શોધખોળ કરો

પતિની ભૂલ ન હોવા છતા પત્નીનું વારંવાર સાસરી છોડીને જવુ ક્રૂરતા, કોર્ટે છૂટાછેડાને આપી મંજૂરી  

પતિનો કોઈ વાંક ન હોય તો પણ વારંવાર સાસરી છોડીને જવું ક્રૂરતાના દાયરામાં આવે છે. ક્રૂરતાના આધારે પતિના છૂટાછેડાને મંજૂરી આપતાં હાઈકોર્ટે કહ્યું કે લગ્ન એ પરસ્પર સહયોગ, સમર્પણ અને જોડાણનો આધાર છે.

નવી દિલ્હી:  પતિનો કોઈ વાંક ન હોય તો પણ વારંવાર સાસરી છોડીને જવું ક્રૂરતાના દાયરામાં આવે છે. ક્રૂરતાના આધારે પતિના છૂટાછેડાને મંજૂરી આપતાં હાઈકોર્ટે કહ્યું કે લગ્ન એ પરસ્પર સહયોગ, સમર્પણ અને જોડાણનો આધાર છે. વાસ્તવમાં, કપલના લગ્ન 1992માં થયા હતા અને ફેમિલી કોર્ટે પતિને છૂટાછેડા આપવાનો ઇનકાર કરી દીધો હતો. પતિનો આરોપ છે કે પત્ની હિંસક સ્વભાવની છે અને તેની સાથે ક્રૂર વર્તન કરે છે.

પતિની અપીલ સ્વીકારતા કોર્ટે કહ્યું કે મહિલાએ તેના સાસરે જવા માટે કોઈ યોગ્ય પ્રયાસો કર્યા નથી.  પતિએ મિત્રો અને સંબંધીઓ દ્વારા પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. આનાથી સ્પષ્ટ થાય છે કે મહિલા કોઈપણ કારણ વગર અપીલકર્તાથી અલગ થઈ ગઈ છે.

દિલ્હી હાઈકોર્ટે હાલમાં જ એક કેસની સુનાવણી કરતા કહ્યું છે કે, પતિની કોઈ ભૂલ વગર પત્નીનું વારંવાર ઘર છોડી દેવું એ માનસિક ક્રૂરતા છે. હાઈકોર્ટે એક વ્યક્તિની અરજી પર છૂટાછેડા આપતાં આ વાત કહી. જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બસલ કૃષ્ણાની બેન્ચે કેસની સુનાવણી કરી હતી.  હિંદુ મેરેજ એક્ટ 1966 હેઠળ ક્રૂરતા અને ત્યાગના આધારે એક પુરુષને છૂટાછેડા મંજૂર કર્યા.

વારંવાર પતિથી અલગ થવું એ ક્રૂરતા જેવું

દિલ્હીની હાઈ કોર્ટે કહ્યું કે, તે એકદમ સ્પષ્ટ છે કે પત્નીએ પતિની કોઈ ભૂલ વગર વારંવાર સાસરીનું ઘર છોડી દીધું. પત્ની તરફથી વારંવાર આવું કરવું એ માનસિક ક્રૂરતા છે જેનો પતિએ સામનો કરવો પડ્યો હતો. કોર્ટે કહ્યું કે લગ્ન ત્યારે જ વિકસી શકે છે જ્યારે તે પરસ્પર સહયોગ, સમર્પણ અને વફાદારી પર આધારિત હોય. આ રીતે વારંવાર પતિથી અલગ થવું એ ક્રૂરતા જેવું છે જે પતિ-પત્નીના સંબંધોના પાયાને ઉખેડી નાખે છે અને વિખવાદના બીજને રોપે છે. 

2017માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી

તમને જણાવી દઈએ કે, આ કપલના લગ્ન વર્ષ 1992માં થયા હતા. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ 2017માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. ફેમિલી કોર્ટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની વાત કહેતા વર્ષ 2022માં પતિની અરજી ફગાવી દિધી હતી. પતિએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની તેના પર વિવિધ પ્રકારની ક્રૂરતા આચરતી હતી અને ઓછામાં ઓછી 6 વખત તેને છોડીને જતી રહી હતી.  

પતિનો આરોપ છે કે છેલ્લી વખત આવું વર્ષ 2011માં થયું હતું જ્યારે પત્નીએ એમ કહીને ઘર છોડી દીધું હતું કે તેનો પતિ તેના માટે મરી ગયો છે અને ત્યારબાદ તેણે પતિના હાથ પર રાખડી બાંધી હતી એ સંકેત આપવા કે તે તેના માટે હવે ભાઈ છે. પત્નીએ એ વાતને પણ નકારી ન હતી કે તેણી વારંવાર પતિનું ઘર છોડીને જતી હતી, પરંતુ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ તેના પ્રત્યે ઉદાસીન છે અને તેના સાસરિયાઓ તેનું અપમાન કરે છે. પત્નીએ એમ પણ કહ્યું કે તે દર વખતે સાસરેથી જતી હતી એટલું જ નહીં, ઘણી વખત પતિ પોતે પણ તેને તેના મામાના ઘરે છોડીને જતો હતો. પત્નીએ એમ પણ કહ્યું કે જ્યાં સુધી તે ત્યાં રહી ત્યાં સુધી તેને તેના સાસરિયાના ઘરે અનેક પ્રકારના અપમાનનો સામનો કરવો પડ્યો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Health Tips: રોજ સવારે આ 4 કામ કરો, દિવસભર બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે; અન્ય બીમારીઓનું જોખમ પણ ઘટી જશે
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Embed widget