શોધખોળ કરો

3 દિવસ સુધી 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ક્યાંક તમારી દિવાળીનું સેલિબ્રેશન તો નહીં બગડે ને? જાણો લેટેસ્ટ આગાહી

Gujarat Rain Alert: ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.

Gujarat Weather Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે 11 જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, અને મધ્ય ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માં પણ વરસાદની આગાહી છે. દાહોદ જિલ્લામાં મીરાખેડી ગામે ધીમીધારે વરસાદ વરસતા દિવાળીના માહોલમાં ભંગ પડ્યો છે અને ખેડૂતો રવિ પાકને લઈને ચિંતામાં મુકાયા છે. આવતીકાલે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

આજે 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આ અણધાર્યા હવામાન પલટાને કારણે નાગરિકોની તહેવારની મજા બગડી છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તેમજ મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુર માં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માં પણ હળવો વરસાદ થવાની આગાહી છે.

ખેડૂતોની ચિંતામાં વધારો અને દિવાળીના રંગમાં ભંગ

હવામાન વિભાગની આગાહીના પગલે દાહોદ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને મીરાખેડી ગામે ધીમીધારે વરસાદ પણ વરસ્યો હતો. તહેવારના માહોલમાં વરસાદ વરસતા નાગરિકોની દિવાળીની ઉત્સાહભરી ખરીદી અને ઉજવણીમાં વિઘ્ન આવ્યું છે.

આ અકાળ વરસાદને કારણે ખેડૂતો પણ ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે આ સમયે વરસાદ રવિ પાક અને સંગ્રહિત પાકને નુકસાન પહોંચાડી શકે છે.

આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ની સાથે દમણ અને દાદરાનગર હવેલી માં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને આ વરસાદી માહોલમાં સાવચેતી રાખવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Embed widget