શોધખોળ કરો

રાજ્યમાં ભારે વરસાદ માટે જોવી પડશે રાહ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી.

ગાંધીનગર: હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી. જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ સેવી છે. રાજ્યના ખેડૂતો માટે વધુ એક ચિંતાના સમાચાર છે કારણ કે  રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. 

રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે. પાક બચાવવા મેઘરાજા વરસે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન વિભાગે આગાહી કરી કે 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં સારા વરસાદની કોઈ શક્યતા નથી. એટલે કે હજુ પાંચ દિવસ વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.

રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસેલા કુલ વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં કુલ 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જે સિઝનનો કુલ 36.07 ટકા જેટલો થાય છે. રાજ્યના બે તાલુકા એવા છે જ્યાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. તો 27 તાલુકામાં બેથી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યના 92 તાલુકા એવા છે જ્યાં પાંચથી દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો તો 100 તાલુકામાં સિઝનનો દસથી 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યના 26 તાલુકામાં 20થી 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો તો રાજ્યના ચાર તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. અલગ અલગ ઝોનની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં કુલ પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. જે સિઝનનો કુલ 31.74 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો કુલ નવ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે સિઝનનો કુલ 31.18 ટકા વરસાદ છે. મધ્યગુજરાતમાં સિઝનનો કુલ 11 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે સિઝનનો કુલ 34.03 ટકા વરસાદ થાય છે. 

સૌરાષ્ટ્રમાં સિઝનનો કુલ પોણા દસ ઈંચ વરસાદ વરસ્યો છે. જે સિઝનનો અત્યાર સુધીો કુલ 33.60 ટકા વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો કુલ 23 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જે સિઝનનો કુલ 39.94 ટકા જેટલો થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget