શોધખોળ કરો

Ajit Pawar Funeral Live: રાજકીય સન્માન સાથે થયા અજિત પવારના અંતિમ સંસ્કાર, બંન્ને દીકરાઓએ આપી મુખાગ્નિ

Ajit Pawar Last Rites Live: બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે છે. અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન પણ અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

LIVE

Key Events
Ajit Pawar Last Rites Live Fadnavis Shinde arrive in Baramati Ajit Pawar Funeral Live: રાજકીય સન્માન સાથે થયા અજિત પવારના અંતિમ સંસ્કાર, બંન્ને દીકરાઓએ આપી મુખાગ્નિ
અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
Source : PTI

Background

Ajit Pawar Last Rites Live:  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અજિત પવારના અંતિમ સંસ્કાર આજે બારામતીમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. 28 જાન્યુઆરીની સવારે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં અજિત પવાર સહિત પાંચ લોકોનું નિધન થયું હતું. સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનો માહોલ છે. નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે સવારે બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું.  બારામતીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે છે. અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન પણ અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.

મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ અને તેમના પરિવારના નિવાસસ્થાન ખાતે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. સમર્થકો અને સ્થાનિક નાગરિકોની ભીડ સતત વધી રહી છે.

બારામતીમાં શોકનો માહોલ

અહેવાલ અનુસાર, ગુરુવારે સવારે 9 વાગ્યે અંતિમ યાત્રા શરૂ થશે. ત્યારબાદ સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના વતન કાટેવાડીમાં પણ શોકનું વાતાવરણ છે. બારામતીમાં તેમની યાદમાં એક સ્મારક બનાવવાની પણ ચર્ચા થઈ રહી છે. રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.  દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે. બુધવારે સમગ્ર મહારાષ્ટ્રમાં જાહેર રજા જાહેર કરવામાં આવી અને તમામ સરકારી કચેરીઓ બંધ રહી હતી.

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ અકસ્માતના કારણની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક તપાસ શરૂ કરવા માટે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યૂરો (AAIB) ની એક નિષ્ણાત ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. 66 વર્ષીય અજિત પવાર બુધવારે સવારે 8:10 વાગ્યે મુંબઈથી પુણે જિલ્લાના બારામતી જવા રવાના થયા હતા. 5 ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે તેઓ ચાર જાહેર સભાઓને સંબોધવાના હતા.

કેપ્ટન સુમિત કપૂર, સહ-પાયલટ કેપ્ટન શાંભવી પાઠક, અજિત પવારના પર્સનલ સિક્યોરિટી ઓફિસર વિદિત જાધવ અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીનું પણ મૃત્યુ થયું. અજિત પવારના મૃતદેહની ઓળખ તેમની કાંડા ઘડિયાળ દ્વારા કરવામાં આવી હતી. વિસ્ફોટ પછી તાત્કાલિક કટોકટી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રનવેની ડાબી બાજુ કાટમાળ મળી આવ્યો હતો.

મૃતદેહને વિદ્યા પ્રતિષ્ઠાનમાં રાખવામાં આવ્યો.

અજિત પવારના પાર્થિવ દેહને બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાનમાં અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવ્યો છે, જે અજિત પવારની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું. વિદ્યા પ્રતિષ્ઠાન એક મુખ્ય શૈક્ષણિક સંસ્થા છે.

12:50 PM (IST)  •  29 Jan 2026

Ajit Pawar Funeral LIVE Updates: પિતાને મુખાગ્નિ આપી પુત્રો ભાવુક થઈ ગયા

અજિત પવારના બે પુત્રો પાર્થ અને જયે એકસાથે પિતાને મુખાગ્નિ આપી હતી. પવાર પરિવારના સભ્યો, રાજકારણીઓ, NCP કાર્યકરો અને ત્યાં એકઠા થયેલા હજારો લોકો ભાવુક થઈ ગયા.

12:05 PM (IST)  •  29 Jan 2026

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શ્રદ્ધાંજલિ આપી હતી.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
CM વિજયે તમિલનાડુ વિધાનસભામાં સાબિત કરી બહુમતી, જાણો TVKના સમર્થનમાં કેટલા પડ્યા મત?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
Gold-Silver Price Today: આયાત ડ્યુટીમાં વધારા બાદ સોના ચાંદીના ભાવમાં ઉછાળો, જાણો કેટલો થયો વધારો?
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
PMની અપીલ પર ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર, સ્ટાફને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે મોટા સમાચાર, UIDAIએ બદલ્યા આ નિયમો
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Embed widget