શોધખોળ કરો

કર્ણાટક કોંગ્રેસમાં ફરી ધમાસાણ ? શિવકુમાર સમર્થક ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, CM બદલવાની માંગ 

કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સમર્થક મંત્રીઓ અને ધારાસભ્યો પાર્ટી હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે, જેનાથી રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે.

નવી દિલ્હી: કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સમર્થક મંત્રીઓ અને ધારાસભ્યો પાર્ટી હાઈકમાન્ડને મળવા માટે દિલ્હી પહોંચ્યા છે, જેનાથી રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર  મંત્રી એન. ચલુવરાયસામી અને ધારાસભ્યો ઈકબાલ હુસૈન, એચ. સી બાલકૃષ્ણ, એસ.આર. શ્રીનિવાસ અને ટી.ડી. રાજેગૌડા દિલ્હી પહોચ્યા છે. અહીં આ  નેતાઓ પાર્ટી હાઈકમાન્ડને મળશે. 

ડીકે શિવકુમાર સમર્થકો દિલ્હી પહોંચ્યા

ડીકે શિવકુમારના સમર્થક ધારાસભ્ય ટી.ડી. રાજેગૌડાએ કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલ સાથે મુલાકાત કરી. ડીકે શિવકુમાર જૂથ આગ્રહ કરી રહ્યું છે કે સિદ્ધારમૈયાની આગેવાની હેઠળની સરકારે અઢી વર્ષ પૂર્ણ કર્યા છે અને નક્કી કરાર મુજબ શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. દિલ્હી પહોંચેલા તમામ નેતાઓ આ કરાર પર ચર્ચા કરવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરશે.

'સિદ્ધારમૈયા અઢી વર્ષનું પોતાનું વચન પૂરું કરશે'

ડીકે શિવકુમારના ભાઈ અને બેંગલુરુ ગ્રામીણના ભૂતપૂર્વ લોકસભા સાંસદ ડીકે સુરેશે ગુરુવારે (20 નવેમ્બર, 2025) કહ્યું કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અઢી વર્ષનું પોતાનું વચન પૂરું કરશે. સીએમ સિદ્ધારમૈયાનું કહેવું છે કે અઢી વર્ષ પછી મંત્રીમંડળમાં ફેરબદલની વાત કરવામાં આવી હતી.  તેમણે કહ્યું કે તેઓ આવતા વર્ષે તેમનું રેકોર્ડ  17મું બજેટ રજૂ કરશે.

મારી સત્તા અત્યારે અને ભવિષ્યમાં સુરક્ષિત છે: સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું, "મારી સત્તા અત્યારે અને ભવિષ્યમાં સુરક્ષિત છે. જનતાને આપેલા વચનો પૂરા કરવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કરી રહ્યો છું. તે એક અંધશ્રદ્ધા છે કે જો હું ચામરાજનગર આવીશ તો હું સત્તા ગુમાવીશ. હું ચામરાજનગર જાઉં છું કારણ કે હું અંધશ્રદ્ધા અને અફવાઓમાં માનતો નથી. હું રાજ્યના તમામ જિલ્લાઓ સાથે સમાન વર્તન કરું છું અને તમામ જિલ્લાઓની મુલાકાત લઉં છું."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે, ત્યારે સિદ્ધારમૈયાએ કહ્યું, "આ એક બિનજરૂરી ચર્ચા છે. અઢી વર્ષ પછી મંત્રીમંડળમાં ફેરબદલની જાહેરાત થયા પછી જ મુખ્યમંત્રી બદલવાનો મુદ્દો સામે આવ્યો છે. પાર્ટીના નેતાઓએ મંત્રીમંડળમાં ફેરબદલ અંગે નિર્ણય લેવાની જરૂર છે. કુલ 34 મંત્રી પદો છે, જેમાંથી બે ખાલી છે. આ ખાલી મંત્રી પદો કેબિનેટ ફેરબદલ દરમિયાન ભરવામાં આવશે."                

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં ભગવો લહેરાયો! મહાયુતિની પ્રચંડ જીત, ઉદ્ધવ-પવારના સૂપડાં સાફ
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
IND vs PAK: ભારતનું સપનું રોળાયું! પાકિસ્તાન સામે 191 રને કારમી હાર, અજેય રથ થંભ્યો
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Mohan Bhagwat: ભારત હિન્દુ રાષ્ટ્ર જ છે! સંસદની મંજૂરીની જરૂર નથી, મોહન ભાગવતનું મોટું નિવેદન
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
Railway Fare Hike: રેલવેના ભાડામાં 26 ડિસેમ્બરથી થશે વધારો, જાણો ટ્રેનની સફર કેટલી થશે મોંઘી
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
મેડિકલથી એન્જિનિયરિંગ સુધી, ભારતીય વિદ્યાર્થીઓને રશિયા, પ્રવેશ પરીક્ષા વિના આપશે સ્કોલરશિપ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
IND vs PAK: પાકિસ્તાને ભારતને આપ્યો 348 રનનો લક્ષ્યાંક, સમીરની સદી, દિપેશની 3 વિકેટ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
Embed widget