શોધખોળ કરો

આમ આદમી પાર્ટી ભગવાન શ્રીકૃષ્ણ જેવી છે, રાક્ષસોના વધ કરી રહી છેઃ અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા

Arvind Kejriwal On BJP: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ભગવાન શ્રીકૃષ્ણ જેવી છે. આમ આદમી પાર્ટી ભગવાન શ્રીકૃષ્ણની જેમ રાક્ષસોનો વધ કરી રહી છે. દેશે પ્રથમવાર ઇમાનદાર પાર્ટી જોઇ છે. ગુજરાત સરકાર પર દેવું છે. ભાજપે આપને કચડવાનો પ્લાન કર્યો છે. અમારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે.  આપના ધારાસભ્યો પર 169 કેસ કરવામાં આવ્યા છે. મોહલ્લા ક્લિનિકની દુનિયાભરમાં ચર્ચા છે.

 કાર્યકરોને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે  ભાજપ આમ આદમી પાર્ટીને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેઓ નથી જાણતા કે અમારા નેતાઓ કટ્ટર પ્રમાણિક છે.

 અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપે પહેલા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી અને પછી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પાછળ પડી ગયા. મનીષના ઘરેથી કંઈ મળ્યું નહોતું, ત્યારપછી સીબીઆઈ અને ઈડીના લોકો ગયા, ત્યાં તેમને કંઈ ન મળ્યું.  હવે તેઓ પ્લાન કરી રહ્યા છે કે તેઓ 5-7 લોકો પર દરોડા પાડશે અને બાદમાં કહે છે કે મનીષ સિસોદિયાના સાથીદારને અહીંથી બધું મળી ગયું છે.

અમાનતુલ્લાની ધરપકડ પર CMએ શું કહ્યું?

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનો ઉલ્લેખ કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોઈ પણ ભ્રષ્ટાચારી વ્યક્તિ સવારે વહેલા ઉઠીને શાળાઓમાં નથી જતો. કેજરીવાલે અમાનતુલ્લા ખાનની ધરપકડ પર પણ વાત કરી હતી. સીએમએ કહ્યું કે અમારા ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને કોઇ પણ કારણ વિના પકડી લેવામાં આવ્યા છે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપનું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. તેમણે કહ્યું કે તેમણે અમારા ધારાસભ્યોને 20-20 કરોડ રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક પણ ધારાસભ્ય તૂટ્યો નહીં. કેજરીવાલે કહ્યું કે દિલ્હી પછી પંજાબ ગયા અને ત્યાંના ધારાસભ્યોને 25 કરોડ રૂપિયા આપવાની વાત કરી, પરંતુ ત્યાં એક પણ ધારાસભ્ય તૂટ્યો નહીં.

 તેમણે કહ્યું કે ગઈકાલથી ધારાસભ્યોને ફોન આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તમારી પણ અમાનતુલ્લા ખાન જેવી જ હાલત હશે. CBI અને EDને પણ તમારી પાછળ લગાવીશું. કેજરીવાલે કહ્યું કે દરેક વ્યક્તિ આગામી કેટલાક મહિનાઓ સુધી જેલમાં જવા માટે તૈયાર રહે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Embed widget