30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં. 31 મેના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં. 1 જૂનના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં આગાહી છે.
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ તાપમાન યથાવત રહેશે. બાદમાં 2થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે. હવામાન વિભાગની અગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લામાં 30 મેથી 1 જૂન સુધી વરસાદની શક્યતા છે.
રાજ્યના આ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 30 મેના રોજ સાબરકાંઠા,અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 મેના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય હવામાન વિભાગે 1 જૂનના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર,અમરેલી,ભાવનગરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી તાપમાન ઊંચું જ રહેવાની શક્યતા છે. જોકે ત્યારબાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી લોકોને થોડી રાહત મળી શકે છે. ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે પણ લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. બપોરના સમયે જરૂરી ન હોય તો બહાર ન નીકળવું, પૂરતું પાણી પીવું અને સૂર્યના સીધા તાપથી બચવાની સલાહ આપી છે.
કેરલમાં એક- બે દિવસની અંદર ચોમાસું પ્રવેશ કરી શકે
હાલમાં કેરલમાં સતત બે દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પણ ચોમાસું તેના નિર્ધારિત સમયે આવવાની શક્યતા છે. વરસાદની સ્થિતિ અનુકૂળ રહે તો કેરલમાં એક કે બે દિવસની અંદર ચોમાસું પ્રવેશ કરી શકે છે. હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આવે તે પહેલાં જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો- Weather : રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીનું એલર્ટ, તેલંગણામાં લૂથી 16નાં મૃત્યુ
ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું
હવામાન વિભાગ અનુસાર, કેરલમાં ચોમાસું શરૂ થઈ શકે છે ત્યારે ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું છે. અમદાવાદમાં ગઈકાલે (25 મે) તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી જાહેર કરેલા બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું.
Frequently Asked Questions
હવામાન વિભાગે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે?
આગામી દિવસોમાં તાપમાનમાં શું ફેરફાર થશે?
હાલ 3 દિવસ તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ 2થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે, જેનાથી લોકોને રાહત મળી શકે છે.
શું ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે?
કેરલમાં એક-બે દિવસમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. જો વરસાદની સ્થિતિ અનુકૂળ રહેશે તો ગુજરાતમાં પણ નિર્ધારિત સમયે ચોમાસું આવવાની શક્યતા છે. ચોમાસા પહેલા પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
ગરમીથી બચવા માટે આરોગ્ય વિભાગ શું સલાહ આપે છે?
બપોરના સમયે જરૂરી ન હોય તો બહાર ન નીકળવું. પૂરતું પાણી પીવું અને સૂર્યના સીધા તાપથી બચવાની સલાહ આપવામાં આવી છે.






















