શોધખોળ કરો

Morbi Bridge Collapse Update: મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે કોર્ટમાં શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત

Morbi Bridge Collapse Update: મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.

Morbi Bridge Collapse Update: મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે કોર્ટમાં મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.

વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારી કે કેસમાંથી છટકી ન શકુઃ જયસુખ પટેલ

રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ સોંપાય છે. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુખદછે પણ સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું.

કોર્ટે હુકમમાં શું નોંધ્યું

કોટે પોતાના હુકમમાં નોંધ્યું કે વળતર ચૂકવવાથી પણ રેવન્યુ રાહે કે ક્રિમિનલ રાહે જયસુખ પટેલની સામે થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે તે કાર્યવાહીઓ ચાલુ જ રહેશે.

ક્યારે બની હતી દુર્ઘટના

30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130થી વધુ લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.

ક્યારે બન્યો હતો આ પુલ

આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. શહેરની મુલાકાત લેનારાઓનું સ્વાગત આ ઝૂલતો પુલ કરતો હતો અને એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાતો હતો.

આ ઝૂલતો પુલ 1.25 મિટર પહોળો હતો જ્યારે 233 મીટર લંબાઈ ધરાવતો આ પુલ દરબારગઢ પૅલેસ અને રાજવી નિવાસ નઝરબાગ પૅલેસને પણ જોડતો હતો. વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપથી આ પુલને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ પુલના નિર્માણ પાછળ સર વાઘજી ઠાકોર પર કૉલોનિયલ કાળના સ્થાપત્યો પ્રભાવ સ્પષ્ટ હતો અને એમણે એનાથી પ્રેરીત થઈને મોરબી શહેરના નગરનિર્માણને વેગ આપ્યો હતો. 1922 સુધી સર વાઘજી ઠાકોરે મોરબી પર રાજ કર્યું હતું.રાજાશાહી વખતના મોરબી શહેરના નગરનિયોજનમાં યુરોપિયન શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. 'ગ્રીન ચોક' નામે જાણીતા શહેરના મુખ્ય ચોક તરફ ત્રણ અલગઅલગ દરવાજાથી પ્રવેશ કરી શકાતો હતો. આ ત્રણેય દરવાજાના નિર્માણમાં રાજપુત અને ઇટાલિયન શૈલીનું મિશ્રણ સ્પષ્ટ જોઈ શકાય છે. મોરબી જિલ્લાની વેબસાઇટ અનુસાર ઝૂલતો પુલ મોરબીના રાજવીની 'પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક અભિગમ'ને પ્રદર્શિત કરતો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર,  નેશનલ હાઈ વે પરના આ 5 બ્રીજ પર  નહિ દોડે ભારે વાહનો
Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર, નેશનલ હાઈ વે પરના આ 5 બ્રીજ પર નહિ દોડે ભારે વાહનો
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ રિપોર્ટની 10 મોટી વાતો, પાઈલટની ભૂલ કે ટેકનિકલ ખામી?
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ રિપોર્ટની 10 મોટી વાતો, પાઈલટની ભૂલ કે ટેકનિકલ ખામી?
Bridge collapse: દુર્ઘટનાના પહેલાનો વીડિયો, જુઓ કેવી હતી  જર્જરિત  હાલત, અપીલની  ગંભીરતા સમજાય  હોત,  ન સર્જાત કરૂણાંતિકા
Bridge collapse: દુર્ઘટનાના પહેલાનો વીડિયો, જુઓ કેવી હતી જર્જરિત હાલત, અપીલની ગંભીરતા સમજાય હોત, ન સર્જાત કરૂણાંતિકા
Bridge collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 જિંદગીના ગુનેગાર સામે શું લેવાશે એકશન?  જાણો સરકારે શું કર્યો નિર્ણય
Bridge collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 જિંદગીના ગુનેગાર સામે શું લેવાશે એકશન? જાણો સરકારે શું કર્યો નિર્ણય
Advertisement

વિડિઓઝ

Ahmedabad Planecarsh: પ્લેનક્રેશનનો સૌથી મોટો ખુલાસો, હવામા જ બંધ થઈ ગ્યા હતા બન્ને એન્જિન
Kanti Amrutiya News: સોમવારે 150 ગાડીઓના કાફલા સાથે કાંતિભાઈ પહોંચશે રાજીનામું આપવા, જુઓ વીડિયોમાં
Ahmedabad Plane Crash News: વિમાન દુર્ઘટનાની AAIBના પ્રાથમિક તપાસમાં ચોંકવનારો ખુલાસો | Abp Asmita
Valsad: હાઈવે પરના ખાડા 10 દિવસમાં રિપેર કરવા કલેક્ટરનો આદેશ, દુર્ઘટના ઘટી તો જવાબદાર કોન્ટ્રાક્ટર
Ahmedabad Rain: અમદાવાદમાં રાતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, રસ્તા થયા પાણી પાણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર,  નેશનલ હાઈ વે પરના આ 5 બ્રીજ પર  નહિ દોડે ભારે વાહનો
Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ જાગ્યું તંત્ર, નેશનલ હાઈ વે પરના આ 5 બ્રીજ પર નહિ દોડે ભારે વાહનો
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ રિપોર્ટની 10 મોટી વાતો, પાઈલટની ભૂલ કે ટેકનિકલ ખામી?
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ રિપોર્ટની 10 મોટી વાતો, પાઈલટની ભૂલ કે ટેકનિકલ ખામી?
Bridge collapse: દુર્ઘટનાના પહેલાનો વીડિયો, જુઓ કેવી હતી  જર્જરિત  હાલત, અપીલની  ગંભીરતા સમજાય  હોત,  ન સર્જાત કરૂણાંતિકા
Bridge collapse: દુર્ઘટનાના પહેલાનો વીડિયો, જુઓ કેવી હતી જર્જરિત હાલત, અપીલની ગંભીરતા સમજાય હોત, ન સર્જાત કરૂણાંતિકા
Bridge collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 જિંદગીના ગુનેગાર સામે શું લેવાશે એકશન?  જાણો સરકારે શું કર્યો નિર્ણય
Bridge collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 જિંદગીના ગુનેગાર સામે શું લેવાશે એકશન? જાણો સરકારે શું કર્યો નિર્ણય
ઘાટથી ગ્લેમર સુધી: એક એવા લગ્ન જેણે દરેક પાસામાં ભારતની આત્માને મૂર્તિમંત કરી
ઘાટથી ગ્લેમર સુધી: એક એવા લગ્ન જેણે દરેક પાસામાં ભારતની આત્માને મૂર્તિમંત કરી
...તો આ કારણે થઈ અમદાવાદ વિમાન દુર્ઘટના, 15 પાનાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
...તો આ કારણે થઈ અમદાવાદ વિમાન દુર્ઘટના, 15 પાનાના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ ગંભીર બન્યું તંત્ર,આ બ્રિજના લોડ ટેસ્ટ ન થાય ત્યાં સુધી બંધ
Bridge collapse:ગંભીરા પુલની દુર્ઘટના બાદ ગંભીર બન્યું તંત્ર,આ બ્રિજના લોડ ટેસ્ટ ન થાય ત્યાં સુધી બંધ
Tesla Showroom: ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, આ તારીખે મુંબઈમાં ખુલશે પહેલો શોરૂમ, જાણો શું હશે ખાસ
Tesla Showroom: ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, આ તારીખે મુંબઈમાં ખુલશે પહેલો શોરૂમ, જાણો શું હશે ખાસ
Embed widget