શોધખોળ કરો

Ghulam Nabi Azad: કોના કારણે છોડી કોંગ્રેસ તેનું નામ લઈ ગુલામ નબીએ કર્યો ખુલાસો

Ghulam Nabi Azad On Congress: ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાએ તેમની આત્મકથાના વિમોચનમાં એક પછી એક ખુલાસા અને સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યા છે.

Ghulam Nabi Azad On Congress: ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાએ તેમની આત્મકથાના વિમોચનમાં એક પછી એક ખુલાસા અને સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યા છે. આઝાદે આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ સૂફિયાણી સલાહ આપી હતી. સાથે જ તેમણે આખરે કોંગ્રેસ કેમ છોડી તેને લઈને પણ પહેલી જ વાર ધડાકો કર્યો હતો.

કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે સનસનાટીપૂર્ણ આરોપ લગાવતા કહ્યું હતું કે, મનમોહન સિંહે રાહુલ ગાંધી સામે ઝુકવું નહોતુ જોઈતુ. કોંગ્રેસની તત્કાલીન કેબિનેટ નબળી હતી. રાહુલ ગાંધીના સસ્પેન્શનને ખોટું ગણાવતા આઝાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા વટહુકમ (અધ્યાદેશ) ફાડવો તે ખોટું હતું. જો તે કાયદો આજે અમલમાં હોત તો રાહુલનું સભ્યપદ બચી ગયું હોત.

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ આઝાદે કહ્યું હતું કે, અમે વટહુકમ લાવ્યા હતા કે કોઈક સમયે તો તેનો ઉપયોગ અમારી વિરુદ્ધ કરવામાં આવશે. કારણ કે ક્યારેક તો બીજી પાર્ટી પણ સત્તામાં આવી શકે છે. તે સમયે રાહુલ ગાંધીએ તેને ફાડી નાખ્યું. તે સમયે કેબિનેટ નબળી હતી. તત્કાલીન કેબિનેટે તેના નિર્ણય પર અડગ રહેવું જોઈતુ હતું.

"ખુદ કિએ તુમને અપની દિવારો મેં સુરાખ, અબ ..."

આઝાદે શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, તમે જાતે જ તમારી દીવાલોમાં કાણાં પાડ્યા છે, હવે કોઈ ડોકિયું કરે તો શો શોરબકોર કેવો?. આઝાદે વધુમાં કહ્યું હતું કે, જ્યારે તમે કોંગ્રેસમાં હોવ છો ત્યારે તમે કરોડરજ્જુ વગરના હોવ છો. નેતાઓ રાહુલ ગાંધી સાથે સુરત કોર્ટમાં ગયા પછી પણ આઝાદે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીના કારણે જ તેમણે કોંગ્રેસ છોડી. જો રાહુલ પાસે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો પાંચમો ભાગ પણ હોત તો તેઓ સફળ થયા હોત. આઝાદ પોતે યુપીએ સરકારમાં કેબિનેટ મંત્રી હતા.

"ભાજપની પણ થઈ શકે છે કોંગ્રેસ જેવી જ હાલત"

આઝાદે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, અમે 24 કલાક ઉઠ્યા બાદ પીએમ મોદી અને બીજેપીને જ ગાળો આપીએ છીએ. વિદેશ નીતિમાં દુનિયા આખી નિષ્ફળ ગઈ છે, પરંતુ ભારત સફળ થયું છે. જોકે ભાજપે પણ કેટલીક બાબતોમાં સુધારો કરવો પડશે, નહીં તો તેની હાલત પણ કોંગ્રેસ જેવી જ થઈ શકે છે. વિધાનસભાઓમાં તોડફોડ કરવાની પ્રક્રિયા બંધ કરવી પડશે.

ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોમાં કેટલીક ખામીઓ છે, કોંગ્રેસમાં પણ કેટલીક ખામીઓ છે. હું આશા રાખું છું કે, કોંગ્રેસ પાર્ટી એ ભૂલોને સુધારે, આગળ વધે અને રાષ્ટ્રીય પક્ષની ભૂમિકા ભજવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
Advertisement

વિડિઓઝ

Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Amreli News: અમરેલીના શિળાયબેટ ગામમાં બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી, હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ
Surat news: કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં કરાયેલા ચક્કાજામના કેસમાં પોલીસની કડક કાર્યવાહી
Rajkot News: રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ અટેકની 24 કલાકમાં બે ઘટના
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
સંસદના ચોમાસુ સત્રની વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું: 'તાત્કાલિક અસરથી' પદ છોડવાની જાહેરાત
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
ગુજરાતના આ મોટા શહેરમાં આજે રાતથી રિક્ષાચાલકોની હડતાળ: 2.10 લાખ રિક્ષાના પૈડા થંભી જશે, 30 લાખથી વધુ મુસાફરોને હાલાકી
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
Monsoon Session: ‘હું વિપક્ષનો નેતા છું છતાં મને બોલવા નથી દેતા....’, રાહુલ ગાંધીનો સરકાર પર ગંભીર આરોપ
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
IND vs ENG: ચોથી ટેસ્ટ માટે પ્લેઇંગ ઇલેવન જાહેર, 8 વર્ષ બાદ આ ખેલાડીની ટીમમાં થઈ એન્ટ્રી
ઓનલાઈન સટ્ટાબાજી એપમાં ED નો સપાટો: રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ સહિત 4 ફિલ્મ સ્ટાર્સને સમન્સ
ઓનલાઈન સટ્ટાબાજી એપમાં ED નો સપાટો: રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ સહિત 4 ફિલ્મ સ્ટાર્સને સમન્સ
આગામી 3 કલાકમાં રાજ્યના 24 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર
આગામી 3 કલાકમાં રાજ્યના 24 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે, ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
ગોવાથી ઈન્દોર જતી ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, 140 મુસાફરો પ્લેનમાં હતા સવાર 
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
હવામાન વિભાગનો વરતારો: આગામી 6 દિવસ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, કયા જિલ્લામાં થશે પાણી પાણી? જાણો...
Embed widget