શોધખોળ કરો

Ghulam Nabi Azad: કોના કારણે છોડી કોંગ્રેસ તેનું નામ લઈ ગુલામ નબીએ કર્યો ખુલાસો

Ghulam Nabi Azad On Congress: ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાએ તેમની આત્મકથાના વિમોચનમાં એક પછી એક ખુલાસા અને સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યા છે.

Ghulam Nabi Azad On Congress: ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાએ તેમની આત્મકથાના વિમોચનમાં એક પછી એક ખુલાસા અને સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યા છે. આઝાદે આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ સૂફિયાણી સલાહ આપી હતી. સાથે જ તેમણે આખરે કોંગ્રેસ કેમ છોડી તેને લઈને પણ પહેલી જ વાર ધડાકો કર્યો હતો.

કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે સનસનાટીપૂર્ણ આરોપ લગાવતા કહ્યું હતું કે, મનમોહન સિંહે રાહુલ ગાંધી સામે ઝુકવું નહોતુ જોઈતુ. કોંગ્રેસની તત્કાલીન કેબિનેટ નબળી હતી. રાહુલ ગાંધીના સસ્પેન્શનને ખોટું ગણાવતા આઝાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા વટહુકમ (અધ્યાદેશ) ફાડવો તે ખોટું હતું. જો તે કાયદો આજે અમલમાં હોત તો રાહુલનું સભ્યપદ બચી ગયું હોત.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ આઝાદે કહ્યું હતું કે, અમે વટહુકમ લાવ્યા હતા કે કોઈક સમયે તો તેનો ઉપયોગ અમારી વિરુદ્ધ કરવામાં આવશે. કારણ કે ક્યારેક તો બીજી પાર્ટી પણ સત્તામાં આવી શકે છે. તે સમયે રાહુલ ગાંધીએ તેને ફાડી નાખ્યું. તે સમયે કેબિનેટ નબળી હતી. તત્કાલીન કેબિનેટે તેના નિર્ણય પર અડગ રહેવું જોઈતુ હતું.

"ખુદ કિએ તુમને અપની દિવારો મેં સુરાખ, અબ ..."

આઝાદે શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, તમે જાતે જ તમારી દીવાલોમાં કાણાં પાડ્યા છે, હવે કોઈ ડોકિયું કરે તો શો શોરબકોર કેવો?. આઝાદે વધુમાં કહ્યું હતું કે, જ્યારે તમે કોંગ્રેસમાં હોવ છો ત્યારે તમે કરોડરજ્જુ વગરના હોવ છો. નેતાઓ રાહુલ ગાંધી સાથે સુરત કોર્ટમાં ગયા પછી પણ આઝાદે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના કારણે જ તેમણે કોંગ્રેસ છોડી. જો રાહુલ પાસે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો પાંચમો ભાગ પણ હોત તો તેઓ સફળ થયા હોત. આઝાદ પોતે યુપીએ સરકારમાં કેબિનેટ મંત્રી હતા.

"ભાજપની પણ થઈ શકે છે કોંગ્રેસ જેવી જ હાલત"

આઝાદે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, અમે 24 કલાક ઉઠ્યા બાદ પીએમ મોદી અને બીજેપીને જ ગાળો આપીએ છીએ. વિદેશ નીતિમાં દુનિયા આખી નિષ્ફળ ગઈ છે, પરંતુ ભારત સફળ થયું છે. જોકે ભાજપે પણ કેટલીક બાબતોમાં સુધારો કરવો પડશે, નહીં તો તેની હાલત પણ કોંગ્રેસ જેવી જ થઈ શકે છે. વિધાનસભાઓમાં તોડફોડ કરવાની પ્રક્રિયા બંધ કરવી પડશે.

ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોમાં કેટલીક ખામીઓ છે, કોંગ્રેસમાં પણ કેટલીક ખામીઓ છે. હું આશા રાખું છું કે, કોંગ્રેસ પાર્ટી એ ભૂલોને સુધારે, આગળ વધે અને રાષ્ટ્રીય પક્ષની ભૂમિકા ભજવે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
PAK આર્મીનો દાવો- તમામ આતંકી માર્યા ગયા, બલોચ આર્મીએ કહ્યુ- 'હજુ 150 લોકો બંધક, 100 જવાન માર્યા ગયા'
PAK આર્મીનો દાવો- તમામ આતંકી માર્યા ગયા, બલોચ આર્મીએ કહ્યુ- 'હજુ 150 લોકો બંધક, 100 જવાન માર્યા ગયા'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sea Link Project: દહેજ-ભાવનગર વચ્ચે રેલ્વે સી લિંક પ્રોજેક્ટને મંજૂરી, હવે ગણતરીના કલાકોમાં પહોંચશોRajkumar Jaat: મૃતક રાજકુમાર જાટના ચોંકાવનારા CCTV ફૂટેજ , નિવસ્ત્ર હાલતમાં પસાર થતો મળ્યો જોવાSurat Shivshkati Fire News: આગમાં કરોડોની નુકસાની વચ્ચે વેપારીઓેને અપાઈ મોટી રાહત, જુઓ વીડિયોમાંGujarat Heatwave: હજુ 24 કલાક સુધી ગરમીનું જોર રહેશે યથાવત, રાજકોટ રહ્યું સૌથી વધુ ગરમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
PAK આર્મીનો દાવો- તમામ આતંકી માર્યા ગયા, બલોચ આર્મીએ કહ્યુ- 'હજુ 150 લોકો બંધક, 100 જવાન માર્યા ગયા'
PAK આર્મીનો દાવો- તમામ આતંકી માર્યા ગયા, બલોચ આર્મીએ કહ્યુ- 'હજુ 150 લોકો બંધક, 100 જવાન માર્યા ગયા'
Holi 2025: જો હોળી પર બાળકની આંખમાં રંગ પડી જાય તો તાત્કાલિક કરો આ કામ, નહીં તો ભોગવવું પડશે ખતરનાક પરિણામ
Holi 2025: જો હોળી પર બાળકની આંખમાં રંગ પડી જાય તો તાત્કાલિક કરો આ કામ, નહીં તો ભોગવવું પડશે ખતરનાક પરિણામ
BCCI Central Contract: રોહિત-કોહલી સહિત 3 ખેલાડીઓને થશે ભારે નુકસાન, જાણો શું છે આખો મામલો
BCCI Central Contract: રોહિત-કોહલી સહિત 3 ખેલાડીઓને થશે ભારે નુકસાન, જાણો શું છે આખો મામલો
Auto: ઓછી કિંમતમાં દમદાર માઇલેજ, મારુતિની આ કારમાં મળે છે એડવાન્સ ફીચર્સ
Auto: ઓછી કિંમતમાં દમદાર માઇલેજ, મારુતિની આ કારમાં મળે છે એડવાન્સ ફીચર્સ
Nostradamus: દુનિયાનો આ શક્તિશાળી દેશ બનશે હિન્દુ રાષ્ટ્ર, નાસ્ત્રેદમસની ચોંકાવનારી ભવિષ્યવાણી
Nostradamus: દુનિયાનો આ શક્તિશાળી દેશ બનશે હિન્દુ રાષ્ટ્ર, નાસ્ત્રેદમસની ચોંકાવનારી ભવિષ્યવાણી
Embed widget