શોધખોળ કરો

Controversy : 'પોલીસવાળા ઉપાડી જાય તો ચેલેન્જ કરીને કહું છું કે વાવ, થરાદની એક પણ મહિલા પર આંગળી અડાડી છે તો તમારી આંગળી કાપી નાખીશું'

પોલીસવાળા ઉપાડી જાય તો ચેલેન્જ કરીને કહું છું કે વાવ, થરાદની એક પણ મહિલા પર આંગળી અડાડી છે તો તમારી આંગળી કાપી નાખીશું. તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા બંધાયેલા છો.

બનાસકાંઠાઃ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું ફરી વિવાદિત નિવેદન સામે આવ્યું છે. થરાદ-વાવની આંગણવાડી મહિલાઓના સમર્થનમાં આવેલ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. પોલીસવાળા ઉપાડી જાય તો ચેલેન્જ કરીને કહું છું કે વાવ, થરાદની એક પણ મહિલા પર આંગળી અડાડી છે તો તમારી આંગળી કાપી નાખીશું. તમે કાયદો અને વ્યવસ્થા જાળવવા બંધાયેલા છો. ન્યાય માટે હક માંગતા ને હેરાન નહીં કરવાનાં. ગઈ કાલે યોજાયેલ આંગણવાડીના કાર્યકર્તાઓના કાર્યક્રમમાં ગેનીબેન અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પહોંચ્યા હતા.

AAP: આમ આદમી પાર્ટીના નેશનલ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક નિવેદન આપવું ભારે પડી શકે છે. કેજરીવાલના એ નિવેદન પછી હવે 57 નિવૃત સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે, આમ આદમી પાર્ટીની માન્યતા પાછી ખેંચી લેવામાં આવે. પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968 ના ઓર્ડર 16A હેઠળ આમ આદમી પાર્ટી (AAP)ની માન્યતા પાછી ખેંચી લેવા રજૂઆત કરી છે. આ 57 પૂર્વ અમલદારો અને રાજદ્વારીઓ દ્વારા લખાયેલો પત્ર ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને મોકલવામાં આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો...

57 પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પંચને રજૂઆત કરતાં લખેલા પત્રમાં જણાવ્યું છે કે, 3 સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આપના નેશનલ કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે, 'ગુજરાતના સનદી અધિકારીઓ આવનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે કામ કરે અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપની જીતને સુનિશ્ચિત કરે.' 

આ સાથે અરવિંદ કેજરીવાલે, સરકારી નોકરી કરતા કર્મચારીઓ જેવા કે, પોલીસ કર્મી, હોમ ગાર્ડ, આંગણવાડી કાર્યકર્તા, એસટીના ડ્રાઈવર અને કંડક્ટર અને પોલીંગ બુથ પરના અધિકારીઓને પણ આમ આદમી પાર્ટીને મદદ કરવા માટે કહ્યું હતું. 

પૂર્વ અધિકારીઓએ શું કહ્યું?

હવે અરવિંદ કેજરીવાલના આ નિવેદનને ટાંકીને જ 57 નિવૃત અધિકારીઓ અને રાજદ્વારીઓ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં પૂર્વ અધિકારીઓએ કહ્યું છે કે, "આમ આદમી પાર્ટી દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન થયો છે તેની સાથે અમે સહમત નથી. અમે માનીયે છીએ કે, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ સંસદમાં બનાવાયેલ કાયદાઓ અને યોજનાઓના અમલ માટે જનતાના સેવક તરીકે કામ કરે છે.'' 

Sabarkantha: સાબરકાંઠામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરી, AAPનો ગેરન્ટી કાર્ડ કેમ્પ કરાવ્યો બંધ

સાબરકાંઠાઃસાબરકાંઠામાં ભાજપના કોર્પોરેટરની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, સાબરકાંઠામાં ભાજપ કોર્પોરેટર શશીકાંત સોલંકીએ દાદાગીરી કરી હતી. શશીકાંત સોલંકીએ આમ આદમી પાર્ટીનો ગેરંટી કાર્ડ કેમ્પ બંધ કરાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ હિંમતનગર શહેરના વોર્ડ નંબર 5 માં આપનો ગેર્ંટી કાર્ડ બંધ કરાવ્યો હતો. શહેરના આપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget