શોધખોળ કરો

Delhi Schools Re-open: દિલ્હીમાં 1લી નવેમ્બરથી તમામ ધોરણના વર્ગો શરૂ થશે, છઠ ઉજવવાની પણ આપી મંજૂરી

સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે શાળા ખુલશે ત્યારે કોઈપણ વાલીને તેમના બાળકને શાળાએ મોકલવા માટે ફરજ પાડવામાં આવશે નહીં.

Delhi Schools Re-open: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તમામ વર્ગોની શાળાઓ 1 નવેમ્બરથી ખુલશે. કોરોના વાયરસ રોગચાળાના ઘટતા કેસ વચ્ચે કેજરીવાલ સરકારે આ નિર્ણય લીધો છે. આ સાથે દિલ્હીમાં છઠ પૂજા કરવાની પણ પરવાનગી આપવામાં આવી છે. બુધવારે ડીડીએમએની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આની જાહેરાત કરતા દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે છઠ જાહેરમાં મનાવી શકાય છે, પરંતુ કોરોના નિયમોની સાથે. તેમણે કહ્યું કે 1 નવેમ્બરથી દિલ્હીમાં તમામ શાળાઓ ખોલવામાં આવશે. તમામ વર્ગના બાળકો માટે શાળાઓ ખોલી શકાય છે.

સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે શાળા ખુલશે ત્યારે કોઈપણ વાલીને તેમના બાળકને શાળાએ મોકલવા માટે ફરજ પાડવામાં આવશે નહીં. આ સાથે, અભ્યાસ મિશ્રિત મોડમાં હશે, એટલે કે, ઓફલાઈન અને ઑનલાઇન બંને એકસાથે ચાલી શકશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક સાથે 50 ટકાથી વધુ બાળકોને બોલાવવામાં આવશે નહીં. શાળા ખાતરી કરશે કે તેના તમામ સ્ટાફને રસી આપવામાં આવી છે. 98% લોકોએ પહેલો ડોઝ લઈ લીધો હોવો જોઈએ.

આ પહેલા દિલ્હીમાં ધોરણ 9 થી 12 સુધી શાળાઓ ખોલવામાં આવી છે. આ શાળાઓમાં પરીક્ષાઓ કોવિડ -19 માર્ગદર્શિકા અને સામાજિક અંતર સાથે લેવામાં આવી રહી છે. શાળાઓમાં બાળકો માસ્ક પહેરીને શાળાએ આવી રહ્યા છે. જો કે, કોઈપણ વિદ્યાર્થીને ફરજીયાતપણે શાળાએ બોલાવવાની મનાઈ છે. સંમતિ પત્ર એટલે કે વાલીઓની લેખિત સંમતિ પછી જ તેમને શાળામાં આવવાની મંજૂરી આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે ડીડીએમએનો અગાઉનો આદેશ 30 સપ્ટેમ્બર સુધીનો હતો. ગત ઓગસ્ટમાં દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે બેઠકમાં જુદા જુદા તબક્કામાં શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો હતો. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જાહેરાત કરી હતી કે ધોરણ 9 થી 12 સુધીની શાળાઓ 01 સપ્ટેમ્બરથી અને ધોરણ 6 થી 8 માટે 8 સપ્ટેમ્બરથી ખુલશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget