![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સાવધાન! કોરોનાની સારવારમાં ડોક્ટર ન કહે ત્યાં સુધી આ ચાર દવાઓ ક્યારેય ન લેવી
દવા કેમિકલ અથવા યોગિક હોય છે જેનો ઉપયોગ સારવાર, બીમારીની ઓળખ પર લક્ષણોને સામાન્ય કરવામાં આવે છે.
![સાવધાન! કોરોનાની સારવારમાં ડોક્ટર ન કહે ત્યાં સુધી આ ચાર દવાઓ ક્યારેય ન લેવી beware do not take these medicines in covid 19 unless your doctor prescribes સાવધાન! કોરોનાની સારવારમાં ડોક્ટર ન કહે ત્યાં સુધી આ ચાર દવાઓ ક્યારેય ન લેવી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/19100041/1-HC-quashes-ban-on-344-drugs-including-DCold-Total-Corex-Vicks-Action-500.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ક્યારેય ક્યારેક એવું લાગે છે કે બીમારીઓ કરતાં વધારે દવાઓ છે, અને માટે જ કેટલાક લોકો ફાર્મસી અથવા અન્ય સ્ટોરથી ખરીદી લે છે. જોકે કેટલાક લોકો ડ્કટરના નુસ્ખાની રાહ જોતા હોય છે. પરંતુ હાલમાં મોટેભાગે જોવા મળ્યું છે કે, ભારતીયો હવે ખુદ જ જાતે જ નક્કી કરીને એવી દવાઓ લઈ રહ્યા છે જે કોરોના પોઝિટિવ આવ્યા અથવા લક્ષણ દેખાયા બાદ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને આપવામાં આવતી હોય છે. ડોક્ટરોનું કહેવું છે કે, આ દર્દીઓએ બાદમાં હોસ્પિટલ જવું પડે છે અને સ્વીકાર્યું છે કે આઈવરમેક્ટિન, હાઈડ્રોક્સીક્લેરેક્વીનનો ઉપયોગ ગંભીર દર્દીને બચાવવા માટે કરવામાં આવે છે.
દવા કઈ છે અને કેવી રીતે બને છે ?
દવા કેમિકલ અથવા યોગિક હોય છે જેનો ઉપયોગ સારવાર, બીમારીની ઓળખ પર લક્ષણોને સામાન્ય કરવામાં આવે છે. કેટલીક દવાઓ પ્રકૃતિમાં મળી આવતા ઘટકથી બને છે અને ત્યાં સુધી કે અનેક લોકો વૃક્ષમાંથી અર્ક કાઢે છે. કેટલીક દવાઓ અનેક જુદા જુદા કેમિકલ મળીને તૈયાર કરવામાં આવે છે. કેટલીક જેનેટીક રીતે બેક્ટેરિયામાં જીન દાખલ કરીને જરૂરી ઘટક બનાવવામાં આવે છે. પરંતુ જો તમને તમારા જીવની ચિંતા હોય તો આ દવાઓ લેવાથી બચવું કારણ કે તેની અનેક આડઅસરો છે.
ડોક્ટરની સલાહ વગરન લેવી આ દવા
રેમડેસિવિરઃ રેમડેસિવિર દવાનો ઉપયોગ ઘરેલુ ઉપયોગ માટે નથી. તેને માત્ર હોસ્પિટલમાં જ આપી શકાય. કોરોનાના મધ્યમથી ગંભીર લક્ષણમાં પૂરક ઓક્સીજનની જરૂરિયાત હોય તેવા દર્દીને જ રેમડિસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્ટેરોઈડ્સઃ સ્ટેરોઈડન્સ જેવા ડેક્સામેથાસોનનો ઉપયોગ હોસ્પિટલમા માત્ર ગંભીર સ્થિતિ માટે કરવામાં આવે છે. 60 વર્ષથી વધારે સમયથી તે બજારમાં ઉપલભ્દ છે. સામાન્ય રીતે સોજો ઓછો કરવા માટે તેનો ઉપયોગ થાય છે. માટે જાતે દવા લેવી ન જોઈએ.
એન્ટીકોઆગુલન્ટ્સઃ આ દાવઓ ક્લોટિંગ ઘટાડે છે, પરંતુ તેને ડોક્ટરની સલાહ બાદ જ મધ્યણ અથવા ગંભીર કેસમાં આપવામાં આવે છે. રાસાયણિક પદાર્થ એન્ટીકોઆગુલન્ટ્સ એટલે કે સામાન્ય રીતે લોહી પાતળું કરવા માટે ઓળખવામાં આવે છે. જે લોહી જામી જવાથી રોક છે.
ટોસિલિજુમેબઃ ઇમ્યૂનોસપરસેન્ટનો મતલબ ગંભીર સ્થિતિ માટે થાય છે. સ્ટેરોઈડન્સ આપવાના 24-48 કલાક બાદ દર્દીની સ્થઇતિમાં કોઈ સુધારો ન આવવા પર આ દવા આપવામાં આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)