શોધખોળ કરો

Independence Day 2023: PM મોદીએ કહ્યુ- ‘આગામી વર્ષે આ લાલ કિલ્લા પર વધુ આત્મવિશ્વાસ સાથે આવીશ’

Independence Day 2023:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું

Independence Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​77માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે મણિપુર હિંસાથી લઈને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. તેમણે કહ્યું કે તમે મજબૂત સરકાર બનાવી ત્યારે જ હું આટલા બધા સુધારા કરી શક્યો. પીએમએ કહ્યું કે વિશ્વએ કોરોના સમયગાળા દરમિયાન ભારતની શક્તિ જોઈ. જ્યારે મોટી અર્થવ્યવસ્થાઓ બરબાદ થઈ રહી હતી ત્યારે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ભારતની ભાગીદારીએ વિશ્વને સ્થિરતાની બાંયધરી આપી. હવે દુનિયાના મનમાં તેને લઇને કોઇ 'ઇફ અને ‘બટ' નથી. હવે બોલ આપણા કોર્ટમાં છે. આપણે આ તક ગુમાવવી ન જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે મેં 2014માં પરિવર્તન લાવવાનું વચન આપ્યું હતું. તમે દેશવાસીઓએ મારા પર વિશ્વાસ કર્યો. મેં તમને આપેલા મારા વચનને વિશ્વાસમાં ફેરવી દીધું. 2019માં મારા પ્રદર્શનના આધારે તમે મને ફરીથી આશીર્વાદ આપ્યા. પરિવર્તને મને બીજી તક આપી. હું તમારા બધા સપના પૂરા કરીશ. આગામી પાંચ વર્ષ 2047નું સ્વપ્ન સાકાર કરવા માટે સૌથી મોટી સોનેરી ક્ષણ છે. આગામી 15મી ઓગસ્ટે હું આ લાલ કિલ્લા પરથી દેશની ઉપલબ્ધિઓ અને વિકાસને તમારી સામે રજૂ કરીશ. આગામી 15મી ઓગસ્ટે ફરી આવીશ. હું ફક્ત તમારા માટે જ જીવું છું, હું તમારા માટે પરસેવો પાડુ છું, કારણ કે તમે મારો પરિવાર છો.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુનિયા હજુ કોરોનામાંથી બહાર આવ્યો નથી. યુદ્ધે વધુ એક સંકટને જન્મ આપ્યો છે. આજે વિશ્વ મોંઘવારીના સંકટનો સામનો કરી રહ્યું છે. ફુગાવાએ સમગ્ર વૈશ્વિક અર્થતંત્રને પોતાની ઝપેટમાં લઈ લીધું છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે આપણે આપણી જરૂરી ચીજવસ્તુઓ આયાત કરીએ છીએ ત્યારે આપણે ફુગાવાને પણ આયાત કરીએ છીએ પરંતુ ભારતે ફુગાવાને કાબૂમાં લેવા તમામ પ્રયાસો કર્યા છે

પોતાના ભાષણની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું- પૂજ્ય બાપુ અને ભગત સિંહ જેવા બહાદુરોના બલિદાનને કારણે દેશ આઝાદ થયો. જેમણે બલિદાન આપ્યું છે તેમને હું વંદન કરું છું. આપણે 26 જાન્યુઆરી ઉજવીશું તો તે ગણતંત્ર દિવસની 75મી વર્ષગાંઠ હશે. આ વખતે દેશના ઘણા ભાગો કુદરતી આફતનો ભોગ બન્યા છે. હું પરિવારના તમામ સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને આ તમામ સંકટમાંથી ઝડપી ગતિએ આગળ વધશે.

પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડાયવેર્સિટી આ ત્રિવેણી ભારતને આગળ લઈ જવામાં મદદ કરી રહી છે. આજે વિશ્વમાં ક્યાંય 30 વર્ષથી ઓછી વયની વસ્તી છે તો એ મારા દેશ ભારતમાં છે.

પીએમ મોદીએ કહ્યું કે ભૂતકાળમાં હિંસાનો સમય હતો, ખાસ કરીને મણિપુરમાં. અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. મા-દીકરીની ઇજ્જત પર હાથ નાખવામાં આવ્યો. દેશ મણિપુરની સાથે છે. માત્ર શાંતિથી જ રસ્તો નીકળશે. સરકાર શાંતિ માટે પ્રયાસો કરી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ત્યાં શાંતિ આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- તમે ભારતને વિશ્વની ત્રણ સ્ટાર્ટઅપ ઈકો-સિસ્ટમમાં સ્થાન અપાવ્યું છે. આ મારા દેશના યુવાનોની પ્રતિભા છે. આવનારા સમયમાં ટેક્નોલોજીની પ્રતિભામાં ભારતની ભૂમિકા મહત્વની બનવાની છે. હું તાજેતરમાં બાલી ગયો હતો. વિશ્વના વિકસિત દેશો મને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની અજાયબી વિશે પૂછતા હતા. આ અજાયબી માત્ર દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરો સુધી મર્યાદિત નથી. તે ટિયર-2 અને ટિયર-3 શહેરો સુધી વિસ્તરે છે. હું આપણા દેશના યુવાનોને કહેવા માંગુ છું કે તકોની કોઈ કમી નથી. આ દેશ તમને ગમે તેટલી તકો આપવાની ક્ષમતા ધરાવે છે.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું- તમે આટલી મજબૂત સરકાર બનાવી, મોદીમાં રિફોર્મ કરવાની હિંમત હતી. દુનિયાને સ્ટીલની જરૂર હતી, અમે સ્ટીલ મંત્રાલય બનાવ્યું. પાણીની જરૂર હતી, અમે જલ શક્તિ મંત્રાલય બનાવ્યું. અમે અલગ આયુષ મંત્રાલય બનાવ્યું છે. આપણું યોગ અને આયુષ મંત્રાલય વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. આ જ તર્જ પર અમે મત્સ્યોદ્યોગ માટે અલગ મંત્રાલય બનાવ્યું.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાયHun To Bolish : હું તો બોલીશ : દાનવRajkot Hospital Viral CCTV Video: મહિલાઓની તપાસના સીસીટીવી વાયરલ કરનાર 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પરGujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
Rashifal: મેષથી લઈ મીન રાશિ સુધીનું વાંચો 22 ફેબ્રુઆરી 2025નું દૈનિક રાશિફળ
સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
સમય પહેલાં લોન ચૂકવનારાઓ માટે મોટા સમાચાર,હવે બેંકો નહીં વસુસી શકે પેનલ્ટી , RBIનો મહત્વનો નિર્ણય
Technology: તમારું સિમ કાર્ડ તમારુ એકાઉન્ટ ખાલી કરી શકે છે, જાણો આવા સ્કેમથી કેવી રીતે બચવું
Technology: તમારું સિમ કાર્ડ તમારુ એકાઉન્ટ ખાલી કરી શકે છે, જાણો આવા સ્કેમથી કેવી રીતે બચવું
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
રાજ્યમાં ફરી માવઠાની આગાહી: ઉનાળો શરૂ થાય એ પહેલા જ અંબાલાલ પટેલની મોટી આગાહી
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
ચીને શોધી કાઢ્યો નવો કોરોનાવાયરસ: કોવિડ-૧૯ ની જેમ મનુષ્યને ચેપ લગાવી શકે છે
બાપ જાનવર બની ગયો! સગીર પુત્રીને ઊંઘની ગોળીઓ આપીને 3 વર્ષથી બળાત્કાર ગુજારતો હતો, ધરપકડ
બાપ જાનવર બની ગયો! સગીર પુત્રીને ઊંઘની ગોળીઓ આપીને 3 વર્ષથી બળાત્કાર ગુજારતો હતો, ધરપકડ
Embed widget