શોધખોળ કરો

Delhi New CM: કોણ છે Parvesh Verma, જે દિલ્હીના મુખ્યમંત્રીની રેસમાં છે સૌથી આગળ, જાણો તેમના વિશે 

દિલ્હી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. રાજધાનીમાં 5 ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના મતદાનના પરિણામો આજે સામે આવ્યા છે.

Delhi Election Results 2025:  દિલ્હી માટે આજનો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે. રાજધાનીમાં 5 ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના મતદાનના પરિણામો આજે સામે આવ્યા છે. દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલી રહી છે. મતગણતરી પ્રમાણે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તે નક્કી છે.  ભારતીય જનતા પાર્ટી (BJP) દિલ્હીમાં સત્તામાં આવશે.  ભાજપ લગભગ 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તા પર પરત ફરશે. હાલમાં ભાજપ 48 કરતા વધુ બેઠકો પર આગળ છે. દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 12 વર્ષ બાદ અરવિંદ કેજરીવાલની  આમ આદમી  પાર્ટીનો સફાયો થયો છે.અરવિંદ કેજરીવાલ આ ચૂંટણીમાં હારી ગયા છે. કેજરીવાલને પ્રવેશ સિંહ વર્માએ હાર આપી છે. એક મોટો ચહેરો બની તેઓ ઉભર્યા છે. 

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ભાજપની સરકાર બનશે તે નક્કી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી કોણ હશે ? પાટનગરની સત્તા સંભાળવાની પાર્ટી કોને તક આપશે ? સીએમ ચહેરાની પસંદગી ભાજપ માટે મુશ્કેલ કામ છે. જો કે મુખ્યમંત્રી બનવાની રેસમાં અનેક મોટા નામો આગળ છે. આમાં સૌથી મહત્વનું નામ છે પ્રવેશ સાહિબ સિંહ વર્માનું, કારણ કે બીજેપીએ તેમને નવી દિલ્હી સીટથી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા હતા, ચાલો જાણીએ કે કોણ છે પરવેશ વર્મા, જે દિલ્હીના નવા મુખ્યમંત્રી બની શકે છે.

પ્રવેશ વર્મા બે વાર સાંસદ રહી ચૂક્યા છે

પ્રવેશ વર્મા વિશે વાત કરીએ તો તેઓ એક પીઢ ભારતીય રાજકારણી છે, જે પશ્ચિમ દિલ્હી લોકસભા મતવિસ્તારમાંથી બે વાર સાંસદ રહી ચૂક્યા છે. તેઓ 2014માં 16મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા, ત્યારબાદ 2019માં 17મી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર દિલ્હીના ઈતિહાસમાં સૌથી વધુ 578,486 મતોથી જીત્યા હતા. આ સિવાય તેઓ મહેરૌલીથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે પ્રવેશ વર્માના પિતા સાહિબ સિંહ વર્મા પણ દિલ્હીના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.  તેમના કાકા આઝાદ સિંહ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હતા અને તેમણે ભાજપની ટિકિટ પર મુંડકા વિધાનસભા ક્ષેત્રમાંથી 2013ની વિધાનસભા ચૂંટણી લડી હતી.

પ્રવેશ વર્માનો જન્મ 7 નવેમ્બર 1977ના રોજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્મા અને સાહિબ કૌરના હિંદુ જાટ પરિવારમાં થયો હતો. તેમને એક ભાઈ અને ત્રણ બહેનો છે. તેમના લગ્ન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ ભાજપના નેતા વિક્રમ વર્માની પુત્રી સ્વાતિ સિંહ વર્મા સાથે થયા છે. સ્વાતિ અને પ્રવેશને ત્રણ બાળકો છે, બે દીકરીઓ (સાનિધિ સિંહ, પ્રિશા સિંહ) અને એક દીકરો (શિવેન સિંહ).

શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી

પ્રવેશ સાહિબ સિંહ વર્માએ તેમનું શાળાકીય શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે, આર.કે. પુરમ અને કિરોરી માલ કોલેજ. આ પછી તેમણે ફોર સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
IRCTC Air Tour Package: માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ
IRCTC Air Tour Package:માત્ર ₹18,680 માં ગોવાની ફ્લાઇટ, 4-સ્ટાર હોટેલ અને ભોજન! IRCTC નું 'ગોવા ડિલાઇટ' પેકેજ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Embed widget