શોધખોળ કરો

PMGKAY: કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા, આ તારીખ પછી નહીં મળે મફત રાશન

હવે સરકારની દલીલ છે કે અર્થવ્યવસ્થા સુધરી રહી છે અને ફ્રી માર્કેટ સેલ્સ સ્કીમ (OMSS) હેઠળ અનાજનું વેચાણ પણ આ વર્ષે ઘણું સારું રહ્યું છે.

Pradhan Mantri Garib Kalyan Anna Yojna: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત રાશન ફક્ત 30 નવેમ્બર સુધી જ મળશે. આ યોજનાની મુદત 30 નવેમ્બરથી આગળ વધારવાની સરકારની હાલમાં કોઈ યોજના નથી. કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેના જણાવ્યા અનુસાર, અર્થવ્યવસ્થામાં સુધારો અને OMSS નીતિ હેઠળ ખુલ્લા બજારમાં અનાજના સારા વેચાણને ધ્યાનમાં રાખીને, PMGKAY ( Pradhan Mantri Garib Kalyan Anna Yojna) દ્વારા મફત રાશનનું વિતરણ નવેમ્બરથી આગળ વધવાની કોઈ દરખાસ્ત નથી.

ગયા વર્ષે માર્ચ 2020 માં PMGKAY (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના) કોરોના રોગચાળાના પ્રથમ લહેરથી સર્જાયેલી કટોકટીને ધ્યાનમાં રાખીને મફત અનાજ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના એપ્રિલ-જૂન 2020ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને આ વર્ષે 30 નવેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોનાની બીજી લહેર આવ્યા બાદ ફરીથી મે-જૂન મહિના માટે પ્લાન લાવવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં સરકારે આ યોજનાને પાંચ મહિના અને જુલાઈથી નવેમ્બર, 2021 સુધી લંબાવી જેથી લોકોને મફત અનાજ મળી શકે.

પરંતુ હવે સરકારની દલીલ છે કે અર્થવ્યવસ્થા સુધરી રહી છે અને ફ્રી માર્કેટ સેલ્સ સ્કીમ (OMSS) હેઠળ અનાજનું વેચાણ પણ આ વર્ષે ઘણું સારું રહ્યું છે. તેથી PMGKAY (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના) ને વિસ્તારવાની કોઈ દરખાસ્ત નથી. સ્થાનિક બજારમાં ઉપલબ્ધતામાં સુધારો કરવા અને કિંમતોને અંકુશમાં લેવા માટે સરકાર OMSS નીતિ હેઠળ બલ્ક ગ્રાહકોને ચોખા અને ઘઉં આપી રહી છે.

PMGKAY હેઠળ, સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 80 કરોડ રેશનકાર્ડ ધારકોને 5 કિલો મફત રાશન સપ્લાય કરે છે. તેમને રાશનની દુકાનોમાંથી સબસિડીવાળા અનાજ ઉપરાંત મફત રાશન આપવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગતPM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
Embed widget