શોધખોળ કરો

Antilia Bomb Case: એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

Antilia Bomb Case: સુપ્રીમ કોર્ટે બુધવારે (23 ઓગસ્ટ) વેપારી મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા.

Antilia Bomb Case: સુપ્રીમ કોર્ટે બુધવારે (23 ઓગસ્ટ) વેપારી મનસુખ હિરેનની હત્યા અને એન્ટિલિયા બોમ્બ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા.

જણાવી દઈએ કે જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે શર્મા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી અને NIA માટે એડિશનલ સોલિસિટર જનરલની દલીલો સાંભળી. રોહતગીએ કહ્યું કે પ્રદીપ શર્મા એક આદરણીય પોલીસ અધિકારી હતા જેઓ 37 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયા હતા.

એન્ટિલિયા બોમ્બ કેસ અને બિઝનેસમેન મનસુખ હિરેનની હત્યામાં ધરપકડ કરાયેલા પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે સોમવારે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાજે આ કેસમાં મુખ્ય આરોપી છે અને શર્માને વાજે સાથે જોડવાના કોઈ સીધા પુરાવા નથી. શર્મા પર માત્ર હિરેનની હત્યામાં સહ-ષડયંત્ર રચવાનો આરોપ છે. શર્મા વાજેને મળ્યા પણ આ દરમિયાન શું થયું? સામે આવ્યું નથી.

જણાવી દઈએ કે 24 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે શર્માની પત્નીની સર્જરીના કારણે તેમની વચગાળાની જામીન બે સપ્તાહ માટે વધારી દીધી હતી.

પ્રદીપ શર્મા મુંબઈ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચમાં ફાયરબ્રાન્ડ ઓફિસર રહી ચૂક્યા છે. તેઓ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાય છે. તેની પાસે 100 થી વધુ એન્કાઉન્ટર કરવાનો રેકોર્ડ છે. તેઓ 1983માં પોલીસ સેવામાં જોડાયા હતા અને 2019માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. આ પછી તેણે રાજકારણમાં એન્ટ્રી લીધી.

પ્રદીપ શર્માએ 2019માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેમનો પરાજય થયો હતો. આ પછી, 25 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ, તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોની શોધના સંબંધમાં ચર્ચામાં આવ્યા હતા. આ મામલે પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી.

NIAએ કહ્યું હતું કે, પ્રદીપ શર્મા ગેંગનો સક્રિય સભ્ય હતો, જેણે અંબાણી પરિવાર સહિત અન્ય લોકોને ડરાવવાનું કાવતરું ઘડ્યું હતું અને બાદમાં મનસુખ હિરેનની હત્યા કરી હતી, કારણ કે તે ષડયંત્રથી વાકેફ હતો. તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે હિરેન સમગ્ર ષડયંત્રથી વાકેફ હતો અને આરોપી શર્મા અને વાજે બંનેને આશંકા હતી કે હિરેન દ્વારા તેનો પર્દાફાશ થઈ શકે છે, જે તેમના માટે મુશ્કેલી ઊભી કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget