શોધખોળ કરો

સમગ્ર દેશ COVID 19 સામે યુદ્ધ લડી રહ્યો છે, કૉંગ્રેસ મોદી સરકાર સામે લડી રહી છે- ભાજપ

સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં આપવામાં આવેલા કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું છે કે જ્યારે પૂરો દેશ COVID 19 સામે યુદ્ધ લડી રહ્યો છે, કૉંગ્રેસ કેંદ્ર સરકાર સામે લડી રહી છે.

નવી દિલ્હી : સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં આપવામાં આવેલા કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું છે કે જ્યારે પૂરો દેશ COVID 19 સામે યુદ્ધ લડી રહ્યો છે, કૉંગ્રેસ કેંદ્ર સરકાર સામે લડી રહી છે. કૉંગ્રેસના આ વ્યવહાર પર કોઈ દિવસ સવાલ ઉઠાવાશે અને તેણે આનો જવાબ આપવો પડશે. તેમણે કહ્યું કે આપણે એક થઈને આ લડાઈ સામે લડી રહ્યા છીએ પરંતુ આ સ્થિતિમાં માત્ર કૉંગ્રેસ જ એક એવી પાર્ટી છે જે પીએમ નરેંદ્ર મોદી અને સરકાર સામે લડી રહી છે. જાવડેકરે કહ્યું કે રાહુલ ગાંધી કયારેય રચનાત્મક સૂચનો નથી આપતા તે માત્ર સરકારનો વિરોધ કરવા માટે સૂચન અને સલાહ આપે છે. આ નિંદનીય છે. દેશની જનતા આ પ્રકારનો વ્યવહારને સહન નહી કરે. જાવડેકરે કહ્યું કે આજે રાહુલ ગાંધીનું ટ્વિટ સરકારના વિરોધની શ્રેણીમાં આવે છે. બીજુ કોઈ નહી, પરંતુ રાહુલ ગાંધી અને તેમની ગૈંગ સરકારનો વિરોધ કરી રહી છે. કોરોના મહામારી વચ્ચે થયેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ભાજપ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે કોરોના સામે લડાઈના સમયે ભાજપ નફરતનો વાયરસ ફેલાવી રહી છે. કોરોનાના સમયે ભાજપ પર સામ્પ્રદાયિક રાજકારણ કરવાથી બાજ ન આવવાનો આરોપ લગાવતા કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું, જ્યારે આપણે બધાએ સાથે મળીને કોરોના સામે લડવું જોઈએ ત્યારે ભાજપ સામ્પ્રદાયિક પૂર્વાગ્રહ અને નફરતનો વાયરસ ફેલાવી રહી છે જે ચિંતાજનક છે. તેનાથી સામાજિક સૌહાર્દેનું મોટુ નુકશાન થઈ રહ્યું છે. આપણે આ નુકશાનની ભરપાઈ કરવી પડશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget