શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 17 હજારથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 93.02
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,34,289 પર પહોંચી છે.
![રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 17 હજારથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 93.02 So far more than 2 lakh 17 thousand people recovered from covid 19 in gujarat recovery rate is 93 per cent રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 17 હજારથી વધુ લોકોએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 93.02](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/20020610/ccorona-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઈલ ફોટો
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1026 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 34 હજારને પાર પહોંચી ગઈ છે. જો કે, સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં આજે 1252 લોકોએ કોરોના મ્હાત આપી હતી. આ સાથે અત્યાર સુધી કુલ 2,17,935 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 93.02 ટકા છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 211, સુરત કોર્પોરેશનમાં 136, વડોદરા કોર્પોરેશનમાં 102, રાજકોટ કોર્પોરેશનમાં 90, વડોદરા 40, કચ્છ-38, રાજકોટ-38, મહેસાણા-32, સુરત-30, ગાંધીનગર-24, પંચમહાલ-23, ખેડા-19, ગાંધીનગર કોર્પોરેશન-18, બનાસકાંઠા-17 અને બરુચ-સાબરકાંઠામાં 16-16 કેસ નોંધાયા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ઓટો
ગુજરાત
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)