શોધખોળ કરો

Haryana Violence: 44 FIR, 116ની ધરપકડ, હિંસા બાદ નૂહ પોલીસની કાર્યવાહી યથાવત, અત્યાર સુધી 150 લોકોની કરાઇ પૂછપરછ

હરિયાણાના નૂહ અને ગુરુગ્રામ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા બાદ તણાવની સ્થિતિ યથાવત છે.

Haryana Violence:  હરિયાણાના નૂહ અને ગુરુગ્રામ જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા બાદ તણાવની સ્થિતિ યથાવત છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દળ અને કેન્દ્રીય દળોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ હિંસા ફેલાવનારાઓ સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. નૂહમાં હિંસાના મામલામાં અત્યાર સુધીમાં 22 એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નૂહના પોલીસ અધિક્ષક (SP) એ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 44 FIR નોંધવામાં આવી છે. 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને લગભગ 150 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. 31 જૂલાઈના રોજ નૂહમાં એક સરઘસ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ સાથે ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

મૃતક હોમગાર્ડ જવાનોને 57-57 લાખ આર્થિક સહાયની જાહેરાત

હરિયાણામાં હિંસામાં પાંચ લોકોના મોત થયા છે. નૂહમાં બે હોમગાર્ડ સહિત ચાર લોકોના મોત થયા હતા, જ્યારે ગુરુગ્રામમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, હરિયાણા પોલીસે મંગળવારે નૂહમાં હિંસામાં જીવ ગુમાવનારા બે હોમગાર્ડના પરિવારોને 57 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.

પથ્થરમારામાં બાળકોના ઉપયોગની તપાસની માંગ

નૂહમાં હિંસા દરમિયાન બાળકોનો કથિત રીતે પથ્થરમારો માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. પીટીઆઈ અનુસાર, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ આ અંગે તપાસની માંગ કરી છે. હરિયાણા પ્રશાસનને લખેલા પત્રમાં NCPCRએ સોમવારની હિંસામાં બાળકોના કથિત ઉપયોગ અંગે કાર્યવાહીની માંગ કરી છે.

કમિશને પત્રમાં કહ્યું હતું કે "પંચ તમારી ઓફિસને આ મામલાની તપાસ કરવા અને ઘટનાની તપાસ કરવા વિનંતી કરે છે." ઉપરાંત, આ હિંસામાં જે બાળકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની ઓળખ કરવી જોઈએ અને જો તેમની સલામતી સુનિશ્ચિત કરવાની જરૂર હોય તો તેમને બાળ સુધારણા સમિતિ સમક્ષ રજૂ કરવા જોઈએ.

સીએમ ખટ્ટરે મોટા ષડયંત્રની શક્યતા વ્યક્ત કરી

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે મંગળવારે (1 જુલાઈ) ચંડીગઢમાં રાજ્યના ગૃહમંત્રી અનિલ વિજ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સમગ્ર ઘટના કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોય તેવું લાગી રહ્યું છે. હિંસામાં બહારના લોકોની સંડોવણી અંગે આશંકા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે બદમાશોની ઓળખ કરવામાં આવી રહી છે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget