શોધખોળ કરો

કેરળમાં મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ: કોંગ્રેસના આ 3 દિગ્ગજ નેતાઓ રેસમાં સૌથી આગળ

ઓબ્ઝર્વર્સનો રિપોર્ટ મલ્લિકાર્જુન ખડગેને સોંપાયો; ધારાસભ્યોના મંતવ્યો બાદ હવે હાઈકમાન્ડ લેશે આખરી નિર્ણય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કેરળમાં UDF ની જીત બાદ CM પદ માટે સસ્પેન્સ.
  • સતીસન, ચેન્નીથલા, વેણુગોપાલ મુખ્ય દાવેદાર.
  • નિરીક્ષકોએ રિપોર્ટ સોંપ્યો, હાઈકમાન્ડ નિર્ણય લેશે.
  • અનુભવ કે યુવા નેતૃત્વ, મોવડી મંડળ વિચારશે.

Kerala Politics: કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) એ 140 માંથી 102 બેઠકો જીતીને શાનદાર વાપસી કરી છે. જોકે, 4 મે, 2026 ના રોજ પરિણામો આવી ગયા હોવા છતાં, રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હજુ સસ્પેન્સ અકબંધ છે. હાલમાં મુખ્યમંત્રી પદની રેસમાં ત્રણ દિગ્ગજ નેતાઓ - વી.ડી. સતીસન, રમેશ ચેન્નીથલા અને કે.સી. વેણુગોપાલના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ હવે એવી ફોર્મ્યુલા શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે જેનાથી આ ત્રણેય નેતાઓ સંતુષ્ટ રહે અને પક્ષમાં કોઈ અસંતોષ ઊભો ન થાય.

આ પ્રક્રિયાને વેગ આપવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા નિયુક્ત બે ખાસ નિરીક્ષકો, મુકુલ વાસનિક અને અજય માકને શુક્રવારે (8 મે, 2026) પોતાનો રિપોર્ટ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સોંપી દીધો છે. આ રિપોર્ટમાં કેરળના નવા ચૂંટાયેલા ધારાસભ્યોના મંતવ્યો અને તેમની પસંદગીના નેતા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે. હવે દિલ્હીમાં બેઠેલું મોવડી મંડળ આ રિપોર્ટના આધારે આગામી એક-બે દિવસમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે.

રેસમાં સામેલ ત્રણ મુખ્ય દાવેદારો:

વી.ડી. સતીસન: સતીસન કેરળના રાજકારણમાં એક અત્યંત પ્રભાવશાળી નેતા ગણાય છે. પરાવુર બેઠક પરથી સતત જીતતા સતીસને વિપક્ષના નેતા તરીકે પક્ષને મજબૂત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વમાં જ 2024 ની લોકસભા ચૂંટણીમાં UDF એ 20 માંથી 18 બેઠકો જીતી હતી. શુક્રવારે તેમના સમર્થકોએ તેમને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે કેરળના અનેક ભાગોમાં દેખાવો પણ કર્યા હતા.

શું દેશમાં પેટ્રોલ-ડીઝલ, ગેસની અછત છે? પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ

કે.સી. વેણુગોપાલ: AICC ના સંગઠન મહાસચિવ વેણુગોપાલને રાહુલ ગાંધીના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. 2026 ની ચૂંટણી રણનીતિમાં તેમનો મોટો ફાળો રહ્યો છે. જોકે, તેમણે આ વખતે વિધાનસભાની ચૂંટણી લડી નથી. જો પક્ષ તેમને મુખ્યમંત્રી તરીકે પસંદ કરે, તો નિયમ મુજબ તેમણે આગામી 6 મહિનામાં ધારાસભ્ય તરીકે ચૂંટાવવું પડશે.

રમેશ ચેન્નીથલા: ચેન્નીથલા કેરળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને પૂર્વ ગૃહમંત્રી તરીકેનો અનુભવ ધરાવે છે. સંગઠન પર તેમની પકડ બહુ મજબૂત છે. આ વખતે તેમણે હરિપદ બેઠક પરથી સતત 6ઠ્ઠી વખત જીત મેળવીને પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે.

હાલ તો આ ત્રણેય દિગ્ગજો વચ્ચે ખરાખરીનો જંગ છે. હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ અનુભવને પ્રાધાન્ય આપે છે કે પછી ભવિષ્યની રણનીતિને ધ્યાનમાં રાખીને કોઈ નવા ચહેરા પર મહોર મારે છે.

રાહુલ ગાંધીની હાજરીમાં તમિલનાડુના નવા CM વિજયની મોટી જાહેરાત: ‘મારા હાથમાં જ સત્તા....’

Frequently Asked Questions

કેરળ વિધાનસભા ચૂંટણીમાં UDF ને કેટલી બેઠકો મળી?

કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF એ 140 માંથી 102 બેઠકો જીતી છે.

કેરળના આગામી મુખ્યમંત્રી કોણ બની શકે છે?

મુખ્યમંત્રી પદ માટે વી.ડી. સતીસન, રમેશ ચેન્નીથલા અને કે.સી. વેણુગોપાલ નામો ચર્ચામાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ ટૂંક સમયમાં નિર્ણય લેશે.

કે.સી. વેણુગોપાલે વિધાનસભાની ચૂંટણી લડી હતી?

ના, કે.સી. વેણુગોપાલે આ વખતે વિધાનસભાની ચૂંટણી લડી નથી. જો તેઓ મુખ્યમંત્રી બને, તો તેમણે 6 મહિનામાં ધારાસભ્ય બનવું પડશે.

મુખ્યમંત્રીના નામની જાહેરાત ક્યારે થઈ શકે છે?

કોંગ્રેસ પાર્ટી દ્વારા નિયુક્ત નિરીક્ષકોએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. આગામી એક-બે દિવસમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો અપડેટ 
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Advertisement

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Ahmedabad Rain: મહેમદાવાદના કુણા ગામમાં ભારે વરસાદથી તારાજી, હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ
Embed widget