![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rahul Gandhi: આજે બંગાળ પહોંચશે રાહુલ ગાંધીની 'ન્યાય યાત્રા', પાંચ દિવસમાં છ લોકસભા બેઠકોને સાધશે કોગ્રેસ
Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે પશ્ચિમ બંગાળમાં પ્રવેશવા જઈ રહી છે
![Rahul Gandhi: આજે બંગાળ પહોંચશે રાહુલ ગાંધીની 'ન્યાય યાત્રા', પાંચ દિવસમાં છ લોકસભા બેઠકોને સાધશે કોગ્રેસ Bharat Jodo Nyay Yatra: Rahul Gandhi's 'Nyay Yatra' to enter Bengal on Thursday Rahul Gandhi: આજે બંગાળ પહોંચશે રાહુલ ગાંધીની 'ન્યાય યાત્રા', પાંચ દિવસમાં છ લોકસભા બેઠકોને સાધશે કોગ્રેસ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/25/865d7e82763c424a1b82c38d1d94c1e9170614621063874_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા આજે પશ્ચિમ બંગાળમાં પ્રવેશવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ છે. નોંધનીય છે કે ટીએમસીએ એક દિવસ અગાઉ જાહેરાત કરી હતી કે તે રાજ્યમાં લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે.
Today’s schedule of the #BharatJodoNyayYatra!#SahoMatDaroMat pic.twitter.com/Z5OBrmdBgD
— Bharat Jodo Nyay Yatra (@bharatjodo) January 25, 2024
યાત્રા આ જિલ્લાઓમાં જશે
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કોંગ્રેસ યાત્રા 25 જાન્યુઆરીએ બંગાળના કૂચ બિહાર જિલ્લાના બક્ષીરહાટથી રાજ્યમાં પ્રવેશ કરશે. રાહુલ ગાંધી શહેરના મા ભવાની ચોકથી પદયાત્રાનું નેતૃત્વ કરશે. આ યાત્રા 29 જાન્યુઆરીએ બિહારમાં પ્રવેશ કરશે. જો કે, 31 જાન્યુઆરીએ યાત્રા ફરીથી માલદાથી બંગાળમાં પ્રવેશ કરશે. બંગાળમાં આ યાત્રા જલપાઈગુડી, અલીપુરદ્વાર, ઉત્તર દિનાજપુર, દાર્જિલિંગ, માલદા અને મુર્શિદાબાદ જિલ્લામાંથી પસાર થશે. આ યાત્રા બંગાળમાં કુલ પાંચ દિવસ ચાલશે જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છ જિલ્લા અને છ લોકસભા બેઠકોમાં જશે.
ટીએમસીએ લગાવ્યા આરોપ
બંગાળ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પ્રદીપ ભટ્ટાચાર્યનું કહેવું છે કે અમને આશા છે કે ભારત જોડો ન્યાય યાત્રા બંગાળ કોંગ્રેસ એકમને નવું જીવન આપશે. આ યાત્રા અમને માત્ર સંગઠનાત્મક રીતે જ નહીં પરંતુ ચૂંટણીલક્ષી રીતે પણ આગળ વધવામાં મદદ કરશે. આ યાત્રામાં સીપીએમ અને ડાબેરી પક્ષો તેમજ કોંગ્રેસના અન્ય સાથી પક્ષો ભાગ લે તેવી અપેક્ષા છે. જો કે, મમતા બેનર્જીએ યાત્રા પર કહ્યું હતું કે શું શિષ્ટાચારની રીતે કોંગ્રેસે મને કહ્યું છે કે તેઓ યાત્રા માટે બંગાળ આવી રહ્યા છે. મને તે અંગેની કોઇ જાણકારી નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપા દાસમુંશીએ કહ્યું કે મને લાગે છે કે ટીએમસી ભાજપને મદદ કરવાનો પ્રયાસ કરી રહી છે.
મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી
જોકે, ઇન્ડિયા ગઠબંધનમાં હજુ પણ ઘણો સંઘર્ષ ચાલી રહ્યો છે. એક દિવસ પહેલા જ બેનર્જીએ કહ્યું હતું કે ગઠબંધને મારો એક પણ પ્રસ્તાવ સ્વીકાર્યો નથી. આવી સ્થિતિમાં અમારી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે બંગાળમાં કોઈપણ પક્ષ વચ્ચે તાલમેલ નથી. એટલું જ નહીં, તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા માટે તેમને હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે અમે એક સેક્યુલર પાર્ટી છીએ અને ભાજપને હરાવવા માટે જે પણ કરવું પડશે તે કરીશું. અમે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો છીએ, તેમ છતાં ભારત જોડો યાત્રાના આયોજન અંગે અમારી સાથે ચર્ચા કરવામાં આવી ન હતી. બંગાળને લગતી કોઈપણ બાબતમાં અમારે તેમની સાથે કોઈ સંપર્ક થયો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)