શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

Sabarkantha: પ્રાંતિજના યુવકને અમેરિકા જવાનો અભરખો મોંઘો પડ્યો, એજન્ટે 70 લાખ ખંખેરી લઇ ડૉમિનિકા પહોંચાડી દીધો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા વાઘપુર ગામના યુવક ભરતભાઇ દેસાઇને ૭૦ લાખ રૂપિયામાં અમેરિકા લઈ જવાનું કહી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે,

Sabarkantha: રાજ્યમાંથી વધુ એકવાર અમેરિકા લઇ જવાની યુવાન સાથે છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં એક યુવાનને અમેરિકા લઇ જવાના બહાને એજન્ટે 70 લાખ રૂપિયા ખંખેરી લીધા છે, એટલું જ નહીં હાલ યુવાનની પણ કોઇ ભાળ નથી મળી રહી. પ્રાંતિજ પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા વાઘપુર ગામના યુવક ભરતભાઇ દેસાઇને ૭૦ લાખ રૂપિયામાં અમેરિકા લઈ જવાનું કહી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં યુવકની પત્ની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ફરિયાદ અનુસાર, પ્રાંતિજના વાઘપુરના યુવકને ૭૦ લાખ રૂપિયામાં એજન્ટે અમેરિકા લઈ જવાનું કહ્યું હતુ, એજન્ટે યુવકને વર્ક પરમીટ પર અમેરીકા જવાનું કહીને 70 લાખ રૂપિયા માંગ્યા હતા. આમાં 2૦ લાખ રૂપિયા એડવાન્સ લઇને યુવકને પહેલા ડૉમિનિકા પહોંચાડ્યો હતો, આ પછી યુવકનો અચાનક જ પરિવાર સાથેનો સંપર્ક કપાઇ ગયો હતો. ગઇ 4 ફેબ્રુઆરીથી યુવક ભરતભાઇ દેસાઇનો પરિવારજનો સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નથી. સંપર્ક ના થતા યુવકની પત્નીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, યુવકે ગૃપમાં એક એજન્ટ મારફતે એક સાથે અમેરિકા જવાના રવાના થયો હતો, જોકે, બાદમાં યુવકને ડૉમિનિકા મોકલીને તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની વાત સામે આવી હતી. હાલ પ્રાંતિજ પોલીસે પત્નીની ફરિયાદના આધારે એજન્ટો વિરૂદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

આ પહેલા અમદાવાદના યુવકની અમેરિકામાં અપહરણ બાદ થઇ હતી હત્યા

અમેરિકામાંથી વધુ એકવાર ગુજરાતીઓ માટે મોતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં વધુ એક ગુજરાતની હત્યા થઇ હોવાની વાત સામે આવી છે. અમદાવાદના યુવકની અમેરિકાના કોલંબિયામાં ત્રાસવાદીઓએ હત્યા કરી દીધી છે. અમદાવાદના હિરેન ગજેરા નામના યુવકની હત્યા કરાઇ છે, આ ઘટનામાં ત્રાસવાદીઓએ દ્વારા પહેલા હિરેનનું અપહરણ કરવામાં આવ્યુ અને બાદમાં ખંડણી માંગી હત્યા કરી દેવામાં આવી હતી. ત્રાસવાદીઓએ 1 લાખ યૂએસ ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગી હતી. હિરેન ગજેરા 2006માં અમેરીકા ગયો હતો અને ત્યાં અમેરિકાના એમ્પાલમ શહેરમાં સાગના લાકડાનો બિઝનેસ કરી રહ્યો હતો. ઘટના એવી છે કે, 3જી જૂને હિરેન ગજેરા મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં ગયો હતો. અને ત્યાંથી તે પરત ન હતો ફર્યો, કેમ કે પરત ફરતી વખતે દક્ષિણ અમેરિકાના એમ્પાલમે શહેરમાંથી જ હિરેન ગજેરાનું કોલંબિયન ત્રાસવાદીઓ અપહરણ કરી લીધુ હતુ. આ પછી તેની ખંડણી અને હત્યાના સમાચાર સામે આવ્યા હતા. અમેરિકામાં અમદાવાદી યુવકનું અપહરણ કર્યા બાદ કોલંબિયન ત્રાસવાદીઓએ હત્યા કરી નાખતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હિરેન ગજેરાની નિર્દયતાથી હત્યા બાદ ગજેરા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મહત્વનું છે કે, હિરેન ગજેરાના અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ 1 લાખ US ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની માંગણી કરી હતી.

ગયા વર્ષે ગયા હતા અમેરિકા
મળતી માહિતી અનુસાર, અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા ડો. એમ. કે. ગજેરાના પુત્ર હિરેન ગજેરા (ઉં.વ 41) 2006માં અમેરિકા ગયા હતા. અમેરિકાના એમ્પાલમ શહેરમાં તેઓએ સાગના લાકડાનો બિઝનેસ શરૂ કર્યો હતો. તેઓ સાગના લાકડાને એક્સપોર્ટ કરતા હતા. તેઓ વર્ષ 2014 સુધી અમેરિકા રહ્યા બાદ અમદાવાદ પરત આવ્યા હતા. જે બાદ તેઓ ગયા વર્ષે માર્ચ મહિનામાં ફરી અમેરિકા ગયા હતા. તેઓએ ક્યૂએન્કા શહેરમાં નવું ઘર પણ બનાવ્યું હતું.

કોલંબિયન ત્રાસવાદીઓએ કર્યું હતું અપહરણ
3જી જૂને હિરેન ગજેરા મિત્રના પિતાની બર્થ ડે પાર્ટીમાં ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે દક્ષિણ અમેરિકાના એમ્પાલમે શહેરમાંથી હિરેન ગજેરાનું કોલંબિયન ત્રાસવાદીઓ અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ ત્રાસવાદીઓએ 1 લાખ US ડૉલર અથવા 70 કિલો ડ્રગ્સની માંગ કરી હતી. થોડી રકઝક કર્યા બાદ ત્રાસવાદીઓ હિરેન ગજેરાને 20 હજાર US ડૉલરમાં છોડવા તૈયાર થયા હતા. 

શરત માન્યા છતાં કરી નાખી હત્યા
ત્રાસવાદીઓએ રકમ હિરેન ગજેરાની પત્ની એકલી લઈને આવશે તેવી શરત મૂકી હતી. જે શરત તેમના પરિવારજનોએ માની લીધી હતી. છતાં ત્રાસવાદીઓએ હિરેન ગેજરાની હત્યા કરી નાખી અને તેમના મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. આ ઘટના બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. હિરેન ગજેરાની હત્યા બાદ પરિવારમાં શોકનો મોજુ ફરી વળ્યું છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Advertisement

વિડિઓઝ

Delhi Blast : દિલ્લી બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 2 લોકોની થઈ ઓળખ
Hun To Bolish : હું તો બોલીશ : દિલ્લીમાં બ્લાસ્ટ
Delhi Red Fort Blast: Amit Shah : દિલ્લી બ્લાસ્ટને લઈ અમિત શાહનું મોટું નિવેદન
Delhi Car Blast : PM Modi : બ્લાસ્ટમાં મૃત્યુ પામનારા લોકો પ્રત્યે મોદીએ વ્યક્ત કરી સંવેદના
Gir Somnath Demolition : 1 ધાર્મિક સહિત 11 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
Bihar Exit Poll 2025 IANS Matrize: બિહારમાં કોની બનશે સરકાર ? એક્ઝિટ પોલના ચોંકાવનારા આંકડા સામે આવ્યા
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
બિહારમાં ફરી એક વખત નીતિશ સરકાર, મોટાભાગના એક્ઝિટ પોલમાં NDA ને બહુમતી, મહાગઠબંધન પાછળ, જાણો કોને કેટલી સીટ મળશે?
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar Exit Poll 2025: નીતિશ કુમારની JDU ની બેઠકોમાં જોરદાર ઉછાળો, ભાજપને પાછળ છોડ્યું! ચોંકાવનારા આંકડા આવ્યા સામે
Bihar exit poll 2025: પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Bihar exit poll 2025: પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
IPL 2026 મેગા ઓક્શન: CSK જાડેજા સહિત આ 5 મોટા ખેલાડીઓને છૂટા કરી શકે છે, ચેન્નાઈ ટીમમાં મોટા ફેરફારની સંભાવના
IPL 2026 મેગા ઓક્શન: CSK જાડેજા સહિત આ 5 મોટા ખેલાડીઓને છૂટા કરી શકે છે, ચેન્નાઈ ટીમમાં મોટા ફેરફારની સંભાવના
Delhi bomb blast: દિલ્હી બ્લાસ્ટ પર ચીને દુઃખ વ્યક્ત કર્યું, સિંગાપોરે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો, જાણો અન્ય દેશોએ શું કહ્યું?
Delhi bomb blast: દિલ્હી બ્લાસ્ટ પર ચીને દુઃખ વ્યક્ત કર્યું, સિંગાપોરે તેને 'આતંકવાદી હુમલો' ગણાવ્યો, જાણો અન્ય દેશોએ શું કહ્યું?
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
RJD, JDU કે BJP, બિહારમાં કોણ બનશે સૌથી મોટી પાર્ટી ? એક્ઝિટ પોલે તમામને ચોંકાવ્યા
Embed widget