શોધખોળ કરો

આજે ફરી ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે વાતચીત, ખેડૂતો કાયદો રદ્દ કરવાની માગ પર અડગ

ખેડૂતો અને સરકાર વચ્ચે 22 દિવસ બાદ આજે ફરી વાતચીત થશે. એક તરફ ખેડૂતો કાયદો રદ્દ કરવાની માગ પર અડગ છે.

દિલ્લી સિંધુ બોર્ડર પર બેઠેલા આ ખેડૂતોની બસ એક જ માગ છે કે કૃષિ કાયદો પરત ખેંચો. કૃષિ કાયદાને લઈ ખેડૂતોના આંદોલનનો આજે 35મો દિવસ છે. ત્યારે આજે ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે બેઠક મળવાની છે. ખેડૂત સંગઠનો સાથે બેઠક પહેલા કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે કૃષિમંત્રી નરેંદ્રસિંહ તોમર અને પિયુષ ગોયલ વચ્ચે બેઠક મળશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે વિજ્ઞાન ભવનમાં ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે બેઠક મળશે. ખેડૂતો અને સરકાર વચ્ચે 22 દિવસ બાદ આજે ફરી વાતચીત થશે. એક તરફ ખેડૂતો કાયદો રદ્દ કરવાની માગ પર અડગ છે. તો સરકાર પર પોતાના વલણ પર અડગ છે. અગાઉ ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે છ વખત બેઠક મળી છે. જોકે તમામ બેઠકોમાં સમજૂતી સાધી શકાય નથી. દિલ્લીની સિંધુ, ટિકરી, ગાજીપુર બોર્ડર પર ખેડૂતોનું આંદોલન યથાવત છે. બીજી તરફ આંદોલનકારી ખેડૂત સંગઠનોએ વાતચીતના એક દિવસ અગાઉ જ કહી દીધુ છે કે આ વાટાઘાટોમાં અમારી મૂળ માગણીઓ જ મુખ્ય એજન્ડા હોવો જોઇએ તો જ અમે આગળ વાતચીત ચલાવીશું. ખેડૂતોએ ચાર મુખ્ય માગણીઓ કરી છે જેમાં કાયદા પરત લેવા, ટેકાના ભાવ અંગે કાયદાકીય જોગવાઇ, પરાળી સળગાવવા અને ઇલેક્ટ્રિસિટી કાયદામાં સુધારા કરવા. આ પહેલા ખેડૂતો અને સરકાર વચ્ચેના પાંચમા રાઉન્ડની વાતચીત પાંચમી તારીખે થઇ હતી, જે બાદ નવ તારીખે મળવાના હતા પણ ખેડૂતોએ વાતચીતની જ ના પાડી દીધી હતી. બીજી તરફ દિલ્હીમાં આંદોલન પર બેઠેલા ખેડૂતો માટે ટોઇલેટ જેવી સુવિધા આપ્યા બાદ દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર હવે મફતમાં વાઇફાઇ પણ શરૂ કરવા જઇ રહી છે. આપના નેતા રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે દિલ્હીના સિંધુ બોર્ડર પર ખેડૂતોને મફતમાં ઇન્ટરનેટ મળી રહે તે માટે ફ્રી વાઇફાઇ હોટસ્પોટ ઉભા કરાશે. ખેડૂતો પરિવારજનોની સાથે વાતચીત કરી શકે તે હેતુથી આ પગલુ ભરાઇ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget