શોધખોળ કરો

COVID 19: દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 35 હજારને પાર, મૃત્યુઆંક 1174 પર પહોંચ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોનાથી સંક્રમિત 25007 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 8888 લોકો સાજા થઈ ગયા છે

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધીને 1147 થઈ ગઈ છે. જ્યારે સંક્રમિત દર્દીઓનો આંકડો 35,043 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોનાથી સંક્રમિત 25007 લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 8888 લોકો સાજા થઈ ગયા છે અને એક વ્યક્તિ દેશમાંથી બહાર ગયો છે. દેશમાં કુલ સંક્રમિત લોકોમાં 111 વિદેશી નાગરિક છે. છેલ્લા 24 કલાકમાં 1993 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એક દિવસમાં 73 લોકોના મોત થયા છે. સૌથી વધુ સંક્રમિત દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહીં 10498 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે અને તેમાંથી 459 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે 1773 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. કયા રાજ્યામાં કેટલા કેસ ? આંધ્રપ્રદેશ- 1403, અંદમાન નિકોબાર-33, અરૂણાચલ પ્રદેશ-1, આસામ-42, બિહાર-418, ચંદીગઢ-56, છત્તીસગઢ-40, દિલ્હી-3515, ગોવા-7, ગુજરાત- 4395, હરિયાણામાં-313, હિમાચલ પ્રદેશ -40, જમ્મુ કાશ્મીર-614, ઝારખંડ-109, કર્ણાટક- 535, કેરળ-497, લદાખ-22, મધ્યપ્રદેશ-2660, મહારાષ્ટ્ર- 10498, મણિપુર-2, મેઘાલય-12, મિઝોરમ-1, ઓડિશા-142, પોંડીચેરી-8, પંજાબ-357, રાજસ્થાન-2584, તમિલનાડુ-2323, તેલંગણા-1038, ત્રિપુરા-2, ઉત્તરાખંડ-57, ઉત્તર પ્રદેશ-2203 અને પશ્ચિમ બંગાળ-795 દર્દીઓ કોરનાથી સંક્રમિત છે. કયા રાજ્યમાં કેટલા મોત ? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટના આંકડા અનુસાર, કોવિડ-19થી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 459 લોકોનાં મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 214, મધ્યપ્રદેશમાં-137,  તેલંગણામાં 26, દિલ્હીમાં 59, પંજાબમાં 19, પશ્ચિમ બંગાળ 33, કર્ણાટકમાં 21, ઉત્તર પ્રદેશ 39, રાજસ્થાન-28, કેરળ-4, જમ્મુ-કાશ્મીરમાં 8, આંધ્રપ્રદેશ 31, બિહાર -2, તમિલનાડુ-27, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં એક એક મોત થયા છે. કોરોના વાયરસ વિરુધ્ધની જંગમાં રાહતના સમાચાર એ પણ છે કે, દેશમાં ડબલિંગ રેટની સાથે રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે “કોવિડ-19ના દર્દીઓના સ્વસ્થ થવાનો દર છેલ્લા 14 દિવસમાં 13.06 ટકાથી વધીને હવે 25 ટકા થઈ ગયો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 3.2 ટકા છે. જેમાં 65 ટકા પુરુષ અને 35 ટકા મહિલાઓ સામેલ છે.” તેઓએ જણાવ્યું કે, કોરોનાના કેસ હવે 11 દિવસમાં ડબલ થઈ રહ્યાં છે, લોકડાઉન પહેલા 3.4 દિવસમાં ડબલ થઈ રહ્યાં હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
SIP Calculator: દર મહિને ₹10,000 ની એસઆઈપી કરો તો 20 વર્ષ પછી કેટલું ફંડ જમા થાય, જુઓ ગણતરી
India Foreign Debt: ભારત પર કેટલું છે વિદેશી દેવું, સૌથી વધારે કયા દેશ પાસેથી લીધી છે લોન?
India Foreign Debt: ભારત પર કેટલું છે વિદેશી દેવું, સૌથી વધારે કયા દેશ પાસેથી લીધી છે લોન?
Embed widget