય સરકારે 16 સભ્યોની હાઈપાવર કમિટી બનાવી
દરેક જિલ્લામાં કન્ટ્રોલરૂમ, પેટ્રોલ-ડીઝલ અને ગેસ સપ્લાય માટે રાજ્ય સરકારે 16 સભ્યોની હાઈપાવર કમિટી બનાવી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગાંધીનગરમાં સીએમની હાઈલેવલ બેઠક: જાણો પેટ્રોલ-ડીઝલ, એલપીજી અને ખાતરના જથ્થા અંગે શું છે લેટેસ્ટ અપડેટ
ગાંધીનગરમાં સીએમની હાઈલેવલ બેઠક: જાણો પેટ્રોલ-ડીઝલ, એલપીજી અને ખાતરના જથ્થા અંગે શું છે લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ખાખીનો ખોફ ગાયબ! ગુજરાતમાં પોલીસની આબરૂના ઉડ્યા ધજાગરા: પાટણ બાદ હવે અમદાવાદમાં પોલીસને માર મારી ભગાડી
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: જાણો કયા જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું?
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
અમદાવાદમાં પ્રેમલગ્નનો કરુણ અંત! પત્નીને 'સબક' શીખવવા પતિએ ખેલ્યો કેમિકલ એટેકનો ખોફનાક ખેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
શું ભારતમાં ખરેખર ફક્ત 5 થી 10 દિવસનું જ પેટ્રોલ-ડીઝલ અને LPG બચ્યું છે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારે જણાવ્યું સત્ય
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
કોરોનાનું નવું ટેન્શન! 75 મ્યુટેશનવાળો નવો વેરિઅન્ટ આવ્યો સામે, જાણો આપણે કેટલું ડરવાની જરૂર છે?
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
Embed widget