શોધખોળ કરો

Haryana Election: BJPએ 67 બેઠકો પર ઉમેદવારો કર્યા જાહેર, CM સૈનીની સીટ બદલી

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની સીટ બદલવામાં આવી છે.

નવી દિલ્હી:  હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની સીટ બદલવામાં આવી છે. તેઓ લાડવા બેઠક પરથી ચૂંટણી લડશે. હાલમાં તેઓ કરનાલ સીટથી ધારાસભ્ય છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટથી ચૂંટણી લડશે. 

તમને જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભાની 90 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. હરિયાણાની તમામ 90 સીટો પર 5 ઓક્ટોબરે મતદાન થશે અને 8 ઓક્ટોબરે મતગણતરી બાદ ચૂંટણી પરિણામો આવશે.

આ યાદીની ખાસ વાત એ છે કે તેમાં જેજેપીના ત્રણ પૂર્વ ધારાસભ્યોને પણ ટિકિટ આપવામાં આવી છે. દેવેન્દ્ર બબલીને ટોહાનાથી, રામકુમાર ગૌતમને સફીદોંથી અને અનૂપ ધાનકને ઉકલાનાથી ટિકિટ મળી છે.

હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી અને જનનાયક જનતા પાર્ટીના ગઠબંધને રાજ્ય સરકારની રચના કરી હતી. ભાજપ પાસે 40 બેઠકો છે, કોંગ્રેસ પાસે 31 બેઠકો છે અને અપક્ષ/અન્ય પાસે 19 બેઠકો છે. અગાઉ 1 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની હતી અને પરિણામ 4 ઓક્ટોબરે જાહેર થવાનું હતું. પરંતુ તહેવારોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તારીખમાં ફેરફાર કર્યો હતો. 

મતગણતરી 8 ઓક્ટોબરે થશે

ચૂંટણી પંચે હરિયાણાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે રાજ્યમાં 1લી ઓક્ટોબરના બદલે 5મી ઓક્ટોબરે મતદાન થશે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંને રાજ્યોમાં મત ગણતરીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બંને રાજ્યોમાં મતગણતરી હવે 4 ઓક્ટોબરને બદલે 8 ઓક્ટોબરે થશે. 

ચૂંટણી પંચ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે હરિયાણામાં આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં  આ નિર્ણય બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેને માન આપવા માટે લેવામાં આવ્યો હતો, જેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં સદીઓથી આસોજ અમાવસ્યાનો તહેવાર ઉજવે છે. 

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણામાં આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈસીઆઈએ કહ્યું કે બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે ચૂંટણીની તારીખ લંબાવવામાં આવી છે. તેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં સદીઓથી આસોજ અમાવસ્યાનો તહેવાર ઉજવે છે. 

 

Haryana Election: જજપા-આસપાએ 19 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, આ બેઠક પરથી લડશે દુષ્યંત ચૌટાલા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યુંArvind Kejriwal Resign | દિલ્લીમાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ છે સૌથી આગળ? જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
'મેં પહેલેથી જ કહ્યું હતું કે...', અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે શું બોલ્યા?
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
અરવિંદ કેજરીવાલે આપત્તિને જ અવસરમાં ફેરવી દીધી? દિલ્હીમાં જલ્દી ચૂંટણી પાછળ છે આ માસ્ટરપ્લાન!
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
PM Modi Gujarat Visit: PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
હવેથી દર સોમવારે અને મંગળવારે પોલીસે આ કામ ફરજિયાત કરવું પડશે, મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
આ 8 લોકો માટે વરદાન છે સવારે ખાલી પેટ દૂધમાં પલાળેલી ખજૂર ખાવી
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
પરણેલા વ્યક્તિએ 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ફોટા બતાવીને પછી કરતો....
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
હોસ્પિટલની એ ભૂલથી અમરીશ પુરીનો જીવ ગ્યોતો! અભિનેતાને પહેલેથી જ થઈ ગયો હતો મૃત્યુનો અહેસાસ
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
આ તારીખથી શરૂ થશે PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી, હસમુખ પટેલે કરી જાહેરાત
Embed widget