શોધખોળ કરો

Antilia Bomb Case: એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

Antilia Bomb Case: સુપ્રીમ કોર્ટે બુધવારે (23 ઓગસ્ટ) વેપારી મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા.

Antilia Bomb Case: સુપ્રીમ કોર્ટે બુધવારે (23 ઓગસ્ટ) વેપારી મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા.

જણાવી દઈએ કે જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને NIA માટે એડિશનલ સોલિસિટર જનરલની દલીલો સાંભળી. રોહતગીએ કહ્યું કે પ્રદીપ શર્મા એક આદરણીય પોલીસ અધિકારી હતા જેઓ 37 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા હતા.

એન્ટિલિયા બોમ્બ કેસ અને બિઝનેસમેન મનસુખ હિરેનની હત્યામાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજે આ કેસમાં મુખ્ય આરોપી છે અને શર્માને વાજે સાથે જોડવાના કોઈ સીધા પુરાવા નથી. શર્મા પર માત્ર હિરેનની હત્યામાં સહ-ષડયંત્ર રચવાનો આરોપ છે. શર્મા વાજેને મળ્યા પણ આ દરમિયાન શું થયું? સામે આવ્યું નથી.

જણાવી દઈએ કે 24 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે શર્માની પત્નીની સર્જરીના કારણે તેમની વચગાળાની જામીન બે સપ્તાહ માટે વધારી દીધી હતી.

પ્રદીપ શર્મા મુંબઈ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચમાં ફાયરબ્રાન્ડ ઓફિસર રહી ચૂક્યા છે. તેઓ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાય છે. તેની પાસે 100 થી વધુ એન્કાઉન્ટર કરવાનો રેકોર્ડ છે. તેઓ 1983માં પોલીસ સેવામાં જોડાયા હતા અને 2019માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. આ પછી તેણે રાજકારણમાં એન્ટ્રી લીધી.

પ્રદીપ શર્માએ 2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમનો પરાજય થયો હતો. આ પછી, 25 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ, તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોની શોધના સંબંધમાં ચર્ચામાં આવ્યા હતા. આ મામલે પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી.

NIAએ કહ્યું હતું કે, પ્રદીપ શર્મા ગેંગનો સક્રિય સભ્ય હતો, જેણે અંબાણી પરિવાર સહિત અન્ય લોકોને ડરાવવાનું કાવતરું ઘડ્યું હતું અને બાદમાં મનસુખ હિરેનની હત્યા કરી હતી, કારણ કે તે ષડયંત્રથી વાકેફ હતો. તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે હિરેન સમગ્ર ષડયંત્રથી વાકેફ હતો અને આરોપી શર્મા અને વાજે બંનેને આશંકા હતી કે હિરેન દ્વારા તેનો પર્દાફાશ થઈ શકે છે, જે તેમના માટે મુશ્કેલી ઊભી કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget