શોધખોળ કરો
Advertisement
ગુલામ નબી આઝાદ, અંબિકા સોની અને ખડગેને કોગ્રેસ મહાસચિવ પદ પરથી હટાવાયા, CWCમાં આ નેતાઓને મળ્યું સ્થાન
કોગ્રેસે અખિલ ભારતીય કોગ્રેસ સમિતિના મહાસચિવો અને પ્રભારીઓની નવી યાદી જાહેર કરી હતી
નવી દિલ્હીઃ કોગ્રેસે અખિલ ભારતીય કોગ્રેસ સમિતિના મહાસચિવો અને પ્રભારીઓની નવી યાદી જાહેર કરી હતી. આ નવી યાદીમાં મહાસચિવના પદ પરથી વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને મલ્લિકાર્જૂન ખડગેને હટાવવામાં આવ્યા છે. જોકે, તેમની સાથે સાથે અંબિકા સોની, મોતીલાલ વોરા અને લુજેનિયો ફલેરિયોને પણ તેમના પદ પરથી હટાવ્યા હતા.
કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કરતા ગુલાબ નબી આઝાદ સહિત ચાર વરિષ્ઠ નેતાઓને મહાસચિવની જવાબદારીમાંથી મુક્ત કર્યા હતા અને કોગ્રેસ વર્કિંગ કમિટીનું પુનઃગઠન કર્યું.
પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર આઝાદ, મોતીલાલ વોરા, અંબિકા સોની અને મલ્લિકાર્જૂન ખડગેને મહાસચિવના પદ પરથી હટાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે સોનિયા ગાંધીને સંગઠનાત્મક ફેરફાર માટે પત્ર લખનારા 23 નેતાઓમાં સામેલ આઝાદને મહાસચિવના પદ પરથી હટાવાની સાથે સીડબલ્યૂસીમાં સ્થાન આપ્યું છે. 24 ઓગસ્ટના રોજ CWC ની બેઠકમા બનેલી સહમતિ અનુસાર છ સભ્યોની એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિ પાર્ટીના સંગઠન અને કામકાજ સંબંધિત મામલામાં સોનિયા ગાંધીને સહયોગ કરશે.
આ વિશેષ સમિતિમાં એકે એન્ટની, અહમદ પટેલ, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, મુકુલ વાસનિક અને રણદીપ સિંહ સુરજેવાલા સામેલ છે. સુરજેવાલા અને તારિક અનવરને પાર્ટીના નવા મહાસચિવ પણ બનાવવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
શિક્ષણ
Advertisement