શોધખોળ કરો

Delhi News: DCW અધ્યક્ષ Swati Maliwalના ઘર પર હુમલો, મુખ્યમંત્રી કેજરીવાલે શું આપ્યું નિવેદન ?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માલીવાલ પરના આ હુમલાની આકરી ટીકા કરી છે

Delhi News: દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સોમવારે સવારે કેટલાક હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસ્યા હતા જેમણે તેમની અને તેમની માતાની કારને તોડી નાખી હતી. જોકે તે સદનસીબે તે સમયે સ્વાતિ માલીવાલ અને તેમની માતા ઘરે હાજર નહોતા. પરંતુ જ્યારે તેઓએ ઘરે આવીને જોયું તો તેની અને તેમની માતાની કારનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો. સ્વાતિ માલીવાલે આ સમગ્ર મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર ઘટના અંગે સ્વાતિ માલીવાલે એક વીડિયો જાહેર કરીને તે લોકોને કડક સંદેશ આપ્યો છે જેમણે તેમના ઘર પર હુમલો કર્યો છે. તેમનું કહેવું છે કે તેમના 7 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે એવા ઘણા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે જેઓ મોટા પાયે મહિલાઓનું શોષણ કરતા હતા અને તેમની વિરુદ્ધ ખોટું કામ કરતા હતા. આવી સ્થિતિમાં તેણીને ઘણી વખત ધમકીઓ મળી રહી છે, પરંતુ તેઓ  ડરશે નહી. તે પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે અને મહિલાઓ સામેના ગુના અને શોષણને રોકવા માટે પગલાં લેશે.

શું કહ્યું અરવિંદ કેજરીવાલે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માલીવાલ પરના આ હુમલાની આકરી ટીકા કરી છે. કેજરીવાલે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. સીએમ કેજરીવાલે કહ્યું, "છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ પણ સુરક્ષિત નથી. ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે. હું આશા રાખું છું કે એલજી સાહેબ પણ કાયદો અને વ્યવસ્થાને ઠીક કરવા માટે થોડો સમય આપશે.

બળાત્કારની ધમકી મળી હતી.

આ પહેલા સ્વાતિ માલીવાલે માહિતી આપી હતી કે સોશિયલ મીડિયા પર પણ આવી જ બળાત્કારની ધમકીઓ મળી હતી. તેણે રિયાલિટી શો બિગ બોસમાં સ્પર્ધક તરીકે દેખાતા બોલિવૂડ ડાયરેક્ટર સાજિદ ખાનને હટાવવાની માંગ કરી હતી. ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો દ્વારા બળાત્કારની ધમકી પણ આપવામાં આવી હતી, જેના વિશે સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલાને લઈને દિલ્હી મહિલા આયોગે એફઆઈઆર નોંધાવીને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat ATS | Vikas Sahay | અમદાવાદમાંથી 4 આતંકી ઝડપાયા | કોણ હતું નિશાના પર?Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
સૌથી મોટા સમાચાર, EPFOએ બદલ્યો નિયમ, PF ખાતાધારકના મોત પર હવે નોમિનીને સરળતાથી મળશે પૈસા!
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
અમદાવાદમાંથી પકડાયેલા ISISનાં આતંકીઓ માત્ર કઈ ભાષા જાણે છે? પિસ્ટલ પરથી શેનું મળ્યું નિશાન, જાણો વિગત
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Budh Gochar 2024: શુક્રની રાશિમાં જલદી આવશે બુધ, આ 5 રાશિને થઈ શકે છે પૈસાની તંગી
Red Alert in Ahmedabad: અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટની આગાહી, તંત્રએ લોકોને કરી આ ખાસ અપીલ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
IPL 2024: જો આવું થશે તો તૂટી જશે કરોડો ફેન્સનું દિલ! એલિમિનેટર રમ્યા વિના જ બહાર થઈ જશે RCB, જાણો કેમ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
OnePlus: ગૂડ ન્યૂઝ!  10 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે વનપ્લસનો આ 5G ફોન, ધાંસુ ફિચર્સ કરી દેશે હેરાન
OnePlus: ગૂડ ન્યૂઝ! 10 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે વનપ્લસનો આ 5G ફોન, ધાંસુ ફિચર્સ કરી દેશે હેરાન
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે
Embed widget