શોધખોળ કરો

Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં કોર્ટે રાહત આપી નહોતી

Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી લિકર પોલિસી કેસમાં કોર્ટે રાહત આપી નહોતી. કેજરીવાલને એક એપ્રિલ સુધી ઇડીની કસ્ટડી વધારવાનો કોર્ટે આદેશ આપ્યો હતો 

દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે EDની ટીમ ગુરુવારે બપોરે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચી હતી. જ્યાં ED અને કેજરીવાલ બંને તરફથી જોરદાર દલીલો આપવામાં આવી હતી. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલના ED રિમાન્ડને 5 દિવસ માટે લંબાવી હતી.  આજે ગુરુવારે કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ પૂરા થયા હતા. આ પછી EDએ તેને કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હીના સીએમના રિમાન્ડની માંગ કરતી વખતે EDએ કહ્યું કે મોબાઇલ ફોન (અરવિંદ કેજરીવાલની પત્નીના)માંથી ડેટા કાઢવામાં આવ્યો છે અને હાલમાં તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. જો કે, અન્ય ચાર ડિજિટલ ઉપકરણો (CM કેજરીવાલ સાથે સંબંધિત) માંથી ડેટા જપ્ત કરવામાં આવ્યો છે, જે 21 માર્ચ, 2024 ના રોજ દિલ્હીના મુખ્યમંત્રીના પરિસરમાંથી તપાસ દરમિયાન મળી આવ્યો હતો.

 

એએસજી એસવી રાજુએ કહ્યું હતું કે કેજરીવાલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેઓ પ્રશ્નોના સીધા જવાબો આપી રહ્યા નથી. EDએ અરવિંદ કેજરીવાલની 7 દિવસની કસ્ટડીની માંગણી કરી હતી. ASGએ કહ્યું, 'મળેલા ડિજિટલ ડેટાની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોને ગોવાથી બોલાવવામાં આવ્યા છે અને તેમને રૂબરૂ બેસીને તેમના નિવેદનો નોંધવા પડશે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કેજરીવાલની દલીલ

જ્યારે કેજરીવાલે કોર્ટ સમક્ષ તેમની ધરપકડનો વિરોધ કરતા કહ્યું કે, 'આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. સીબીઆઈનો કેસ ઓગસ્ટ 2022માં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે કોઈ અદાલતે મને દોષિત ઠેરવ્યો નથી ત્યારે મારી ધરપકડ કેમ કરવામાં આવી? ઈડીનો ઈરાદો મારી ધરપકડ કરવાનો હતો. માત્ર ચાર લોકોના નિવેદનમાં મારું નામ આવ્યું હતું. જે લોકોએ મારી તરફેણમાં નિવેદનો આપ્યા હતા તેમના નિવેદનો મારી વિરુદ્ધ બળજબરીથી મેળવવામાં આવ્યા છે. તેઓ AAPને તોડવા માંગે છે. 

-આના પર જજે કહ્યું કે તમે લેખિત નિવેદન કેમ નથી આપતા. કેજરીવાલે કહ્યું, 'આ મામલો હાલમાં બે વર્ષથી ચાલી રહ્યો છે. EDએ 25000 પાનાની તપાસ કરી છે. શું એક નિવેદન એક વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવા માટે પૂરતું છે? અમે દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. 

-કેજરીવાલે કહ્યું, 'ઇડી આ મામલે ગેરમાર્ગે દોરે છે અને એવી છબી બનાવી રહી છે કે AAP એક ભ્રષ્ટ પાર્ટી છે. મની ટ્રેઇલ સ્થાપિત કરવામાં આવી છે કે સરથ ચંદ્ર રેડ્ડીને જામીન મળ્યા પછી તરત જ ભાજપને 55 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. અમે રિમાન્ડનો સામનો કરવા તૈયાર છીએ. અમે રિમાન્ડનો વિરોધ નથી કરી રહ્યા. અમારી પાસે બોન્ડની નકલો પણ છે. આના પર EDએ કેજરીવાલનો કોર્ટમાં બોલવાનો વિરોધ કર્યો હતો.

-કેજરીવાલના વકીલે કહ્યું, 'શું તે મને મારા ફોનનો પાસવર્ડ આપવા માટે દબાણ કરી શકે છે?' આ પહેલા કોર્ટમાં પહોંચ્યા બાદ મીડિયાના સવાલનો જવાબ આપતા કેજરીવાલે કહ્યું કે આ એક રાજકીય ષડયંત્ર છે અને જનતા તેનો જવાબ આપશે.

કેજરીવાલે કહ્યું, "હું કોર્ટમાં બોલવા માંગુ છું." કેજરીવાલે કહ્યું કે લોકો ઇડીના દબાણમાં સાક્ષી બની રહ્યા છે અને નિવેદનો આપી રહ્યા છે. 7 નિવેદનોમાંથી 6 નિવેદનોમાં મારું નામ આવ્યું નથી પરંતુ સાતમા નિવેદનમાં મારુ નામ આવ્યું છે. સાક્ષીને મુક્ત કરવામાં આવ્યો છે. માત્ર 4 નિવેદનના આધારે મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવશે. જ્યારે ED પાસે મારી નિર્દોષતા સાબિત કરતા હજારો પાના છે."

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, જો 100 કરોડનું કૌભાંડ થયું છે તો કૌભાંડના પૈસા ગયા ક્યાં? વાસ્તવમાં EDની તપાસ બાદ કૌભાંડ શરૂ થાય છે. EDનો ઉદ્દેશ્ય આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે. ઇડી અમને કસ્ટડીમાં રાખવા માંગે તેટલા દિવસો સુધી અમે તપાસ માટે તૈયાર છીએ.”

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું,  કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું, કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
Lok Sabha Elections: વલસાડમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહારો, 'PM મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા'
Lok Sabha Elections: વલસાડમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહારો, 'PM મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા'
Upcoming Maruti Micro SUV: ટાટા પંચનો ખેલ બગાડવા આવી રહી છે મારુતુની નવી માઈક્રો એચયૂવી, જાણો કેટલી હશે કિંમત
Upcoming Maruti Micro SUV: ટાટા પંચનો ખેલ બગાડવા આવી રહી છે મારુતુની નવી માઈક્રો એચયૂવી, જાણો કેટલી હશે કિંમત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Junagadh News । જૂનાગઢના સાસણમાંથી ઝડપાયા નશાના સોદાગરAmit Shah । અમિત શાહે સભા બાદ જયેશ રાદડીયાના ઘરે લીધું ભોજનArvalli News । મોડાસામાં કોંગ્રેસની લઘુમતી સમાજ સાથે બેઠકSanjay Singh | ‘સુરત મેં આપકે સાથીને નૈયા ડુબા દી...’ રિપોર્ટરના સવાલ પર સંજયસિંહે શું આપ્યો જવાબ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું,  કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
Elections 2024: ભરુચમાં અમિત શાહે કહ્યું, કંઈક આડુંઅવળું કરશો તો કોઈ અર્બન નક્સલ આવી જશે
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
પશ્ચિમ બંગાળના Cm મમતા બેનર્જી ફરી એકવાર ઇજાગ્રસ્ત, હેલિકોપ્ટરમાં ચઢતા થઇ ગયા સ્લીપ, જુઓ વીડિયો
Lok Sabha Elections: વલસાડમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહારો, 'PM મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા'
Lok Sabha Elections: વલસાડમાં પ્રિયંકા ગાંધીએ કર્યા આકરા પ્રહારો, 'PM મોદીએ ગરીબોના નહીં, કરોડપતિ મિત્રોના રૂપિયા માફ કર્યા'
Upcoming Maruti Micro SUV: ટાટા પંચનો ખેલ બગાડવા આવી રહી છે મારુતુની નવી માઈક્રો એચયૂવી, જાણો કેટલી હશે કિંમત
Upcoming Maruti Micro SUV: ટાટા પંચનો ખેલ બગાડવા આવી રહી છે મારુતુની નવી માઈક્રો એચયૂવી, જાણો કેટલી હશે કિંમત
Lok Sabha Elections 2024: પ્રથમ બે તબક્કામાં વિપક્ષના સુપડા સાફ થયાનો અમિત શાહે કર્યો મોટો દાવો
Lok Sabha Elections 2024: પ્રથમ બે તબક્કામાં વિપક્ષના સુપડા સાફ થયાનો અમિત શાહે કર્યો મોટો દાવો
WhatsApp Tips: જો તમે પણ આ ભૂલ કરી રહ્યા છો તો તમારુ વોટ્સએપ એકાઉન્ટ થઇ જશે બ્લોક
WhatsApp Tips: જો તમે પણ આ ભૂલ કરી રહ્યા છો તો તમારુ વોટ્સએપ એકાઉન્ટ થઇ જશે બ્લોક
'EDના ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે', કેજરીવાલે SCમાં દાખલ કર્યો જવાબ
'EDના ચારેય સાક્ષીઓના સંબંધો ભાજપ સાથે', કેજરીવાલે SCમાં દાખલ કર્યો જવાબ
Election Fact Check: કોગ્રેસ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા ઉતર્યો શાહરૂખ ખાન? જાણો શું છે સત્ય
Election Fact Check: કોગ્રેસ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા ઉતર્યો શાહરૂખ ખાન? જાણો શું છે સત્ય
Embed widget