સુપ્રીમ કોર્ટના 52મા ચીફ જસ્ટિસ બન્યા બીઆર ગવઇ, જાણો કેટલો રહેશે કાર્યકાળ?
બીઆર ગવઈ સુપ્રીમ કોર્ટના 52મા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેમનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે.

બીઆર ગવઈ સુપ્રીમ કોર્ટના 52મા ચીફ જસ્ટિસ બન્યા હતા. તેમનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે. જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ સુપ્રીમ કોર્ટના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તેઓ 23 નવેમ્બર સુધી ચીફ જસ્ટિસ રહેશે. તેમના કાર્યકાળ દરમિયાન CJI ગવઈ વક્ફ કેસ સહિત ઘણા મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરશે. જસ્ટિસ બીઆર ગવઈ બૌદ્ધ ધર્મમાં માનનારા પહેલા મુખ્ય ન્યાયાધીશ અને અનુસૂચિત જાતિમાંથી આવનારા બીજા મુખ્ય ન્યાયાધીશ છે.
#WATCH | Delhi: President Droupadi Murmu administers oath of office to Justice BR Gavai as the Chief Justice of India (CJI).
— ANI (@ANI) May 14, 2025
(Video Source: President of India/social media) pic.twitter.com/3J9xMbz3kw
#WATCH | Delhi: CJI BR Gavai greets President Droupadi Murmu, Prime Minister Narendra Modi, Vice President Jagdeep Dhankhar, former President Ram Nath Kovind and other dignitaries at the Rashtrapati Bhavan. He took oath as the 52nd Chief Justice of India.
— ANI (@ANI) May 14, 2025
(Video Source:… pic.twitter.com/yMUL0Sw3LH
જસ્ટિસ ગવઈ 23 નવેમ્બર, 2025ના રોજ નિવૃત્તિની તારીખ સુધી છ મહિનાથી વધુ સમય માટે મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળશે. તેમના નેતૃત્વ હેઠળ ન્યાયતંત્ર પાસેથી માત્ર તેમના નિર્ણયો લેવાની અપેક્ષા રાખવામાં આવશે નહીં, પરંતુ તેઓ જે વારસો બનાવશે તેની પણ આતુરતાથી રાહ જોવામાં આવશે.
અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં તેમના છ વર્ષના કાર્યકાળમાં જસ્ટિસ ગવઈ ઘણી મહત્વપૂર્ણ બેન્ચનો ભાગ રહ્યા છે, તે બેન્ચોએ મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. તેમાં બુલડોઝર કાર્યવાહીની નિંદા કરતા આદેશો અને આવી વૃત્તિઓને નિયંત્રિત કરવા માટે કડક માર્ગદર્શિકા મૂકવાનો સમાવેશ થાય છે.
જસ્ટિસ ગવઈ એ બંધારણીય બેન્ચનો પણ ભાગ હતા જેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવાના કેન્દ્રના નિર્ણયને સમર્થન આપ્યું હતું, ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય જાહેર કરી હતી અને 2016ના નોટબંધીને બંધારણીય ઠેરવી હતી.
જસ્ટિસ ગવઈના નેતૃત્વ હેઠળની બેન્ચે મની લોન્ડરિંગ કેસમાં આરોપી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને જામીન આપ્યા હતા. તેના આધારે અન્ય આરોપીઓને પણ રાહત મળી હતી. તેવી જ રીતે તેમણે 'મોદી સરનેમ' કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો અને 2002ના ગોધરા રમખાણો સંબંધિત કેસમાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને નિયમિત જામીન આપવાનો આદેશ આપ્યો હતો.
1985માં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી
જસ્ટિસ બીઆર ગવઈનો જન્મ 24 નવેમ્બર 1960ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેમણે 16 માર્ચ 1985ના રોજ વકીલ તરીકે નોંધણી કરાવી અને 1987 થી 1990 સુધી બોમ્બે હાઈકોર્ટમાં સ્વતંત્ર રીતે પ્રેક્ટિસ કરીહતી. આ પછી તેમણે નાગપુર બેન્ચમાં કામ કર્યું. તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના સ્ટેન્ડિંગ કાઉન્સેલ હતા. ઓગસ્ટ 1992 થી જૂલાઈ 1993 સુધી તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં સહાયક સરકારી વકીલ અને એડિશનલ સરકારી વકીલ તરીકે સેવા આપી હતી.
આ પછી તેમને 17 જાન્યુઆરી 2000ના રોજ નાગપુર બેન્ચ માટે સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 14 નવેમ્બર 2003ના રોજ તેમને બોમ્બે હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને 12 નવેમ્બર 2005ના રોજ તેમને સ્થાયી ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.
તેમણે મુંબઈ ખાતેની મુખ્ય બેન્ચ અને નાગપુર, ઔરંગાબાદ અને પણજી ખાતેની ડિવિઝન બેન્ચમાં વિવિધ કેસોની સુનાવણી કરી હતી. 24 મે 2019ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
સીજેઆઈ ગવઈ 700 બેન્ચનો ભાગ રહ્યા છે
સુપ્રીમ કોર્ટની વેબસાઇટ અનુસાર, છેલ્લા છ વર્ષમાં તેઓ લગભગ 700 બેન્ચનો ભાગ રહ્યા છે જેમણે બંધારણીય અને વહીવટી કાયદો, નાગરિક, ફોજદારી, વાણિજ્યિક વિવાદો, મધ્યસ્થી, વીજળી કાયદો, શિક્ષણ, પર્યાવરણ વગેરે જેવા વિવિધ વિષયો પરના કેસોની સુનાવણી કરી હતી.
તેમણે લગભગ 300 ચુકાદાઓ લખ્યા છે, જેમાં કાયદાના શાસન અને નાગરિકોના મૂળભૂત, માનવીય અને કાનૂની અધિકારોનું રક્ષણ કરતા અનેક બંધારણીય બેન્ચના ચુકાદાઓનો સમાવેશ થાય છે.





















