શોધખોળ કરો

Amritpal Singh : આખરે અમૃતપાલ આવ્યો ઘુંટણીયે, પોલીસ સામે મુકી આ શરતો

Amritpal Singh : આખરે અમૃતપાલ આવ્યો ઘુંટણીયે, પોલીસ સામે મુકી આ શરતો

Amritpal Singh Arrest Operation: ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહને ઝડપી પાડવા માટે પંજાબ પોલીસ સતત ઓપરેશન ચલાવી રહી છે. તો બીજી બાજુ અમૃતપાલ છેલ્લા કેટલાક દિવસથી છુપાઈને આમથી તેમ સંતાતો ફરે છે. પરંતુ હવે અમૃતપાલ ઢીલો પડ્યો છે અને પોલીસને શરણે થવા માંગતો હોવાનું લાગી રહ્યું છે. અમૃતપાલ સિંહે પોલીસ સમક્ષ ત્રણ શરતો મૂકી છે. વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહે કહ્યું છે કે, તેની ધરપકડને આત્મસમર્પણ તરીકે દર્શાવવામાં આવે.

આ ઉપરાંત અમૃતપાલ સિંહની પાછળ પડેલી પોલીસ હજી સુધી તેને પકડી ના શકતા પંજાબ પોલીસની ચારેકોર થૂ થૂ થઈ રહી છે. જેને લઈને પંજાબ પોલીસે એક એસએસપી સહિત 6 પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક ધાર્મિક નેતાઓ પોલીસ અને અમૃતપાલ વચ્ચે વચેટિયા તરીકે કામ કરી રહ્યા છે. અમૃતપાલ દમદમા સાહિબમાં પણ આત્મસમર્પણ કરી શકે છે જ્યાં અકાલ તખ્તના જથેદાર પણ જઈ શકે છે.

જાહેર છે કે, પંજાબ પોલીસે 18 માર્ચે અમૃતપાલ સિંહ વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ તે ભાગવામાં સફળ રહ્યો હતો. આ પછી અમૃતપાલ સિંહ હરિયાણાના કુરુક્ષેત્રમાં હોવાના સમાચાર મળ્યા હતા. ત્યાર બાદ તે ઉત્તર પ્રદેશ અને દિલ્હી ભાગી ગયો હોવાના અહેવાલ સામે આવ્યા હતાં. હવે ફરી એકવાર અમૃતપાલ સિંહ પંજાબમાં હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમૃતપાલ તેના સહયોગી સાથે ઉત્તરાખંડ નંબરના વાહન દ્વારા મંગળવારે સાંજે પંજાબના ફગવાડા પહોંચ્યો હોવાનું કહેવાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ અમૃતપાલની આસપાસ જ છે પરંતુ તેને પકડી શકી નથી. અમૃતપાલ ફરાર થયો ત્યારથી પંજાબ પોલીસ હાઈ એલર્ટ પર છે.

જોકે હવે અમૃતપાલ સામે ચાલીને સરેન્ડર કરવા માંગે છે. જોકે આ માટે તેણે પોલીસ સામે ત્રણ શરતો મુકી છે. અમૃતપાલનું કહેવું છે કે, પહેલી એ કે તેની ધરપકડને આત્મસમર્પણ તરીકે દર્શાવવામાં આવે. બીજી શરત એ છે કે, તેને પંજાબની જેલમાં જ રાખવામાં આવે અને ત્રીજી શરત એ છે કે, તેને જેલમાં કે પોલીસ કસ્ટડીમાં માર ના મારવામાં આવે.

અમૃતપાલ સિંહ પર શું છે આરોપ?
અમૃતપાલ અને તેના સાથીઓએ અમૃતસર નજીકના અજનાલા પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરાયેલ વ્યક્તિને મુક્ત કરવાની માંગણી કરી હતી. આ ઘટનાના લગભગ ત્રણ અઠવાડિયા બાદ 18 માર્ચે, પોલીસે તેની અને તેના ખાલિસ્તાન તરફી સંગઠન 'વારિસ પંજાબ દે'ના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી. અમૃતપાલ અને તેના સહયોગીઓ સામે અસંતુલનને પ્રોત્સાહન આપવા, ગેરકાયદેસર હથિયાર રાખવા, હત્યાનો પ્રયાસ, પોલીસકર્મીઓ પર હુમલો અને જાહેર સેવકોને તેમની ફરજો નિભાવવામાં અવરોધ કરવા સંબંધિત અનેક ગુનાહિત આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

જલંધરમાં SSP સહિત 6 અધિકારીઓ પર આકરી કાર્યવાહી
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ સામેની કાર્યવાહી વચ્ચે પંજાબ સરકારે આજે જલંધર એસએસપી અને જિલ્લાના અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી કરી હતી. સરકારે જલંધરના SSP સ્વર્ણદીપ સિંહની બદલી કરી નાખવામાં આવી છે અને તેમની જગ્યાએ મુખવિંદર સિંહને તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા છે. આ ટ્રાન્સફરને અમૃતપાલ સિંહ મામલે હાથ લાગેલી નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. કારણ કે મોટાભાગની ક્રેકડાઉન જલંધર ગ્રામીણ વિસ્તારમાં થઈ હતી. નવ પોલીસ અધિકારીઓમાંથી છને જલંધરમાંથી ખસેડવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટના નિયમોમાં મોટો ફેરફાર: હવે ટોકન વિના કાઉન્ટર પરથી નહીં મળે ટિકિટ
1 ઓગસ્ટથી તત્કાલ ટિકિટના નિયમોમાં મોટો ફેરફાર: હવે ટોકન વિના કાઉન્ટર પરથી નહીં મળે ટિકિટ
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Embed widget