શોધખોળ કરો
Advertisement
Amarinder Singh Resigns: પંજાબના મુખ્યમંત્રીના પદ પરથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું
પંજાબના મુખ્યમંત્રી પદ પરથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપી દિધુ છે. થોડીવારમાં કેપ્ટન અમરિંદર સિંહ પત્રકાર પરિષદને સંબોધન કરશે.
પંજાબના મુખ્યમંત્રી પદ પરથી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપી દિધુ છે. થોડીવારમાં કેપ્ટન અમરિંદર સિંહ પત્રકાર પરિષદને સંબોધન કરશે. સૂત્રોની જાણકારી અનુસાર કૉંગ્રેસ હાઈકમાન્ડે કેપ્ટનને રાજીનામું આપવા કહ્યું હતું.
Punjab CM Captain Amarinder Singh submits resignation to Governor Banwarilal Purohit, at Raj Bhavan in Chandigarh. pic.twitter.com/qIlYcr71L7
— ANI (@ANI) September 18, 2021
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના રાજીનામા સાથે સમગ્ર મંત્રીમંડળનું પણ રાજીનામું રાજ્યપાલને સોંપી દીધા છે. કેપ્ટન અમરિંદરે રાજીનામું આપ્યા પછી મીડિયા સાથે વાત કરી હતી.
મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું કે જેમના પર વિશ્વાસ હોય તેને કૉંગ્રેસ અધ્યક્ષા મુખ્યમંત્રી બનાવે. સરકાર ચલાવવાને લઈને મારા પર સંદેહ કરવામાં આવ્યો. મારુ અપમાન કરવામાં આવ્યું. હુ હાલ કૉંગ્રેસ પાર્ટીમાં છું. સવારે મે કૉંગ્રેસ અધ્યક્ષા સાથે વાત કરી રાજીનામા અંગે જાણકારી આપી હતી. મારા રસ્તાઓ ખુલ્લા છે, તમામ વિકલ્પો પર વિચાર કરીશ. સમર્થકો સાથે વાતચીત કરી આગળનો નિર્ણય કરીશ.
60 ધારાસભ્યોએ કોગ્રેસ છોડવાની ધમકી આપી હતી. તેઓએ અમરિંદર સિંહને હટાવવાની માંગ કરી હતી. આ ધારાસભ્યોએ આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની ધમકી આપી હતી. સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement