શોધખોળ કરો

માલ્યાની લૂકઆઉટ નોટિસમાં ફેરફાર પર CBIએ માની ભૂલ, જાણો કેમ બદલવામાં આવી હતી નોટિસ?

નવી દિલ્હીઃ લંડનમાં વિજય માલ્યાએ નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાતના દાવાને લઇને શરૂ થયેલા વિવાદ વચ્ચે સીબીઆઇએ લૂકઆઉટ નોટિસમાં ફેરફાર પર પોતાની ભૂલ માની હતી. માલ્યાને નોટિસમાં અટકાયતને બદલીને ફક્ત જાણકારી આપવાનો ફેરફાર કરાયો હતો. સીબીઆઇએ ગુરુવારે કહ્યું હતું કે, વિજય માલ્યા વિરુદ્ધ 2015માં લૂકઆઉટ સર્કુલરમાં ફેરફાર કરીને ‘એરર ઓફ જજમેન્ટ’ કરવામાં આવ્યું હતું. તે સમયે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ સવાલ ઉઠાવ્યા હતા. લૂકઆઉટ નોટિસમાં ફેરફારનું કારણ જણાવતા સીબીઆઇએ જણાવ્યું હતું કે તે સમયે વિજય માલ્યા તપાસમાં સહયોગ આપી રહ્યો હતો અને તેના વિરુદ્ધ કોઇ વોરંટ પણ નહોતું. ત્રણ વર્ષ બાદ આ વિવાદ ફરી સામે આવતા સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું કે, 12 ઓક્ટોબર 2015માં જ્યારે પ્રથમવાર લૂકઆઉટ સર્કુલર જાહેર કરાયો હતો ત્યારે માલ્યા વિદેશમાં હતો. માલ્યા પાછો ફર્યો ત્યારે બ્યૂરો ઓફ ઇમીગ્રેશને સીબીઆઇને પૂછ્યું  એલઓસીમાં કહેવામાં આવ્યું છે તેમ  શું માલ્યાની અટકાયત કરવાની છે કે નહીં? જેના પર સીબીઆઇએ કહ્યું હતું કે તેની ધરપકડ કરવાના કે અટકાયત કરવાની કોઇ જરૂર નથી કારણ કે તે હાલમાં એક સાંસદ છે અને તેના વિરુદ્ધ કોઇ વોરંટ પણ નથી. સીબીઆઇએ તે સમયે કહ્યું હતું કે, તેને ફક્ત માલ્યાના આવવા જવાની સૂચના જોઇએ છે. સીબીઆઇના સૂત્રોના મતે માલ્યા વિરુદ્ધ તપાસ પ્રાથમિક તબક્કામાં હતી તે સમયે 9000 કરોડ રૂપિયાના લોન ડિફોલ્ટર મામલે આઇડીબીઆઇથી દસ્તાવેજ પ્રાપ્ત કરી રહી હતી. નવેમ્બર 2015ના અંતિમ સપ્તાહમાં માલ્યા વિરુદ્ધ એક નવું એલઓસી જાહેર કરવામાં આવ્યું જેમાં દેશભરના તમામ એરપોર્ટ્ને માલ્યાના આવવા જવાની સૂચના આપવાનું કહેવામાં આવ્યુ. આ સર્કુલર જાહેર થતા અગાઉ જાહેર કરવામાં આવેલુ માલ્યાની અટકાયત કરવાનું સર્કુલર રદ થઇ ગયું હતું. બ્યૂરો ઓફ ઇમિગ્રેશન ત્યાં સુધી કોઇની અટકાયત કરી શકતું નથી જ્યાં સુધી સર્કુલરમાં એવું કહેવામાં આવ્યું ના હોય. સૂત્રોએ કહ્યું કે, માલ્યાએ ઓક્ટોબરમાં વિદેશની યાત્રા કરી અને નવેમ્બરમાં પાછો ફર્યો પછી તે ડિસેમ્બર અગાઉ અને અંતિમ સપ્તાહમાં બે વિદેશ યાત્રા કરી અને ત્યારબાદ જાન્યુઆરી 2016માં એક પ્રવાસ કર્યો. આ વચ્ચે તે ત્રણ વખત પૂછપરછ માટે હાજર થયો હતો કારણ કે લૂકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યા હતા. સીબીઆઇએ કહ્યું નોટિસમાં ફેરફાર કરવામાં આવ્યો કારણ કે તે સહયોગ કરી રહ્યો હતો. જેથી વિદેશ જતો રોકવા પાછળ કોઇ કારણ નહોતું. નોંધનીય છે કે 2 માર્ચ 2016માં વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયો હતો. હાલમાં માલ્યા બ્રિટનમાં રહે છે અને ભારત સરકાર સામે પ્રત્યાર્પણનો કેસ લડી રહ્યો છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget