શોધખોળ કરો

Patan KhodalDham: પાટણમાં બની રહ્યું છે કાગવડ જેવું ખોડલધામ, શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ, જાણો વિશેષતા...

આજે દુર્ષાષ્ટમી છે અને આજનો દિવસ સમગ્ર લેઉવા પટેલ સમાજ માટે ખુશીનો દિવસ પણ બન્યો છે. આજે સંડેર ખાતે ખોડલધામ સંકુલની શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ છે

Patan KhodalDham: આજે લેઉવા પાટીદાર સમાજ માટે એક ખુશીનો દિવસ છે કેમ કે આજે પાટણમાં એક વધુ ખોડલધામ બનવા જઇ રહ્યું છે. પાટણના સંડેરમાં બની રહેલા આ નવા ખોડલધામની આજે શિલાન્યાસ વિધિ પૂર્ણ થઇ છે, સંડેરનું અને ખોડલધામ સંકુલ સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ ભવ્ય હશે. ખાસ વાત છે કે, અહીં વિવિધ પ્રકલ્પોનો પણ લાભ લઇ શકાશે. આ ખાસ શિલાન્યાસ વિધિમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ પણ સામેલ થયા હતા. 

આજે દુર્ષાષ્ટમી છે અને આજનો દિવસ સમગ્ર લેઉવા પટેલ સમાજ માટે ખુશીનો દિવસ પણ બન્યો છે. આજે સંડેર ખાતે ખોડલધામ સંકુલની શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ છે. ખોડલધામ સંડેર ખાતે માં ખોડલના મંદિર સાથે શિક્ષણ, આરોગ્ય અને કૃષિના વિવિધ પ્રકલ્પો પણ ઊભા કરાશે. સંડેર બાદ હવે અમદાવાદમાં પણ નજીકના સમયમાં ખોડલધામનો શિલાન્યાસ કરવામાં આવશે. અમદાવાદ બાદ સ્ટેચ્યૂ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ખોડલધામનો શિલાન્યાસ કરવામાં આવશે. આગામી 21 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે એક વિશાળ કેન્સર હૉસ્પીટલનું શિલાન્યાસ કરવાનું પણ આયોજન છે. આનાથી માત્ર લેઉવા પટેલ સામજ જ નહીં પણ રાષ્ટ્રસેવાની નેમ સાથે તમામ સમાજના લોકો ખોડલધામના વિવિધ પ્રકલ્પોનો લાભ લઈ શકશે.


Patan KhodalDham: પાટણમાં બની રહ્યું છે કાગવડ જેવું ખોડલધામ, શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ, જાણો વિશેષતા...

પાટણના સંડેરમાં બની રહેલું આ નવુ ખોડલધામ સંકુલ ખાસ હશે, સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ પાટણના સંડેરમાં પણ ખોડલધામ બનશે. પાટણના સંડેરમાં ખોડલધામના શિલાન્યાસની પૂજાવિધિ પૂર્ણ થઇ ચૂકી છે. દીકરીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા શુભ મુહૂર્તમાં શિલાન્યાસ વિધિ પૂર્ણ કરી હતી. લેઉવા પટેલના કુળદેવી માં ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણના સંડેરમાં બહુ જલદી નિર્માણ પામશે. આજે નવરાત્રિના આઠમના દિવસે ભવ્ય ખોડલધામનું ભૂમિપૂજન થયુ છે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હૉસ્પિટલ પણ અહી નિર્માણ પામશે. ખાસ વાત છે કે, સંડેરનું આ ખોડલધામ મંદિર ગુલાબી પથ્થરમાંથી બનાવાશે, આમાં 51 હજાર ઘનફૂટ પથ્થરોનો ઉપયોગથી ખોડલધામ મંદિર બનાવવામાં થશે. આ ગુલાબી પથ્થરો રાજસ્થાનના ભરતપુરમાંથી લાવવામાં આવશે. 50 વિઘા જમીનમાં 100 કરોડના ખર્ચે આ સમગ્ર ખોડલધામ મંદિર સંકુલ નિર્માણ પામશે.


Patan KhodalDham: પાટણમાં બની રહ્યું છે કાગવડ જેવું ખોડલધામ, શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ, જાણો વિશેષતા...

ખોડલધામ મંદિર ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિ માટે પણ અહીં વિવિધ પ્રકલ્પોનું ખાસ નિર્માણ કરાશે. માત્ર લેઉવા પટેલ માટે નહીં સમગ્ર સમાજ માટે 250 બેડની અત્યાધુનિક હૉસ્પીટલ બનાવાશે. તમામ સમાજના યુવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અહીં શૈક્ષણિક સંકુલ બનશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે કૃષિ સહાયતા કેન્દ્ર પણ આ જ સંકુલમાં બનશે. 2 વર્ષમાં ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય એ મુજબનું આયોજન કરાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.


Patan KhodalDham: પાટણમાં બની રહ્યું છે કાગવડ જેવું ખોડલધામ, શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ, જાણો વિશેષતા...

પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. ભૂમિપૂજનના સ્થળે 3 વિશાળ ડૉમ ઉભા કરવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્ય અને દેશમાંથી લેઉવા પટેલ સમાજના હજારો લોકો સંડેર ખોડલધામ ભૂમિપૂજનમાં પહોંચ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોની અહીં શિલાન્યાસ વિધિમાં ખાસ ઉપસ્થિતિ હતી. 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Advertisement

વિડિઓઝ

Gujarat IPS Transfer : ગુજરાતમાં એક સાથે 105 IPSની બદલી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે સમજાયો ખાતરનો ખેલ!
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : છૂપા કેમેરાથી સાવધાન!
Hun To Bolish : હવે રાઈડ દુર્ઘટનાની તપાસને લઈ પ્રશાસન અને પોલીસ દોડતા થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Gir Somnath: છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરો-દુકાનોમાં ઘૂસ્યા પાણી
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Mumbai Rains: મુંબઈમાં વરસાદના કારણે સાત લોકોના મોત, ઠાણે-પાલઘરમાં રેડ એલર્ટ, સ્કૂલ-કોલેજ બંધ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Trump: 'રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું છે', ઝેલેન્સ્કી સાથેની બેઠકમાં બોલ્યા ટ્રમ્પ
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Achyut Potdar Death: આમિર ખાનની 3 ઇડિયટ્સના પ્રોફેસર અચ્યુત પોતદારનું નિધન
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
Team India Selection: એશિયા કપ માટે આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગિલ કે જયસ્વાલ, કોને મળશે તક?
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડ અરજી ફગાવી
Russia Ukraine War: …તો રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાશે નહીં, જાણો ટ્રમ્પ-ઝેલેન્સ્કી મુલાકાતની પાંચ મોટી વાતો
Russia Ukraine War: …તો રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાશે નહીં, જાણો ટ્રમ્પ-ઝેલેન્સ્કી મુલાકાતની પાંચ મોટી વાતો
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
સરકારે જાહેર કર્યું PMVBRY પોર્ટલ, 3.5 કરોડ રોજગાર માટે ખર્ચ થશે 99,446 કરોડ રૂપિયા
Embed widget