શોધખોળ કરો

PMGKAY: કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા, આ તારીખ પછી નહીં મળે મફત રાશન

હવે સરકારની દલીલ છે કે અર્થવ્યવસ્થા સુધરી રહી છે અને ફ્રી માર્કેટ સેલ્સ સ્કીમ (OMSS) હેઠળ અનાજનું વેચાણ પણ આ વર્ષે ઘણું સારું રહ્યું છે.

Pradhan Mantri Garib Kalyan Anna Yojna: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત રાશન ફક્ત 30 નવેમ્બર સુધી જ મળશે. આ યોજનાની મુદત 30 નવેમ્બરથી આગળ વધારવાની સરકારની હાલમાં કોઈ યોજના નથી. કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેના જણાવ્યા અનુસાર, અર્થવ્યવસ્થામાં સુધારો અને OMSS નીતિ હેઠળ ખુલ્લા બજારમાં અનાજના સારા વેચાણને ધ્યાનમાં રાખીને, PMGKAY ( Pradhan Mantri Garib Kalyan Anna Yojna) દ્વારા મફત રાશનનું વિતરણ નવેમ્બરથી આગળ વધવાની કોઈ દરખાસ્ત નથી.

ગયા વર્ષે માર્ચ 2020 માં PMGKAY (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના) કોરોના રોગચાળાના પ્રથમ લહેરથી સર્જાયેલી કટોકટીને ધ્યાનમાં રાખીને મફત અનાજ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના એપ્રિલ-જૂન 2020ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને આ વર્ષે 30 નવેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોનાની બીજી લહેર આવ્યા બાદ ફરીથી મે-જૂન મહિના માટે પ્લાન લાવવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં સરકારે આ યોજનાને પાંચ મહિના અને જુલાઈથી નવેમ્બર, 2021 સુધી લંબાવી જેથી લોકોને મફત અનાજ મળી શકે.

પરંતુ હવે સરકારની દલીલ છે કે અર્થવ્યવસ્થા સુધરી રહી છે અને ફ્રી માર્કેટ સેલ્સ સ્કીમ (OMSS) હેઠળ અનાજનું વેચાણ પણ આ વર્ષે ઘણું સારું રહ્યું છે. તેથી PMGKAY (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના) ને વિસ્તારવાની કોઈ દરખાસ્ત નથી. સ્થાનિક બજારમાં ઉપલબ્ધતામાં સુધારો કરવા અને કિંમતોને અંકુશમાં લેવા માટે સરકાર OMSS નીતિ હેઠળ બલ્ક ગ્રાહકોને ચોખા અને ઘઉં આપી રહી છે.

PMGKAY હેઠળ, સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 80 કરોડ રેશનકાર્ડ ધારકોને 5 કિલો મફત રાશન સપ્લાય કરે છે. તેમને રાશનની દુકાનોમાંથી સબસિડીવાળા અનાજ ઉપરાંત મફત રાશન આપવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Advertisement
metaverse

વિડિઓઝ

Surat News । વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ વરસાદRajkot News । રાજકોટમાં વરસાદે ખોલી મનપાની પોલVadodara News । વડોદરાના કરજણમાં વરસાદે ખોલી પાલિકાની પોલJamnagar Rain । જામનગરના લાલપુર પંથકમાં વરસ્યો વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
Parliament Session: રાજ્યસભામાં જેપી નડ્ડાને મળી મોટી જવાબદારી, બન્યા ગૃહના નેતા 
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
કાલથી વરસાદનું જોર વધશે, આ વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
Delhi CM Arvind Kejriwal: સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ન આપી કોઈ રાહત, કહ્યું- હાઈકોર્ટના નિર્ણયની....
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
1 જુલાઈથી હીરોના બાઇક અને સ્કૂટર થશે મોંઘા, જાણો કંપની ભાવમાં કેટલો વધારો કરશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતના શહેરી વિસ્તારોમાં 8.52 લાખ ઘર બન્યા
Embed widget