શોધખોળ કરો

Ajit Pawar Funeral Live: રાજકીય સન્માન સાથે થયા અજિત પવારના અંતિમ સંસ્કાર, બંન્ને દીકરાઓએ આપી મુખાગ્નિ

Ajit Pawar Last Rites Live: બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે છે. અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન પણ અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

LIVE

Key Events
Ajit Pawar Last Rites Live Fadnavis Shinde arrive in Baramati Ajit Pawar Funeral Live: રાજકીય સન્માન સાથે થયા અજિત પવારના અંતિમ સંસ્કાર, બંન્ને દીકરાઓએ આપી મુખાગ્નિ
અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
Source : PTI

Background

Ajit Pawar Last Rites Live:  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અજિત પવારના અંતિમ સંસ્કાર આજે બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. 28 જાન્યુઆરીની સવારે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં અજિત પવાર સહિત પાંચ લોકોનું નિધન થયું હતું. સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનો માહોલ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું.  બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે છે. અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન પણ અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ અને તેમના પરિવારના નિવાસસ્થાન ખાતે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. સમર્થકો અને સ્થાનિક નાગરિકોની ભીડ સતત વધી રહી છે.

બારામતીમાં શોકનો માહોલ

અહેવાલ અનુસાર, ગુરુવારે સવારે 9 વાગ્યે અંતિમ યાત્રા શરૂ થશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના વતન કાટેવાડીમાં પણ શોકનું વાતાવરણ છે. બારામતીમાં તેમની યાદમાં એક સ્મારક બનાવવાની પણ ચર્ચા થઈ રહી છે. રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.  દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે. બુધવારે સમગ્ર મહારાષ્ટ્રમાં જાહેર રજા જાહેર કરવામાં આવી અને તમામ સરકારી કચેરીઓ બંધ રહી હતી.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ અકસ્માતના કારણની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક તપાસ શરૂ કરવા માટે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યૂરો (AAIB) ની એક નિષ્ણાત ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. 66 વર્ષીય અજિત પવાર બુધવારે સવારે 8:10 વાગ્યે મુંબઈથી પુણે જિલ્લાના બારામતી જવા રવાના થયા હતા. 5 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે તેઓ ચાર જાહેર સભાઓને સંબોધવાના હતા.

કેપ્ટન સુમિત કપૂર, સહ-પાયલટ કેપ્ટન શાંભવી પાઠક, અજિત પવારના પર્સનલ સિક્યોરિટી ઓફિસર વિદિત જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનું પણ મૃત્યુ થયું. અજિત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા ઘડિયાળ દ્વારા કરવામાં આવી હતી. વિસ્ફોટ પછી તાત્કાલિક કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રનવેની ડાબી બાજુ કાટમાળ મળી આવ્યો હતો.

મૃતદેહને વિદ્યા પ્રતિષ્ઠાનમાં રાખવામાં આવ્યો.

અજિત પવારના પાર્થિવ દેહને બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યો છે, જે અજિત પવારની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું. વિદ્યા પ્રતિષ્ઠાન એક મુખ્ય શૈક્ષણિક સંસ્થા છે.

12:50 PM (IST)  •  29 Jan 2026

Ajit Pawar Funeral LIVE Updates: પિતાને મુખાગ્નિ આપી પુત્રો ભાવુક થઈ ગયા

અજિત પવારના બે પુત્રો પાર્થ અને જયે એકસાથે પિતાને મુખાગ્નિ આપી હતી. પવાર પરિવારના સભ્યો, રાજકારણીઓ, NCP કાર્યકરો અને ત્યાં એકઠા થયેલા હજારો લોકો ભાવુક થઈ ગયા.

12:05 PM (IST)  •  29 Jan 2026

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શ્રદ્ધાંજલિ આપી હતી.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

વિડિઓઝ

Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Stock Market Today : શેરબજારમાં મોટો કડાકો , સોના-ચાંદીના ભાવમાં પણ કડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
જેતપરનું ખેડૂત આંદોલન બે મોરચે લડાવાના એંધાણ, સરદાર સેના સંગઠનની કરાઈ રચના 
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનનો અમેરિકાના ઠેકાણાઓ પર ઘાતક હુમલો, બહેરીન,કુવૈત અને જોર્ડનના આકાશમાં ઉઠી અગનજ્વાળાઓ,ધ્રુજી ઉઠ્યું મિડલ ઈસ્ટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
સરકારનો સ્વીકાર-'5 ટકા સુધી ઘટી શકે છે માઈલેજ', પરંતુ E20 ફ્યુઅલના ગણાવ્યા ફાયદા
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Mobile Data: ક્યારેય ખતમ જ નહીં થાય મોબાઇલ ડેટા! તમારા ફોનમાં આજે જ કરી લો આ કામ
Embed widget