શોધખોળ કરો
એસ્સાર ગ્રુપ ફોન ટેપિંગ મામલે પીએમ મોદીના તપાસના આદેશ

નવી દિલ્લીઃ એસ્સાર ગ્રુપ સાથે જોડાયેલી ફોન ટેપિંગ મામલમાં કેન્દ્ર સરકારે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગૃહ મંત્રાલયને આ મામલે તપાસ કરીને જલ્દી રિપોર્ટ આપવા જણાવ્યું છે. 2001-2006 વચ્ચે એસ્સાર ગ્રુપ પર ફોન ટેપિંગ કરવાનો આરોપ છે. અંગ્રેજી અખબાર ઇંડિયન એક્સપ્રેસે પોતાના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે, 2001-2006 વચ્ચે એસ્સાર ગ્રુપે રિલાયંસ ઇંટસ્ટ્રીઝના ઘણા મોટા અધિકારીઓ, સરકારી અધિકારીઓ અને મંત્રીઓના ફોન ટેપ કર્યા હતા. રિપોર્ટ અનુસાર દિલ્લીના વકીલ સુરને ઉપ્પલ આ મામલાને લઇને પીએમઓને ફરિયાદ કરી હતી. જેમા તેમણે એસ્સાર ગ્રુપના પૂર્વ કર્મચારી અલ બાસિત ખાન પર ફોન ટેપિંગ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો ત્યાર બાદ પીએમઓએ તપાસના આદેશ આપ્યા હતા.
Before You Go
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?





















