Bihar Result: કેમ ફેઇલ થઇ ગઇ તેજસ્વી યાદવની સ્ટ્રેટેજી ? 5 પોઇન્ટમાં સમજો ક્યાં થઇ ચૂક
Bihar Election Result: તેજસ્વીએ મહાગઠબંધનમાં કોંગ્રેસનો સમાવેશ કરીને મોટી ભૂલ કરી. બિહારમાં કોંગ્રેસનો આધાર નબળો છે. તેના બદલે, કોંગ્રેસે ઘણી બેઠકો પર આરજેડીના પરંપરાગત મતદારોને કાપી નાખ્યા

Bihar Election Result: બિહારમાં બે તબક્કાની વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. 14 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ થઇ હતી. સવારથી જ NDAએ સતત લીડ જાળવી રાખી હતી. બીજીતરફ, મહાગઠબંધનને આ વખતે ઝટકો લાગ્યો છે. સૌથી મોટા વિપક્ષી નેતા અને મુખ્યમંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવ ચૂંટણી પહેલા પણ મોટા મોટા વચનો આપી રહ્યા હતા. નોકરીઓથી લઈને મહિલાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા સુધીના તેજસ્વી યાદવના બધા વચનો નિષ્ફળ ગયા છે. તેજસ્વી યાદવની રણનીતિ ક્યાં નિષ્ફળ ગઈ તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
તેજસ્વીની રણનીતિ ક્યાં નિષ્ફળ ગઈ
તેજસ્વી યાદવની રણનીતિની નિષ્ફળતા અંગે ઘણી અટકળો ફેલાઈ રહી છે. આ સંદર્ભમાં, આપણે તેજસ્વીની સૌથી મોટી નિષ્ફળતા ગણાતા પાંચ મુખ્ય મુદ્દાઓની તપાસ કરીશું. તેજસ્વીની હાર તરફ દોરી ગયેલા પાંચ મુખ્ય પરિબળો નીચે મુજબ છે:
1. કોંગ્રેસ સાથે ગઠબંધન
તેજસ્વીએ મહાગઠબંધનમાં કોંગ્રેસનો સમાવેશ કરીને મોટી ભૂલ કરી. બિહારમાં કોંગ્રેસનો આધાર નબળો છે. તેના બદલે, કોંગ્રેસે ઘણી બેઠકો પર આરજેડીના પરંપરાગત મતદારોને કાપી નાખ્યા. સીટ-શેરિંગ વ્યવસ્થામાં કોંગ્રેસને બેઠકો આપવી પણ આરજેડી માટે મોંઘી સાબિત થઈ, કારણ કે તેણે મોટાભાગની બેઠકો ગુમાવી. આ ગઠબંધન ફક્ત નામનું હતું, જેનો કોઈને ફાયદો થયો નહીં.
2. સીટ વહેંચણી અંગે રાહુલ ગાંધીના પાછળ દોડતા રહ્યાં
તેજસ્વીએ સીટ વહેંચણી અંગે કોંગ્રેસ નેતૃત્વને ખુશ કરવામાં ઘણો સમય બગાડ્યો. તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની મંજૂરી માટે મહિનાઓ રાહ જોઈ. આ સમય દરમિયાન, પાયાની કામગીરીની અવગણના કરવામાં આવી. કોંગ્રેસને ઘણી મજબૂત બેઠકો આપવામાં આવી, જ્યાં આરજેડીના દિગ્ગજ નેતાઓ પણ ચૂંટણી લડી શકે છે. પરિણામે, આરજેડીનું પોતાનું સંગઠન નબળું પડ્યું અને ગઠબંધનમાં અસંતોષ વધ્યો.
3. મુકેશ સાહની સામે ઝૂકતા રહ્યા, ડેપ્યુટી સીએમ પદ માટે પણ સંમત થયા
મુકેશ સાહનીના વીઆઈપી પક્ષને 10 થી વધુ બેઠકો આપવામાં આવી અને ડેપ્યુટી સીએમ પદ ઓફર કરવામાં આવ્યું. જોકે, સાહનીનો પ્રભાવ થોડા નિષાદ-પ્રભુત્વવાળા વિસ્તારો સુધી મર્યાદિત છે. તેજસ્વીએ નાના સાથી પક્ષને આટલું મહત્વ આપીને તેમની મુખ્ય મતબેંક (યાદવ-મુસ્લિમ) ને નારાજ કરી.
4. વાસ્તવિક મુદ્દાને અવગણીને મત ચોરી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
તેજસ્વીએ રોજગાર, શિક્ષણ અને આરોગ્ય જેવા વાસ્તવિક મુદ્દાઓને અવગણીને "મત ચોરી" અને "EVM હેકિંગ" જેવા આરોપો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આનાથી લોકોનું ધ્યાન ભટકાયું, અને NDA એ તેનો ઉપયોગ "RJD એ હાર સ્વીકારી લીધી છે" તેવા દાવાને જાહેર કરવા માટે કર્યો.
5. મહિલાઓના મોટા મતદાને આરજેડીની બાજી બગાડી
આ ચૂંટણીમાં મહિલાઓએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કર્યું. નીતિશ કુમારની દારૂબંધી, સાયકલ યોજના અને મહિલા અનામત જેવી પહેલોનો સીધો ફાયદો જેડીયુ અને ભાજપને થયો. આરજેડીનું "10 લાખ નોકરીઓ"નું વચન મહિલાઓ સુધી પહોંચવામાં નિષ્ફળ ગયું. ગ્રામીણ મહિલાઓએ સુરક્ષા અને યોજનાઓના નામે એનડીએને મતદાન કર્યું.





















