શોધખોળ કરો

2000 Rupee : નોટબંધી 2.0થી ચૂંટણીઓ પર પડશે અસર? સર્વેમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બે હજારની નોટ બંધ કરવાના નિર્ણયને થૂંકેલુ ચાટવા સમાન ગણાવ્યો છે.

2000 Rupee Currency Note: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત પર રાજકીય હોબાળો થયો છે. આ બધાની વચ્ચે CVoterએ ડિમોનેટાઈઝેશન 2.0 ને લઈને એક મોટો સર્વે કર્યો છે. જેમાં અનેક ચોંકાવનારા જવાબો સામે આવ્યા છે. CVoter દ્વારા 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ પર લોકોનો અભિપ્રાય જાણવા માટે આ પહેલો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેમાં ડિમોનેટાઈઝેશન 2.0ને લઈને લોકોને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

વાસ્તવમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ RBIના આ નિર્ણયની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે બે હજારની નોટ બંધ કરવાના નિર્ણયને થૂંકેલુ ચાટવા સમાન ગણાવ્યો છે. આ આરોપો પર ભાજપ 2000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી રહી છે. આવો જાણીએ સર્વેમાં આ નિર્ણય અંગે જનતા શું કહે છે...

શું 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય યોગ્ય?

CVoter દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે, શું 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય યોગ્ય છે? સર્વેમાં સામેલ 60 ટકા લોકોએ આ નિર્ણયને સાચો માન્યો છે. જ્યારે સર્વેમાં 25 ટકા લોકોનો અભિપ્રાય આ નિર્ણયની વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. આ લોકોએ તેને ખોટો નિર્ણય ગણાવ્યો છે. જ્યારે 15 ટકા લોકોએ આ પ્રશ્ન પર મૂંઝવણની સ્થિતિ દર્શાવતા કશું જ ન બોલવાનું પસંદ કર્યું છે.

શું આ નિર્ણયથી ભ્રષ્ટાચાર અને કાળા નાણાં પર અંકુશ આવશે?

સર્વેમાં લોકોને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું નોટબંધીના નિર્ણયથી ભ્રષ્ટાચાર અને કાળા નાણા પર અંકુશ આવશે? 57 ટકા લોકોએ આ સવાલનો જવાબ હામાં આપ્યો છે. આ લોકોનું માનવું છે કે, આ નિર્ણયથી ભ્રષ્ટાચાર અને કાળું નાણું અટકશે. જ્યારે સર્વેમાં સામેલ 34 ટકા લોકોને લાગે છે કે તેની કોઈ અસર નહીં થાય. આ સિવાય 9 ટકા લોકોએ આ પ્રશ્ન પર ના કહી શકાય એવો વિકલ્પ પસંદ કર્યો.

સામાન્ય માણસને થશે અસર?

2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાના નિર્ણયથી સામાન્ય માણસને અસર થશે કે કેમ તેવા સવાલ પર સર્વેમાં 36 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો છે. જ્યારે 54 ટકા લોકો માને છે કે સામાન્ય માણસ પર તેની અસર નહીં થાય. આ સર્વેમાં સામેલ 10 ટકા લોકોએ આ પ્રશ્ન પર ના કહેવાનો વિકલ્પ પસંદ કર્યો.

કોને સૌથી વધુ અસર થશે?

2000ની નોટો પાછી ખેંચવાના નિર્ણયથી કોને સૌથી વધુ અસર થશે તેવા સવાલ પર સર્વેમાં સામેલ 13 ટકા લોકોએ કહ્યું કે, તેની અસર સામાન્ય માણસ પર પડશે. જ્યારે 46 ટકા લોકોએ કહ્યું કે, આ નિર્ણયથી નેતાઓને અસર થશે. સર્વેમાં સામેલ 9 ટકા લોકોએ કહ્યું છે કે, તેનાથી નાના વેપારીઓને અસર થશે. 10 ટકાએ કહ્યું કે, મોટા ઉદ્યોગપતિઓ, 3 ટકા નાણાકીય સંસ્થાઓ અને 5 ટકા અન્ય લોકોએ કહ્યું કે, તેની અસર થશે. સર્વેમાં સામેલ 14 ટકા લોકોએ કંઈ ન બોલવાનો વિકલ્પ પસંદ કર્યો.

નોટબંધી સાથે ચૂંટણીનો શું સંબંધ છે?

સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું 2000 રૂપિયાની નોટ પરત આવવા પાછળ આગામી ચૂંટણી સાથે કોઈ સંબંધ છે? આ સવાલના જવાબમાં 45 ટકા લોકોએ ચૂંટણી કનેક્શનના મુદ્દે હા પાડી છે. જ્યારે 34 ટકા લોકોએ આવા કોઈપણ જોડાણને નકારી કાઢ્યું છે. સર્વેમાં 21 ટકા લોકો ના કહેવાના વિકલ્પ સાથે સહમત થયા છે.

1000ની નોટ ફરીથી લાવવી જોઈએ?

2000ની નોટો પર પ્રતિબંધ લગાવ્યા બાદ સરકારે 1000ની નોટો પાછી લાવવી જોઈએ કે કેમ તેવા સવાલના જવાબમાં 66 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો છે. એટલે કે 66 ટકા લોકો હજારની નોટ પરત લાવવાના પક્ષમાં જોવા મળી રહ્યા છે. જ્યારે 22 ટકા લોકોએ એક હજારની નોટને ફરીથી રજૂ કરવા પર ના જવાબ આપ્યો છે. આ સાથે 12 ટકા લોકોએ આ સવાલનો કોઈ જવાબ આપ્યો નથી.

શું નોટબંધી 2.0 મતદાનને અસર કરશે?

સર્વેમાં, લોકોને તેમના મતદાનના નિર્ણયો પર નોટબંધી 2.0 ના નિર્ણયની અસર વિશે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં 22 ટકા લોકોએ હાનો વિકલ્પ પસંદ કર્યો. 58 ટકા લોકો માને છે કે આનાથી મતદાન પર કોઈ અસર નહીં પડે. સર્વેમાં સામેલ 20 ટકા લોકો આ પ્રશ્ન પર અનિર્ણાયક સ્થિતિમાં રહ્યા.

તમે છેલ્લે ક્યારે 2000 ની નોટનો ઉપયોગ કર્યો હતો?

સર્વેમાં સામેલ લોકોને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેઓ કે પરિવારે બે હજારની નોટ છેલ્લી વખત ક્યારે વાપરી હતી? તેના જવાબમાં આ અઠવાડિયે 12 ટકા લોકોએ નોટોના ઉપયોગ વિશે કહ્યું. 19 ટકા લોકોએ છેલ્લા મહિનામાં અને 24 ટકા લોકોએ 6 મહિના પહેલા નોટોના ઉપયોગ વિશે જણાવ્યું હતું. સર્વેમાં સામેલ 36 ટકા લોકોએ એક વર્ષ પહેલા બે હજારની નોટનો ઉપયોગ કરવાની વાત કરી હતી. તે જ સમયે, 9 ટકા લોકો મૂંઝવણની સ્થિતિમાં રહ્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ
હોર્મુંઝ સ્ટ્રેટમાં ભારતીય નાવિકના મોત બાદ એક્શનમાં સરકાર, ઈરાનના રાજદૂતને પાઠવા સમન્સ

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ $80 ની નજીક, જાણો એક સપ્તાહમાં કેટલા વધ્યા?
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
Exclusive: ઈથેનોલ પેટ્રોલથી માઈલેજ, ફરિયાદો અને ગાડીને નુકસાન…, ABP ન્યૂઝ પર નીતિન ગડકરીએ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Embed widget