શોધખોળ કરો

Chhattisgarh News: આદિવાસીઓની જમીન પરના ઝાડ કાપવા પર ત્રણ વર્ષની સજા, રાજ્યપાલે આપી મંજૂરી

છત્તીસગઢમાં હવે આદિવાસીઓની જમીન પર વાવેલા વૃક્ષો કાપવા પર 3 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ થશે

Chhattisgarh News: છત્તીસગઢમાં હવે આદિવાસીઓની જમીન પર વાવેલા વૃક્ષો કાપવા પર 3 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ થશે. આ માટે રાજ્યપાલ અનુસુઇયા ઉઇકેએ (Governor Anusuiya Uikey) છત્તીસગઢ આદિમ જનજાતિ સંરક્ષણ અધિનિયમ 1999ના સંશોધિત બિલને મંજૂરી આપી દીધી છે. જેમાં કલમ 9માં કરાયેલા ફેરફાર મુજબ જો કોઈ આદિવાસીઓની જમીનના વૃક્ષોને કાપશે કે નુકસાન પહોંચાડશે તો તે ગુનાની શ્રેણીમાં આવશે અને તેના માટે સજાની પણ જોગવાઈ છે.

આદિમ જનજાતિ સંરક્ષણ અધિનિયમમાં સુધારો

હકીકતમાં છત્તીસગઢના રાજ્યપાલ અનુસુઇયા ઉઇકેએ સોમવારે છત્તીસગઢ આદિમ જનજાતિ સંરક્ષણ (સુધારા) બિલ 2022 પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં પ્રિન્સિપલ એક્ટની પાંચ કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે અને એક કલમ કાઢી નાખવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારે વિધાનસભામાં સર્વસંમતિથી બિલ પાસ કરાવ્યું હતું. આ પછી તેને રાજભવન મોકલવામાં આવ્યું હતું. હવે આ કાયદો તેના પર રાજ્યપાલના હસ્તાક્ષર બાદ અમલમાં આવશે.

શું થયો સુધારો

કલમ 4 મુજબ આદિમ આદિજાતિના જમીન માલિકે વૃક્ષ કાપવાની પરવાનગી માટે કલેક્ટરને બદલે સબ-ડિવિઝનલ ઓફિસર (મહેસૂલ)ને અરજી કરવાની રહેશે. કલમ 4 ની પેટા કલમ (2) માં પણ સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ "પેટા વિભાગીય અધિકારી" અરજીની ચકાસણી કરાવશે. આ પછી મહેસૂલ વિભાગ અને વન વિભાગના સંયુક્ત તપાસ અહેવાલને ધ્યાનમાં લીધા બાદ પરવાનગી અંગે નિર્ણય લેવામાં આવશે. જ્યારે મુખ્ય અધિનિયમની કલમ 5 કાઢી નાખવામાં આવી છે.

કલમ 6 અને 8માં આ ફેરફારો કરવામાં આવ્યા છે

કલમ 6માં સુધારો કરવામાં આવ્યો છે કે જમીનના માલિકને નાણાંની ચૂકવણી કાયદા હેઠળ કરવામાં આવેલા નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર કરવામાં આવશે. કલમ 8 કોડમાં અપીલ, પુનરાવર્તન અને સમીક્ષાની વાત કરવામાં આવી છે. આ અધિનિયમ હેઠળ પેટા-વિભાગીય અધિકારી (મહેસૂલ) દ્વારા પસાર કરાયેલા કોઈપણ આદેશ પર લાગુ પડશે.

સેક્શન 9માં આ ફેરફાર કરવામાં આવ્યો છે

કલમ 9 ના સુધારા મુજબ, કોઈપણ વ્યક્તિ જે આદિમ આદિવાસીઓની જમીનના વૃક્ષોના કોઈપણ ભાગને કાપે છે, નુકસાન પહોંચાડે છે, કાપી નાખે છે અથવા દૂર કરે છે, તો તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને એક લાખ રૂપિયાના દંડની સજા થશે. અગાઉ દંડની રકમ માત્ર દસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

જો જમીનના માલિક સામે કોઈ કાવતરું અથવા છેતરપિંડી કરવામાં આવી હોય તો આ પ્રકારના લાકડાને વેચ્યા બાદ અને એ ગુનાહિત મામલાના ઉકેલ બાદ  પેટા વિભાગીય અધિકારી (મહેસૂલ)ના આદેશને આધીન પાંચ લાખ રૂપિયા સુધીની મહત્તમ સીમા હેઠળ 50 ટકા સુધીની સીમાની રાશિ જમીન માલિકને આપવામાં આવશે. જ્યારે કલમ 9ની પેટા કલમ (3) અને (4) બાદ કરવામાં આવી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget