શોધખોળ કરો

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Dharmendra Pradhan resigns: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે.

Dharmendra Pradhan resigns: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે. NEET-UG પરીક્ષામાં થયેલી ગરબડને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે તેમણે આ નિર્ણય લીધો છે. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી અને રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે.

 

પોતાના પત્રમાં તેમણે લખ્યું કે છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષણ સુધારા માટે સમર્પિત રહ્યા છે. તેમનું હંમેશાંથી માનવું રહ્યું છે કે મજબૂત, સમાવેશી અને દૂરદર્શી શિક્ષણ વ્યવસ્થા જ કોઈપણ રાષ્ટ્રના વિકાસની આધારશિલા હોય છે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું, "3 મે 2026ના રોજ આયોજિત NEET-UG પરીક્ષામાં ગડબડની ફરિયાદો સામે આવતા જ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મામલાની તપાસ CBIને સોંપવામાં આવી, પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો અને આવતા વર્ષથી NEETને પૂરેપૂરી કમ્પ્યુટર આધારિત (CBT) મોડમાં આયોજિત કરવાની જાહેરાત કરવામાં આવી."

આ પણ વાંચો...IIT ની નોકરી છોડી સ્ટાર્ટઅપ કર્યું શરૂ, બે વિદ્યાર્થીનીઓએ ડેરી સેક્ટરમાં 565 કરોડની કંપની કરી ઊભી

ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું કે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા નિષ્પક્ષ અને સુચારુ રીતે કરાવવી એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. આ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, જિલ્લા વહીવટી તંત્ર, વિદ્યાર્થીઓ અને વાલીઓના સહયોગથી 21 જૂન 2026ના રોજ ફરીથી પરીક્ષા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી. 16 જુલાઈના રોજ જાહેર થયેલા પરિણામોમાં ગરીબ અને વંચિત પરિવારોના ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સફળતા મળી, પરંતુ કેટલાક જવાબદાર પદો પર બેઠેલા લોકોએ વિદ્યાર્થીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો, જેનાથી તેમને ઊંડું દુઃખ પહોંચ્યું છે.

 

પોતાના રાજીનામા અંગે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે છેલ્લા 10 દિવસની ઘટનાઓએ તેમને ખૂબ જ વ્યથિત કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ તેમના વ્યક્તિગત સન્માનનો વિષય નથી, પરંતુ દેશના યુવાનોના ભવિષ્યનો સવાલ છે. તેમણે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાનૂની વિવાદો અને રાજકીય ટકરાવમાં અટવાય કે તેમનું ધ્યાન અભ્યાસમાંથી ભટકે. આ જ ભાવના સાથે તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો છે.

પત્રના અંતમાં ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન, મંત્રીપરિષદના સાથીઓ, શિક્ષણ મંત્રાલયના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે જાહેર જીવનમાં આગળ પણ તેઓ ભારત માતા, ઓડિશાની જનતા અને દેશના યુવાનોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે પૂર્ણ નિષ્ઠા સાથે કામ કરતા રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget