શોધખોળ કરો

Maha shivratri: આજથી ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ, પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સંતોનું આહવાન

Maha shivratri Melo: આજથી એટલે કે,  22થી 26 ફેબ્રુઆરી દરમિયાન પાંચ દિવસ મહા શિવરાત્રિનો મેળો જૂનાગઢના ભવનાથમાં યોજાશે.

Maha shivratri Melo: આજથી એટલે કે,  22થી 26 ફેબ્રુઆરી દરમિયાન પાંચ દિવસ મહા શિવરાત્રિનો મેળો જૂનાગઢના ભવનાથમાં યોજાશે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નોંધનિય છે કે, મહા શિવરાત્રીના મેળામાં ભવનાથની ગિરી તળેટીમાં 5 દિવસીય મહા શિવરાત્રીનો મેળો આજથી શરૂ થયો છે. શિવરાત્રિના દિવસે મધ્યરાત્રી નાગા સંન્યાસીઓ દ્વારા મૃગીકુંડમાં સ્નાન કરવાની એક વિશેષ પરંપરા છે. 

આજથી જૂનાગઢના પવિત્ર ભવનાથ તીર્થ ક્ષેત્રમાં મહાશિવ રાત્રીના મેળાનો પ્રારંભ થશે. જે અંતર્ગત ભવનાથમાં મેળા પૂર્વેના માહોલની ચહલ પહલ જોવા મળી રહી છે. અહીં અનેક સાધુ સંતો પોતાના ધુણાના સ્થળ પર પહોંચી ગયા છે. જયારે હજુ પણ સાધુ સંતો આવી રહ્યા છે. મહાશિવરાત્રીના મેળાને લઇ અવધૂત આશ્રમના મહંત મહાદેવ ગિરિ બાપુએ જણાવેલ કે આ વખતે આપડે સૌ મળી પ્રયાસ કરીયે કે 'મેળો પ્લાસ્ટિક મુક્ત બને'. 

આ ઉપરાંત તેઓએ એ પણ કહેલ કે આ મેળો કોઈ મનોરંજનનો મેળો નથી પરંતુ આ મેળો અધ્યાત્મનો મેળો છે. મહાદેવ ગિરિ બાપુએ કહેલ આ જીવ અને શિવના મિલનનો મેળો છે. મહત્વનું છે કે મહાશિવ રાત્રીના રાતના સમયે નીકળતી શાહી રવેડીમાં સવાર નાગા સાધુ સંતોના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે. આ રવેડીમાં મુખ્યત્વે શ્રી પંચનામ દશ નામ જૂના અખાડા, શ્રી પંચનામ દશ નામ આહવાહન અખાડા અને શ્રી પંચનામ અગ્નિ અખાડાના સાધુ સંતો મુખ્યત્વે જોડાતા હોય છે. મહાશિવ રાત્રીના મેળા દરમિયાન ભવનાથ પંથક શિવમય માહોલમાં રંગાઈ જતું હોય છે.

તો બીજી તરફ જૂનાગઢના ભવનાથમાં આયોજિત થનાર મહાશિવરાત્રી મેળાને લઈને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. મેળામાં ભીડ બેકાબુ બનવાની અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આગોતરું આયોજન અને વ્યવસ્થા કરાઈ હોવાનું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્લાસ્ટિક મુક્ત મેળો બને તે માટે પૂર્ણ પ્રયાસ રહેશે.

ભવનાથમાં રોડ રસ્તા સહીતની કામગીરી પૂર્ણ કરાઈ હોવાનું જણાવ્યું હતું. મેળા દરમિયાન બુલેટ એમ્બયુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે. 1 હજારથી વધુ પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત મૃગી કુંડ નજીક તરવૈયાઓ પણ તૈનાત રહેશે. દૂધ અને છાસ સહીત જરૂરી ચીજ વસ્તુની અછત ન સર્જાઈ તેની કાળજી પણ રખાશે. આ તકે ઇન્દ્ર ભારતી બાપુએ જણાવેલ કે વહીવટી વિભાગ દ્વારા તૈયારી કરી લેવાઈ છે. છતા પાણીની સુવિધા સહીતની કોઈ બાબતમાં તંત્રને જરૂર પડશે ત્યાં સાધુ સંતો દ્વારા પણ સહયોગ આપવામાં આવશે. મહત્વનું છે કે 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન શિવ રાત્રીનો મેળો ભવનાથમાં યોજાશે.

આ પણ વાંચો....

Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

3-3 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં 6 દિવસ તોફાની વરસાદની આગાહી, આવતીકાલે 30 જિલ્લામાં ભુક્કા બોલાવશે, જુઓ લિસ્ટ
3-3 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં 6 દિવસ તોફાની વરસાદની આગાહી, આવતીકાલે 30 જિલ્લામાં ભુક્કા બોલાવશે, જુઓ લિસ્ટ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ
Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ, વીરપુરમાં સૌથી વધુ સવા ઈંચ, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast : ગુજરાતમાં હળવા વરસાદનું અનુમાન, 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ
RCB vs GT Final Live Score: બેંગલુરુએ ફાઇનલમાં ગુજરાતને 155 રનમાં રોક્યું, વોશિંગ્ટન સુંદરે ફિફ્ટી ફટકારી; કોણ બનશે ચેમ્પિયન?
RCB vs GT Final Live Score: બેંગલુરુએ ફાઇનલમાં ગુજરાતને 155 રનમાં રોક્યું, વોશિંગ્ટન સુંદરે ફિફ્ટી ફટકારી; કોણ બનશે ચેમ્પિયન?
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
IPLના ફાઇનલમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અમદાવાદમાં મેચ દરમિયાન કેવું રહેશે હવામાન
Embed widget