શોધખોળ કરો

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુર્ખર્જીનું 84 વર્ષની ઉંમરે નિધન, જાણો તેમની રાજકીય સફર

પ્રણબ મુખર્જી રાજકારણમાં પ્રણબ દા નામ તરીકે જાણીતા હતા. રાજકારણમાં તેમનો ખૂબ જ લાંબો અનુભવ રહ્યો છે.

નવી દિલ્હી: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીનું 84 વર્ષની ઉંમરે નિધન થયું છે. બ્રેન ક્લૉટ સર્જરી બાદ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા. મુખર્જી કોરોના વાયરસથી સંક્રમિત પણ હતા. પૂર્વ રાષ્ટ્રપતિને 10 ઓગસ્ટે સર્જરી બાદ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. પ્રણબ મુખર્જીની રાજકીય સફર પ્રણબ મુખર્જી રાજકારણમાં પ્રણબ દા નામ તરીકે જાણીતા હતા. રાજકારણમાં તેમનો ખૂબ જ લાંબો અનુભવ રહ્યો છે. યૂપીએ સરકારમાં પ્રણબ મુખર્જી પાસે નાણા મંત્રાલય સિવાય ઘણી મુખ્ય જવાબદારીઓ હતી. તેમને કૉંગ્રેસના સંકટ મોચકની સંજ્ઞા આપવામાં આવી હતી. પ્રણબ મુખર્જીએ પોતાની રાજકીય કરીયરની શરૂઆત બાંગ્લા કૉંગ્રેસથી કરી હતી. જુલાઈ 1969માં તેઓ પ્રથમ વખત રાજ્યસભા માટે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ 1975, 1981, 1993 અને 1999માં રાજ્યસભાના સદસ્ય રહ્યા. આ સિવાય 1980થી 1985 સુધી રાજ્યમાં સદનના નેતા પણ રહ્યા. મે 2004માં ચૂંટણી જીતી લોકસભા પહોંચ્યા અને 2012 સુધી સદનના નેતા રહ્યા હતા. 1986 માં કૉંગ્રેસથી થયા હતા અલગ એક સમય એવો પણ આવ્યો કે જ્યારે તેમણે કૉંગ્રેસ છોડી દિધી હતી. 1986માં પ્રણબ દા કૉંગ્રેસ છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું. ઈન્દિરા ગાંધીના મોત બાદ રાજીવ ગાંધી પીએમ બન્યા. રાજીવના પીએમ બન્યા બાદ પ્રણબ મુખર્જીને પાર્ટીમાં સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા હતા. તેઓ કેબિનેટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. તેનાથી નારાજ થઈ અંતે પ્રણબ મુખર્જીએ 1986માં કૉંગ્રેસથી અલગ થવાનો નિર્ણય કર્યો અને રાષ્ટ્રીય સમાજવાદી કૉંગ્રેસ બનાવી હતી. પ્રણબ મુખર્જીની પાર્ટી 1987માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી લડી, પરંતુ તેમની પાર્ટીને પ્રથમ ચૂંટણીમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં પ્રણબ મુખર્જી 1988માં કૉંગ્રેસમાં બીજી વખત પરત ફર્યા હતા. મુખર્જીને કૉંગ્રેસમાં પરત આવતાની સાથે જ ઈનામ મળ્યું અને તેમને નરસિમ્હા રાવની સરકારમાં 1991માં યોજના આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2004માં સોનિયા ગાંધીએ જ્યારે પીએમ બનવાનો ઈનકાર કર્યો હતો ત્યારે પ્રણબ મુખર્જીનું નામ પણ પ્રધાનમંત્રી પદના દાવેદારમાં સામેલ હતું. પ્રણબ મુખર્જીને મનમોહન સિંહની સરકારમાં રક્ષા મંત્રી, વિદેશ મંત્રી અને નાણા મંત્રી જેવા મુખ્ય પદ મળ્યા હતા. 2012માં પ્રણબ મુખર્જીને કૉંગ્રેસે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર જાહેર કર્યા અને તેઓ એનડીએ સમર્થિત પીએ સંગમાને હરાવી દેશના 13માં રાષ્ટ્રપતિ બન્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Embed widget