શોધખોળ કરો

Bengaluru Heavy Rain: બેંગ્લુરુમાં ભારે વરસાદ, 14 ફ્લાઈટ કરાઈ ડાયવર્ટ

બેંગલુરુ એરપોર્ટ નજીક ભારે વરસાદને કારણે  ફ્લાઈટ ઓપરેશનને ભારે અસર થઈ હતી. હવામાનની સ્થિતિ યોગ્ય થયા પછી જ ફ્લાઈટ્સ શરૂ થઈ શકી હતી.

Bengaluru Airport Flights Affected By Rain: બેંગલુરુ એરપોર્ટ નજીક ભારે વરસાદને કારણે  ફ્લાઈટ ઓપરેશનને ભારે અસર થઈ હતી. હવામાનની સ્થિતિ યોગ્ય થયા પછી જ ફ્લાઈટ્સ શરૂ થઈ શકી હતી.

એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર  શહેરની બહાર દેવનાહલ્લી ખાતે ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે મંગળવારે (4 એપ્રિલ) 14 ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવી પડી હતી.  6 ફ્લાઇટ્સ સમય પર ટેકઓફ ન કરી શકી.

46 મિનિટ સુધી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ

એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના ચમકારા સાથે ભારે પવન અને ભારે વરસાદને કારણે સાંજે 04:05 વાગ્યાથી 04:51 વાગ્યા સુધી ફ્લાઈટ્સનું સંચાલન સરળતાથી થઈ શક્યું નથી. તેમણે કહ્યું,  કુલ 14 ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.  6 ફ્લાઈટ્સ સમયસર ઉપડી શકી ન હતી.


એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર  શહેરની બહાર દેવનાહલ્લી સ્થિત કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાંજે ભારે વરસાદ પડ્યો હતો.એરપોર્ટના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડાયવર્ટ કરાયેલી 14 ફ્લાઈટ્સમાંથી 12ને ચેન્નાઈ, એક કોઈમ્બતુર અને એક હૈદરાબાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

એરલાઇન્સની ગણતરી મુજબ આ ફ્લાઇટ્સ 7 ઇન્ડિગો, 3 વિસ્તારા, 2 અકાસા એરલાઇન્સ અને ગો એર અને એર ઇન્ડિયાની 1-1 હતી. 6 ફ્લાઈટ મોડી પડી હતી. જોકે, સાંજે 4.51 વાગ્યા પછી સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. 

ગુજરાતમાં આગામી 3 દિવસ ફરી માવઠાનું સંકટ, ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ

 

હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર બાદ પૂર્વ કચ્છ ગાંધીધામના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ગાંધીધામમાં ભારે પવન સાથે કરાનો વરસાદ વરસ્યો. આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. કમોસમી વરસાદના કારણે રાજ્યમાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. 

કમોસમી વરસાદથી ઘઉંના ભાવ ઉંચકાયા

રાજયભરમાં ઉનાળામાં  મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી વરસી રહયા હતા. માવઠું થવાના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ ખેત પેદાશોને મોટા પાયે નુકસાન થયુ છે. જેની સૌથી વધુ અસર ઘઉંના ભાવ ઉપર જોવા મળી રહી છે. ઘઉંની જુદી-જુદી કવોલીટીના ભાવ ઉઘડતી સીઝને જ કિવન્ટલ દીઠ  500 થી 900 સુધી વધી ગયા છે. માવઠાએ તમામ ખેત જણસને માઠી અસર પહોંચાડી છે. માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની હરાજી દરમિયાન માંગ અને ભાવમાં ઉછાળો નોંધાતા ગૃહિણીઓના બજેટ ઉપર અસર પણ થઇ છે.

દર વર્ષે એપ્રિલ મે મહિનામાં ઘઉંની સીઝન શરુ થતાં ગૃહિણીઓ દ્વારા ખરીદી કરવાની તૈયારી કરે છે. ગત વર્ષની સરખામણીએ સામાન્ય ઘઉં જે મણ દીઠ  400થી 500 સુધીના ભાવે વેચાણ થતા હતા. જે હવે માવઠું થવાથી જુદી જુદી કવોલીટી મુજબ ઘઉંના ભાવમાં  550થી 650 મણ દીઠ ભાવ વધી ગયા છે. ગત વર્ષે મધ્યમ ગુણવત્તાના ઘઉં આ વર્ષે મણ દીઠ  600 થી વધુ પહોંચ્યા છે. તેમજ ઉચ્ચ કવોલિટીના ઘઉંમાં હજુ પણ ભાવ વધારો થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget