શોધખોળ કરો

Anti-India Slogans: કેનેડામાં રામ મંદિર પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર, એમ્બેસીની પ્રતિક્રિયા - દોષિતો સામે તાત્કાલિક પગલાં લો

રિપોર્ટ્સ અનુસાર અહીં એક વર્ષમાં 4 વખત આવું બન્યું છે. અગાઉ, જાન્યુઆરીમાં કેનેડાના બ્રામ્પટનમાં એક હિન્દુ મંદિરમાં આવી તોડફોડ કરવામાં આવી હતી, જેણે ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાવ્યો હતો.

Anti-India Graffiti In Canada: કેનેડામાં એક હિન્દુ મંદિર પર ફરી એકવાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. આ વખતે અહીં મિસિસોગામાં રામ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસે તેની સખત નિંદા કરી છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે પણ આ મામલામાં દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ભારતીય દૂતાવાસે બુધવારે ટ્વિટ કર્યું, "અમે મિસીસૌગાના રામ મંદિરમાં ભારત વિરોધી ગ્રેફિટી (દિવાલો પર વાંધાજનક સૂત્રો)ની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ."

ભારત વિરોધી સૂત્રો લખવા બદલ નિંદા

ભૂતકાળમાં કેનેડામાં હિંદુ મંદિરો પર ભારત વિરોધી સૂત્રો લખવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર અહીં એક વર્ષમાં 4 વખત આવું બન્યું છે. અગાઉ, જાન્યુઆરીમાં કેનેડાના બ્રામ્પટનમાં એક હિન્દુ મંદિરમાં આવી તોડફોડ કરવામાં આવી હતી, જેણે ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાવ્યો હતો.

ગૌરી શંકર મંદિરમાં તાજેતરની તોડફોડની નિંદા કરતા, ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે આ કૃત્ય કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. એક નિવેદનમાં, દૂતાવાસે કહ્યું, "ભારતીય વારસાના પ્રતીક એવા બ્રામ્પટનમાં ગૌરી શંકર મંદિરમાં ભારત વિરોધી સૂત્રોચ્ચારની અમે સખત નિંદા કરીએ છીએ. તોડફોડના ધિક્કારપાત્ર કૃત્યથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે. અધિકારીઓને આ મામલે નક્કર કાર્યવાહી કરવા અપીલ કરી છે."

મેયરે કાર્યવાહીની ખાતરી આપી હતી

બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ તોડફોડની નિંદા કરી અને કહ્યું કે કેનેડિયન સત્તાવાળાઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. "તોડફોડના આ ધિક્કારપાત્ર કૃત્યને આપણા શહેર અથવા દેશમાં કોઈ સ્થાન નથી," બ્રેમ્પટનના મેયરે ટ્વીટ કર્યુંને કહ્યું, "દરેક વ્યક્તિ તેમના પૂજા સ્થળે સુરક્ષિત અનુભવવાને પાત્ર છે."

ખાલિસ્તાની ઉગ્રવાદીઓ આવા કૃત્યો કરે છે

અગાઉ સપ્ટેમ્બર 2022 માં, કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં 'કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ' દ્વારા ભારત વિરોધી સૂત્રોચ્ચાર સાથે તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે પણ ઘણો વિરોધ થયો હતો. ત્યાં જ ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તરફથી ભારત વિરુદ્ધ ઘણી વધુ ઘટનાઓ સામે આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch BJP Politics:પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરતા ભાજપે બે આગેવાનોને કર્યા સસ્પેન્ડ, જુઓ પોલિટિકલ ન્યૂઝHun To Bolish : હું તો બોલીશ : ઉંમર નાની, સીનસપાટા મોટાHun To Bolish : હું તો બોલીશ : મહાનગરપાલિકા કે 'દલા તરવાડી'ની વાડી?Surat Accident : બેફામ કાર હંકારી 2નો ભોગ લેનારા કિર્તનને ચાલવાના ફાંફાં , કેવી રીતે કર્યો અકસ્માત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
PM Modi France Visit: પેરિસમાં PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર, AI શિખર સંમેલનમાં લેશે ભાગ
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
Indias Got Latent Controversy: રણવીર અલ્હાબાદિયા સહિત પાંચ વિરુદ્ધ FIR દાખલ, જાણો શું લગાવાયો આરોપ?
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત, DGP એ જાહેર કર્યો પરિપત્ર 
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
Bangladesh: બાંગ્લાદેશમાં ક્યારે યોજાશે ચૂંટણી, મોહમ્મદ યુનુસે કરી મોટી જાહેરાત
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
World Most Peaceful Countries: ફોર્બ્સે જાહેર કરી દુનિયાના 10 સૌથી શાંત દેશોની યાદી, ભારતનું નામ નથી સામેલ
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
દિલ્હીમાં કેજરીવાલની હાર વચ્ચે મમતા બેનર્જીએ બંગાળની ચૂંટણીને લઈને મોટી ભવિષ્યવાણી કરી
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
અદાણીની અમદાવાદ અને મુંબઈમાં ખુલશે મેડિકલ કોલેજો! અદાણી હેલ્થ સિટીનું ભવ્ય લોકાર્પણ, ₹6,000 કરોડનું દાન
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
Embed widget