Rajya Sabha Election: મહારાષ્ટ્રમાં શિવસેનાને ઝટકો, સંજય પવાર ચૂંટણી હાર્યા, ભાજપે ત્રણ બેઠકો જીતી
ભારતીય જનતા પાર્ટીએ 3 બેઠકો જીતી હતી જ્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ 1-1 સીટ જીતી છે.
મુંબઇઃ મહારાષ્ટ્રમાં રાજ્યસભાની 6 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. મોડી રાત સુધી ચાલેલા હોબાળા વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ 3 બેઠકો જીતી હતી જ્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ 1-1 સીટ જીતી છે. શિવસેનાના બીજા ઉમેદવાર સંજય પવારને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યસભા ચૂંટણીમાં જીત બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ચૂંટણી પંચે અમારો એક મત અમાન્ય કર્યો છે. અમે બે મત માટે વિરોધ કર્યો, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ચૂંટણી પંચે તેમનો (ભાજપ) પક્ષ લીધો.
#RajyaSabhaElection | Out of 6 seats in Maharashtra, BJP won 3 seats. Shiv Sena, Congress and NCP won one seat each
— ANI (@ANI) June 10, 2022
Shiv Sena's Sanjay Pawar has lost the election pic.twitter.com/MsnWSHvtCj
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત સાથે આ અમારા માટે ખુશીની ક્ષણ છે. તેમણે કહ્યું કે પીયૂષ ગોયલ અને અનિલ બોંડેને 48-48 વોટ મળ્યા. અમારા ત્રીજા ઉમેદવારને શિવસેનાના સંજય રાઉત કરતાં વધુ મત મળ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજ્યસભાની ચૂંટણી જીતેલા ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે, 'હું શિવસેનાના સંજય રાઉત અને NCPના પ્રફુલ્લ પટેલ સાથે જીત્યો છું. હું ધારાસભ્યોનો આભાર માનું છું. અમને દુઃખ છે કે (મહા વિકાસ અઘાડી)ના ચોથા ઉમેદવાર સંજય પવાર જીતી શક્યા નથી.
Rajya Sabha Polls: BJP's Devendra Fadnavis calls victory in Maharashtra 'a happy moment'
— ANI Digital (@ani_digital) June 11, 2022
Read @ANI Story |https://t.co/MWHuK5p0ve#DevendraFadnavis #RajyaSabhaPolls #Victory #Maharastra pic.twitter.com/V5OkPZrjS4
ધનંજય મહાડિકે સંજય પવારને હરાવ્યા હતા
છઠ્ઠી સીટ પર ભાજપના ધનંજય મહાડિકે શિવસેનાના સંજય પવારને હરાવ્યા હતા. મહારાષ્ટ્રમાં એક ઉમેદવારને જીતવા માટે 41 વોટની જરૂર હતી. મતદાન દરમિયાન ભાજપે શાસક પક્ષના ઘણા ધારાસભ્યોનું મતદાન રદ કરવાની માંગ કરી હતી, જેના પર ચૂંટણી પંચે વિશેષ નિરીક્ષકના અહેવાલનું વિશ્લેષણ કરીને અને વિડિયો ફૂટેજ જોયા પછી વિગતવાર આદેશ પસાર કર્યો હતો.
વાસ્તવમાં, બીજેપીએ NCP ધારાસભ્ય જિતેન્દ્ર અવધ, કોંગ્રેસના ધારાસભ્ય યશોમતી ઠાકુર અને શિવસેનાના ધારાસભ્ય સુહાસ કાંડે વિરુદ્ધ અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈને પોતાનો મત બતાવવા બદલ ફરિયાદ કરી હતી, તેથી મત રદ થવો જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)