શોધખોળ કરો

સુષ્મા સ્વરાજ પંચતત્વમાં વિલીન, પુરા રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય, દેશે આપી શ્રદ્ધાંજલિ

સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીએ અંતિમ સસ્કારની બધી પ્રક્રિયા પુરી કરી હતી, તેની સાથે સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ પણ હાજર રહ્યાં હતા

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પંચતત્વોમાં વિલીન થઇ ગયા છે. સુષ્મા સ્વરાજને પુરેપુરા રાજકીય સન્માન સાથે લોધી રોડ ખાતેના સ્મશાન ગૃહમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. પુત્રી બાંસુરી સ્વરાજે બધી અંતિમ વિધી પુરી કરી હતી. દેશભરમાંથી દિગ્ગજ નેતાઓએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી હતી. સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીએ અંતિમ સસ્કારની બધી પ્રક્રિયા પુરી કરી હતી, તેની સાથે સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ પણ હાજર રહ્યાં હતા. સુષ્મા સ્વરાજને અંતિમ વિદાય આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના મોટા નેતાઓ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યાં હતા. ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતી વખતે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. ઉપરાંત મનીષ સિસોદિયા, શરદ યાદવ, અશોક ગેહલોત, બિપ્લવ દેવ, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થયુ ગયુ છે. મંગળવારે રાત્રે 9 વાગે હાર્ટ એટેકનો હુમલો આવવાથી એઇમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, બાદમાં ડૉક્ટર્સ તેમને બચાવી શક્યા ન હતા. હાલ તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવ્યો છે, દેશભરમાંથી નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા કાર્યકાળમાં પોતાના મંત્રીમંડળના સહયોગી રહી ચૂકેલા સુષ્મા સ્વરાજના નશ્વર દેહને જોઈ ખૂબ જ ભાવુક થયા હતાં. સુષ્મા સ્વરાજના દિલ્હી સ્થિત આવેલા ઘરે નશ્વર દેહની સામે હાથ જોડી વડાપ્રધાનની આંખો જાણે આસુંથી ભરાય ગઈ હતી. તેઓ પોતાની પાર્ટીના ખૂબ જ તેજ અને લોકપ્રિય નેતાને શ્રદ્ધાંજલિ આપતાં ખૂબ જ ભાવુક જોવા મળ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુષ્માને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતાં તે દરમિયાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. ખાસ વાત છે કે આ વર્ષે જ તેમણે લોકસભા ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો હતો. સુષમા સ્વરાજ એપ્રિલ 1990માં સાંસદ બન્યા હતા. અટલ બિહારી વાજપેયીની તેર દિવસની સરકારમાં સુષ્મા સ્વરાજ સૂચના પ્રસારણ મંત્રી રહ્યા હતા. ઓક્ટોબર 1998માં તેમણે કેંદ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યું અને દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
RBI Repo Rate: રિઝર્વ બેંકે રેપો રેટ કર્યો જાહેર, જાણો તમારી કાર કે હોમ લોન પર શું થશે અસર?
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી Hyundai i20 Facelift, જાણો પહેલાથી કેટલી બદલાઈ જશે આ ધાંસુ કાર?
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Embed widget