Corona Vaccine: કોરોના રસીને વંધ્યત્વ સાથે સંબંધ છે ? જાણો નીતિ આયોગે શું કહ્યું
હાલ, કોવેક્સિન, કોવિશીલ્ડ, સ્પુતનિક-વી તથા મોડર્ના એમ ચાર રસી છે. ફાઇઝર સાથેની ડીલ ટૂંક સમયમાં જ થશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિંયટના કુલ 51 કેસ છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે. આ દરમિયાન આજે નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પૌલે પ્રેસ કોન્ફરન્સમાં ઘણી મહત્વની વિગતો આપી હતી.
શું કહ્યું ડો. વી.કે.પૌલે
- ડો.પૌલે કહ્યું, મોડર્નાની રસીને મંજૂરી આપવામાં આવી છે. જે આંતરરાષ્ટ્રીય ધોરણે વિકસાવેલી પ્રથમ રસી છે. જેનો મર્યાદીત ઉપયોગ કરવાની મંજૂરી અપાઈ છે.
- હાલ, કોવેક્સિન, કોવિશીલ્ડ, સ્પુતનિક-વી તથા મોડર્ના એમ ચાર રસી છે. ફાઇઝર સાથેની ડીલ ટૂંક સમયમાં જ થશે.
- સ્તનપાન કરાવતી માતાઓ માટે ચારેય રસી સલામત છે. રસીનો વંધ્યત્વ સાથે કોઈ સંબંધ નથી.
- ગર્ભવતી મહિલાઓને કોરોના રસીને લઈ ટૂંક સમયમાં એડવાઇઝરી બહાર પાડવામાં આવશે. વેક્સિન ગર્ભવતી મહિલાઓ માટે સલામત છે.
These four vaccines (Covaxin, Covishield, SputnikV and Moderna) are safe for lactating mothers. Vaccine has no association with infertility: Dr. VK Paul, Member-Health, Niti Aayog pic.twitter.com/DLjvW6Oqms
— ANI (@ANI) June 29, 2021
ભારતમાં કેટલા છે ડેલ્ટા પ્લસ વેરિયંટના કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિંયટના કુલ 51 કેસ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેને B.1.617.2ને ડેલ્ટા પ્લસ નામ આપ્યું છે. સૌથી પહેલા જેનેટિક ડેલ્ટા પલ્સને AY.1, નામથી ઓળખાયો હતો અને તે સૌ પ્રથમ માર્ચ મહિનામાં યુરોપના દેશોમાં જોવા મળ્યો હતો. એપ્રિલ માસમાં ક્રમશ પાંચ કેસ યૂકેમાં ડેલ્ટા પ્લસના નોંધાયા હતા. મૂળ ડેલ્ટા કોરોનાવાયરસના એક અલગ સ્વરૂપ તરીકે જ ઓળખવામાં આવ્યો છે. તેમાં કેટલાક વિશિષ્ટ પરિવર્તન દર્શાવવામાં આવ્યા હતા. જે અન્ય વેરિયન્ટથી અલગ રીતે વર્તે છે. હાલ 80થી વધુ દેશોમાં આ વાયરસ ફેલાઇ ચૂક્યો છે.
A total of 51 Delta plus variant cases reported in India: Union Health Ministry pic.twitter.com/10h3lQ0W8D
— ANI (@ANI) June 29, 2021
કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે
દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.80 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર
કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
and tablets